ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી. પ્રકાંડ કપાઈ જાય ત્યારે તેની મુકુટકલિકામાંથી નવો છોડ ફૂટે છે. ચોમાસામાં ઊગે છે અને શિયાળામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે. ઉનાળામાં વૃદ્ધિ ગંઠાઈ જાય છે. આ નીંદણનો ઉપદ્રવ ખાસ કરીને રસ્તાની બાજુમાં, રહેણાંક કે અન્ય પડતર જમીનોમાં જોવા મળે છે. પાક વિસ્તારમાં બહુ ઉપદ્રવ હોતો નથી, પરંતુ હવે ઘણાં પાકમાં જોવા મળે છે. તેમાં રહેલ ઝેરી તત્ત્વ “પાર્થેનીન’ના કારણે માણસમાં ચામડીના અને માનસિક તણાવના એલર્જીક રોગો થાય છે. તેની પરાગરજ ખૂબ જ હાનિકારક હોય છે. પશુઓમાં પણ ઘણાં રોગો થાય છે. 

ગાજરઘાસના નિયંત્રણ માટે સંકલિત ઉપાયો :

  • નવા વિસ્તારમાં ગાજરઘાસ જોવા મળે ત્યારે તેને હાથથી ઉખેડવાની ઝુંબેશ કરવાની ભલામણ છે. આ માટે સ્વયંસેવકોએ હાથમોજા પહેરવા અને ચોકસાઈ કરવી કે છોડ મુકુટ વિસ્તાર સુધી ઊખડી ગયેલ છે 
  • ગાજરઘાસ પ્રસ્થાપિત થયેલ હોય તેવા વિસ્તારમાં નીંદણના કાર્યશીલ વૃદ્ધિકાળ દરમ્યાન ૨,૪ ડી (સોડીયમ સોલ્ટ ) ૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છોડ પર છંટકાવ કરવો.
  • ડાયક્વોટ અથવા ગ્લાયફોસેટ ૧.૦% (૧૦૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
  • આ સિવાય મેટ્રીબ્યુઝીન ૦.૫% (૫૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા મેટસક્યુરોન ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા ક્લોરીબ્યુરોન ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરી શકાય. 
  • પાક વિસ્તારમાં જે તે પાકમાં ભલામણ થયેલ દવાઓ જેવી કે એટ્રાઝીન, સીમાઝીન, એલાક્લોર, બ્યુટાક્લોર, ડાયુરોન, નાઈટ્રોન વગેરે પાક અને નીંદણ ઊગ્યા પહેલાં છાંટવાથી ગાજરઘાસનું રથી ૫ મહિના સુધી અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
  • પડતર વિસ્તારમાં ગાજરઘાસનું પ્રતિસ્થાપન કરવા કુવાડીયો, સરપંખો, આવળ, ગલગોટાનું વાવેતર કરવું.

સાભાર ડો. આર.કે. માથુકીયા

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
aries agro

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આખું વિશ્વ નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે

થ્રીપ્સ એક એવી જીવાત છે કે આખું વિશ્વ તેના નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે. એમાંય કાળી થ્રીપ્સ ની પ્રજાતિ થ્રીપ્સ પારવી સ્પીનસ સામે લડવા માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રેગનફૂટ નું સંવર્ધન કેમ થાય ?

ડ્રેગનફ્રૂટનું સંવર્ધન બીજથી તથા કટકા કલમથી થાય છે. બીજથી : પાકેલા ફ્લોના બીજને વાવીને ધરૂ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા છોડનો વિકાસ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : માં પર્ણગુચ્છ/ ફાયલોડી નું નિયંત્રણ

 આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોય તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ?

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks