aries agro

સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા

ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાત (કીટકો)ના નિયંત્રણ માટે વિવિધ કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. ચીલાચાલુ કીટકનાશક દવાઓના વારંવાર થતાં ઉપયોગને પરિણામે લાંબા ગાળે જીવાતોએ તેની સામે પ્રતિકારક શકિત વિકસાવવાનું શરૂ કર્યુ. તેના નિવારણ માટે વૈજ્ઞાનિકએ જુદા જુદા રાસાયણિક બંધારણવાળી કીટકનાશક દવાઓની શોધ શરૂ કરી. આજે બજારમાં ઘણી આધુનિક કીટનાશક દવાઓ ઉપલબ્ધ થયેલ છે કે જે વિશિષ્ટ રીતે જીવાત પર અવળી અસર કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. આવી આધુનિક કીટનાશક દવાઓ ટેટ્રાનીક એસીડ જુથમાં સ્પાઈરોમેઝીફેન (ઓબેરોન અને ઈન્વીડોર) દવા બજારમાં મળતી થઈ છે. આજ જુથને મળતા આવતા ટેટ્રામીક જુથની અન્ય એક કીટનાશક દવા બાયરક્રોપ સાયન્સ દ્વારા વિકસાવેલ છે કે જે સ્પાઈરોટેટ્રામેટ નામના ટેકનીકલ (સામાન્ય) નામથી મળે છે.

પરદેશમાં આ દવા મોવેન્ટો (Movento), અલ્ટોર (Ultor) અને કોનટોન (Konton) ના નામે રજીસ્ટર્ડ થયેલ છે. જો કે હાલ આપણે ત્યાં આ કીટકનાશક દવાની નોંધણી (રજીસ્ટર) થયેલ નથી પરંતુ નજીકના ભવિષ્યમાં તે મળવાની શકયતા રહેલી છે તેથી તેના વિષે પ્રાથમિક માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.

સ્પાઈરોટેટ્રામેટ એ શોષક પ્રકારની કીટકનાશક દવા છે. તેનો છંટકાવ છોડ પર કરવા તે પાનના કોષોમાં શોષાઈ જાય છે અને છોડના વિવિધ ભાગોમાં પ્રસરી જાય છે. સામાન્ય રીતે અત્યાર સુધી મળતી શોષક પ્રકારની કીટનાશક દવાઓનું વહન છોડની અંદર કોઈ એક જ દિશામાં થતુ હતું પરંતુ સ્પાઈરોટેટ્રામીટ એ એક તદન નવા જ પ્રકારની કીટનાશક દવા છે કે જે છોડમાં નીચેથી ઉપર (એક્રોપીટલ) અને ઉપરથી નીચે (બેઝીપીટલ) એમ બન્ને દિશામાં વહન થાય છે. આવી શોષક પ્રકારની કીટકનાશક દવાનો ફાયદો એ છે કે તે છોડના ઉપરના ભાગોમાં નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ કરે છે. તે ઉપરાંત છોડના જમીનની અંદર રહેલા ભાગ (મૂળ વિસ્તાર) કે છોડના અંદરના કોષોમાં રહી નુકસાન કરતી જીવાત (દા.ત. પાનકોરીયું) નું તે સારી રીતે નિયંત્રણ કરે છે. છોડના દરેક ભાગમાં તે પ્રસરવાની સારી એવી ક્ષમતા ધરાવે છે. આવી શોષક પ્રકારની કીટનાશક દવાનો ઉપયોગ ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો, તડતડીયાં, સાયલા, સફેદમાખી, થ્રિપ્સ, ચિકટો (મીલીબગ) અને ભીંગડાવાળી જીવાતનું તે અસરકારક રીતે નિયંત્રણ કરે છે. તે ઉપરાંત આ કીટનાશક દવા પાનકથીરીના સંપર્કમાં આવતા તેના પર અસર ઉપજાવી તેનું પણ નિયંત્રણ કરે છે. તેથી તે કીટનાશક- વ-કથીરીનાશક તરીકે પણ ઓળખાય છે. પરદેશમાં તે શાકભાજી અને ફળપાકો નુકસાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતોની નિયંત્રણ માટે વપરાય છે. બજારમાં તે ૨૨.૪ % એસસી (સસ્પેશન્સન કોન્સેટ્રેન્ટ) સ્વરૂપે મળે છે. સામાન્ય રીતે ૨ મિ.લિ. / ૧૦ લિટર પાણી અથવા તો ૨ લિટર દવા પ્રતિ હેકટર પ્રમાણે વપરાય છે.
‘સ્પાઈરોટેટ્રામેટ’ દવાની જીવાત મારવાની પધ્ધતિ વિશિષ્ટ પ્રકારની હોય છે. તે જીવાતના શરીરમાં લીપીડ બનાવાની ક્રિયામાં અડચણ ઉભી કરે છે અથવા તો લીપીડના સંશ્લેષણને બંધ કરે છે. તેથી ‘લીપીડ સિન્થેસીસ ઈન્હીબીટર’ તરીકે ઓળખાય છે. જીવાતની અપુખ્ત અવસ્થા (બચ્ચાં અને ઈયળો) માં લીપીડ નું પ્રમાણ ઘટતા તેનો વિકાસ અટકે છે. જયારે પુખ્ત કીટકોમાં તેની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે. આમ થતા જીવાતની વસ્તીમાં ઘટાડો થાય છે.

કંપનીન્યુઝ : સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા

સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાત (કીટકો)ના નિયંત્રણ માટે વિવિધ કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. ચીલાચાલુ કીટકનાશક દવાઓના વારંવાર થતાં ઉપયોગને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાણું (બેક્ટેરિયા)

 – જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મગફળીના ભોટવા (ગ્રાઉન્ડ નટ પોડ બોરર) જીવાતની નિયંત્રણ વ્યવસ્થા:

મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં તેને સુર્યના તાપમાં બરાબર સૂકવવી અને દાણામાં ૭ ટકા ભેજ રહે ત્યાર બાદ તેનો કોઠારમાં સંગ્રહ કરવો. કોઠારમાં સંગ્રહ કરતાં પહેલા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પરવળની ખેતીમાં છાટણી

પરવળની ખેતીમાં છાટણી વિશે જણાવતા સર્વશ્રી શ્રી એસ.એસ. દરજી શ્રી જી. એસ. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સમોડા-ગણવાડા, તા. સિદ્ધપુર જિ. પાટણ-૩૮૪૧૫૧ ફોન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીલો પડવાશ અને પ્રાકૃતિક ખેતી

જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટામેટા : નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોયાબીન : નીંદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગાય પ્લાસ્ટિક ખાય જાય તો શું થાય ?

ગાય પ્લાસ્ટિક ખાય જાય ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?

 જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ

* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : ટોમેટો કોન્ફરન્સ

ટોમેટો કોન્ફરન્સ આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

થ્રિપ્સ વિષે જાણો

 થ્રિપ્સ વિષે જાણો : થિપ્સ એક્દમ નાજુક ૧થી ૨ મિ.મી લંબાઈના, શંકુ આકારના પીળાશ પડતા કે ભૂખરાં રંગના કીટક છે. બચ્ચાં પાંખો વગરના હોય છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks