વેદ એ માનવજાતિ માટેનો અતિ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. વેદ શબ્દ સંસ્કૃત શબ્દ ‘વિદ‘ ધાતુ પરથી તૈયાર થયેલ છે જેનો અર્થ થાય છે “જ્ઞાન”. મનુષ્ય અને કુદરતી ચક્ર આ બન્નેનો સમતોલ અને સુખમય પારસ્પરિક સંબંધ વેદોમાં વર્ણવેલ છે. ઋગ્વદ, કૃષિ પરાશર,અગ્નિપુરાણ, વૃક્ષઆયુર્વેદા વગેરે ગ્રંથોમાંથી વૈદિક કૃષિ(ખેતી)ની વિશેષ માહિતીનું વર્ણન કરવામાં આવેલું છે.
“ક્રમિસ્યમી વ્રત્સીસ્યમી યજ્ઞેન કલ્પતમ’
યજુર્વેદમાં સ્ત્રોત નંબર ૧ થી ૨૯, પ્રકરણ ૧૮માં યજ્ઞનું વર્ણન થયેલું છે કે યજ્ઞને ખેતી, ભૌતિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક પ્રગતિનો મૂળભૂત પાયાનો એકમ છે. યજ્ઞ એ વનસ્પતિ સમુદાયમાં સમૃદ્ધિનો સ્ત્રોત છે તથા સારા સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણનો રક્ષક ગણવામાં આવે છે.
ચંન્દોગ્ય ઉપનિષદમાં સૂક્ષ્મ વાતાવરણ અને વાતાવરણીય પ્રદૂષણો દૂર કરવાનું વર્ણન કરેલું છે દા.ત. નીચેના સ્તોત્ર મુજબ યજ્ઞ બધી અશુદ્ધિઓ, પ્રદૂષણ દૂર કરી મહત્ત્વપૂર્ણ ઊર્જા વધારે છે.
‘એસા હી વે યજ્ઞ્યો યો અયામ પવતે ઈદમ સર્વમ પુનતી, તસ્મદેવ ઈવા યજ્ઞહ’
વૈદિક કૃષિનો પાયાનો સિદ્ધાંત કુદરતી ચક્ર સાથે તાલમેલ અથવા સમતોલનનો છે. દા.ત. પંચમહાભૂત (પૃથ્વી, આકાશ, પાણી, અગ્નિ અને વાયુ) વૈદિકરૂષિઓ ગાયને માતા તરીકે રાખતા જેમાંથી મળતા દૂધ, ઘી, ગૌમૂત્ર, દહીં તેમજ છાણ આ પંચગુણી પદાર્થોનું ઔષધિ મહત્ત્વ આયુર્વેદમાં વિસ્તૃત રીતે વર્ણવેલ છે. વૈદિક કૃષિ પદ્ધતિમાં અનેક ખેતી પદ્ધતિનો સમાવેશ થાય છે એમાંથી સૌથી અગત્યની વૈદિક કૃષિ પદ્ધતિ છે અગ્નિહોત્ર ખેતી.
અગ્નિહોત્ર એટલે શું?
પ્રાચીન વિજ્ઞાનમાં યજ્ઞ દ્વારા વાતાવરણને શુદ્ધ અને સ્વસ્થ રાખવાની એક માત્ર પદ્ધતિ છે કે જેમાં સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે નાના પીરામિડ પાત્રમાં ગાયના છાણા લઈ ઘી અને ચોખાની આહૂતિ આપવામાં આવે છે જેનાથી વૈશ્વિક ઊર્જા એકત્રિત થઈ વાતાવરણમાં ઉત્સર્જન થાય છે.
અગ્નિહોત્ર ફાર્મિગ પદ્ધતિ શું છે?
યજ્ઞ પદ્ધતિ સાથે ખેતી કરવામાં આવે તેને અગ્નિહોત્ર ફાર્મિંગ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં ખેતરમાં ખેડવું. રોપણી કરવી, કાપણી કરવી કે નવા અનાજનો સંગ્રહ કરવો આ બધા જ ખેતીકાર્યો યજ્ઞ અને મંત્રોના પઠન દ્વારા કરવામાં આવે છે.
અગ્નિહોત્રમાં મુખ્યત્વે બે શક્તિઓનો (ભૌતિક દુનિયામાં) સમાવેશ કરવામાં આવે છે. અગ્નિ અને ધ્વની, અગ્નિહોત્ર કૃષિ એક માત્ર પદ્ધતિ છે કે જેમાં બંને શક્તિનો સમન્વય થાય છે. એટલે જ કુદરતી ખેતી સાથે મદદરૂપ એવી અગ્નિહોત્ર કૃષિ પદ્ધતિના ઉપયોગથી જે પરિણામ મળશે તે અનેક ઘણું વધારે છે, તેનો અનુભવ થશે.
અગ્નિહોત્ર ખેતી પદ્ધતિઓ વપરાતી વસ્તુઓ:
(૧) અગ્નિહોત્રનો સમય : અગ્નિહોત્ર સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કરવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે મહત્ત્વનું નૈસર્ગિક તાલચક્ર (Rhythm) હોય છે તે સમયે બ્રહ્માડીકવૈશ્વિક ઊર્જાનું (Cosmic energy) પૃથ્વીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં આવે છે. જેથી અગ્નિહોત્ર વિધિ તે સમયે કરવી એ આધારભુત બને છે. (નોંધ : સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્ત ટાઈમ ટેબલની માહિતીહવેતોનેટઓનલાઈન ઉપર પર ઉપલબ્ધ છે.
દા.ત. www.agnihotraindia.com www.homatherapyindia.com www.agnihotra.org
(૨) ગોમય/ગાયના છાણા : અગ્નિહોત્ર માટે હંમેશા ગૌવંશ (દેશી)ના છાણમાંથી તૈયાર કરેલા છાણાનો ઉપયોગ કરવો.
(૩) અક્ષત/ચોખા : આહૂતિ માટે બે ચપટી વચ્ચે રહે એટલા સજીવખેતીથી ઉત્પાદિત અને પોલિશ વગરના ચોખાનો ઉપયોગ કરવો (નોંધ : સજીવખેતી કરતા ખેડૂતો પાસેથી અથવા ઓનલાઈન પણ ઉપલબ્ધ છે)
(૪) ગાયનું ઘી : દેશી ગાયના ઘી નો જ અગ્નિહોત્રમાં ઉપયોગ કરવો. અન્ય કોઈપણ પ્રકારના ઘીનો ઉપયોગ કરવો નહી. ધીમાં રહેલ ઔષધી ગુણધર્મો (છોડ માટે જરૂરી એવા એમિનો એસિડ, ફેટી પદાર્થો વગેરે)નું દહન થઈ સૂક્ષ્મ તરંગના સ્વરૂપે ઝડપથી પ્રસરે છે અને ઘીના જવલનના અમૃત પરિણામ હોવાથી તેને અમૃત નાભી કહે છે. નોંધ: અગ્નિ પ્રગટાવવા માટે કેરોસીન જેવા પદાર્થોનો ઉપયોગ ન કરવો તેની જગ્યાએ ઘીની દિવેટ બનાવી અથવા ભીમસેની કપૂર (દેશી કપૂર)નો ઉપયોગ કરવો.
(૫) અગ્નિહોત્ર પાત્ર (ફૂડ) : તાંબાનું (દશાંગુલી) અથવા માટીનું ઊધા પરીમિડ આકારવાળા પાત્રનો ઉપયોગ કરવો. પીરામિડ આકાર હોવાથી પાત્રના કેન્દ્રસ્થાને સૂક્ષ્મ | ઊર્જા, વૈશ્વિક ઊર્જા અને વિધુત ચુંબકીય ઊર્જા એકત્ર થાય છે અને ઉત્સર્જન થાય છે.
તાંબુ એ ધાતુશાસ્ત્રમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે વિધુત ચુંબકીય શક્તિનું ઉત્તમ સુવાહક છે. (નોંધ : ૧૦૦% ગુણવત્તાનું તાંબાનું પાત્ર હોવું જરૂરી છે. લોહચુંબકથી ચકાસવું અથવા ભરોસાપાત્ર જગ્યાએથી લેવું હવે તો ઓનલાઈન ઉપલબ્ધ હોય છે.)
(૬) અગ્નિહોત્ર મંત્ર :
સૂર્યોદય સમયે: ઓમ સૂર્યાય સ્વાહા, ઈદમ સૂર્યાય ન મમ
પ્રજાપતયે સ્વાહા, ઈદમ પ્રજાપતયે ઈદમ ન મમ
સૂર્યાસ્ત સમયે : ઓમ અગ્નએ સ્વાહા, ઈદમ અગ્નએ ઈદમ ન મમ
પ્રજાપતયે સ્વાહા, ઈદમ પ્રજાપતયે ઈદમ ન મમ
અગ્નિહોત્ર કરવાની પદ્ધતિ: સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલાં લગભગ ૫ થી ૧૦ મિનિટ અગાઉ અગ્નિહોત્ર પાત્રમાં ગોવંશના સૂકા છાણા મૂકી તૈયાર રાખવું ત્યારબાદ ગાયના ઘીમાં ભીંજવેલ દિવેટ અથવા ભીમસેની કપૂર (દશી કપૂર)ના માધ્યમથી અગ્નિ પ્રજવલિત કરવી. ત્યારબાદ સ્થાનિક સૂર્યોદય કે સૂર્યાસ્થ (અગ્નિહોત્ર) સમયે નાની તાંબાની વાટકી કે ડાબા હાથની હથેળીમાં બે ચપટી ચોખામાં ૫ થી ૭ ટીપા ઘીમાં મસળી અગ્નિહોત્ર મંત્રનો ઉચ્ચાર કરી આહૂતિ આપવી. આહૂતિ ભસ્મ થાય ત્યાં સુધી શાંત બેસી રહેવું.
અગ્નિહોત્ર ખેતી પદ્ધતિ કઈ રીતે કામ કરે :
વરાળરૂપી પદાર્થોનું અસ્થિકરણ (છાણમાંથી) : અગ્નિહોત્ર પ્રક્રિયા દરમ્યાન કુંડમાં તાપમાન રપ૦° થી ૬00° સે. હોય છે જ્યારે જયોતનું તાપમાન ૧૨૦૦° થી ૧૩00° સે. જોવા મળે છે અગ્નિહોત્ર દરમ્યાન અસ્થિર પદાર્થોનું દહન થતાં આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. તથા છાણમાં રહેતા સેલ્યુલોઝ અને બીજા કાર્બોહાઈડ્રેટ પદાર્થોનું દહન થતા તેમાંથી પુષ્કળ પ્રમાણમાં થાયમોલ, યુજીનોલ, પાઈનેન, નોલા, એમોનિયા, ઈન્ડાલ, ફોર્મલીન તથા બધાના મિશ્રણથી નવા વાયુઓ ઉત્પન્ન થઈ આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. જેથી ઔષધિય તથા પોષણ તત્વોમાં નોંધપાત્ર વધારો થાય છે. અગ્નિહોત્ર દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ધૂમાડો થતાં આસપાસના વાતાવરણમાં જીવાત દૂર ભાગે છે અને છોડ શુદ્ધ વાતાવરણમાં ઉછેરે છે.
ફેટી પદાર્થો (ઘી)નું દહન : ઘીનું અગ્નિહોત્રમાં દહન થતાં ગ્લિસરોલમાંથી એસીટોન, પાયરૂવેટઆલ્ડિહાઈડ અને ગ્લાયોકસાલ વગેરે છૂટા પડે છે. આમ ઘીમાં દહનથી મિથેનોલ, ઈથેનોલ, ફોર્માલ્ડિહાઈડ, એસીટાલ્ડીહાઈડ, ફોર્મિક એસિડ અને એસીટિક એસિડ વાયુઓ ઉત્પન્ન થાય છે. ગાયનું ઘી એક ટોનિક તરીકેનું કામ કરે છે. પૃથ્વી પરના તમામ જીવોના સ્વાશ્ય અને શક્તિ આપનારું અને ખેતરના વાતાવરણને શુદ્ધ કરી પૌષ્ટિક તત્વો પૂરા પાડે છે.
ફોટો રસાયણિક પ્રક્રિયા : અગ્નિહોત્રમાં અસ્થિર પદાર્થોનું દહન થયા બાદ વાતાવરણમાં પ્રસરે છે અને તે સમયે સૂર્યની હાજરીમાં ફરીથી ફોટો રસાયણિક પ્રક્રિયા થતાં અસ્ટ્રાવાયોલેટ અને ટૂંકી તરંગલંબાઈવાળા તરંગોમાં ફેરફાર થાય છે અને જમીન ઉપર આવે છે અને વાતાવરણમાં કાર્બન ડાઓકસાઈડ (CO2) ઘટાડી શુદ્ધ ઓક્સિજન (O2)નું પ્રમાણ વધારે છે જે નીચેની પ્રક્રિયામાં મુજબની જોવા મળે છે જેથી ખેતરના વાતાવરણમાં શુદ્ધિકરણ થાય છે.
CO2 + H2O + 112,000 cal = HCHO = O2
જેથી અગ્નિહોત્ર એ એક સ્પષ્ટ આગ, ગરમી અને ચૂંબકીય તાકાતને જોડતી કડી છે જેના ઉંધા પીરામિડ આકારવાળા પાત્રમાં વૈશ્વિક ઊર્જા એકત્રિત થાય છે અને આસપાસના વાતાવરણમાં વિસર્જન પામે છે.
અગ્નિહોત્ર મંત્રનું રટણ :
અગ્નિહોત્રમાં બે ભૌતિક શક્તિનો સમન્વય થાય છે અગ્નિ અને ધ્વનિ. અગ્નિ ઉપર મુજબની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થાય છે અને બીજી અગત્યની ભૌતિક શક્તિ છે ધ્વનિ જે માત્ર અગ્નિહોત્ર મંત્રના રટણથી ઉત્પન્ન થાય છે અને તે સ્પંદન (વાઈબ્રેશન) વાતાવરણમાં પ્રસરે છે અને છોડને પ્રફૂલ્લિત તથા બળવાન રાખે છે. અગ્નિહોત્ર ખેતી પદ્ધતિના ફાયદા :
અગ્નિહોત્ર ભસ્મના ફાયદા : (૧) બીજ માવજત : એક કિલો બિયારણને ઉપરોકત ૪૦૦ મિ.લિ. ગૌમૂત્ર અને પ૦ ગ્રામ દેશી ગાયનું તાજૂ છાણમાં બે–ત્રણ કલાક પલાળી છાયડામાં સૂકવવું. ત્યારબાદ ૧૦૦ ગ્રામ અગ્નિહોત્ર ભસ્મનું બિયારણ ઉપર ડસ્ટિગ કરવું. જયારે ધરૂને માવજત આપવાની હોય ત્યારે ૨ લિટર ગૌમૂત્રમાં ૩૦૦ ગ્રામ અગ્નિહોત્ર ભસ્મ મિશ્ર કરી એક કલાક હલાવવું ત્યારબાદ ધરૂના મૂળ ૫ મિનિટ ડૂબાડી રોપણી કરવી.
(ર) જમીનની માવજત : ગૌવંશનું છાણ, ગાયનું ઘી, ચોખા, અગ્નિ અને મંત્રોની વૈશ્વિક ઊર્જાથી તૈયાર થતી ભસ્મમાં ૯૭% ફોસ્ફરસ પિન્ટો કસાઈડ, ર.રૂર પોટાશ અને .૩ નાઈટ્રોજન હોય છે જેથી પાણી આપ્યા પછી ભસ્મનું ડસ્ટિગ કરવાથી પોષકતત્વોની પૂર્તતા થાય છે અને શુદ્ધ પ્રાકૃતિક અને પ્રભાવશાળી ખાતર મળી રહે છે.
(૩) ક્ષારીય પાણીની માવજત : પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે દરરોજ ૨.૫ –૫.૦ ગ્રામ અગ્નિહોત્ર ભસ્મને ૧ લિટર પાણીમાં મિશ્રણ કરી ટ્યૂબવેલ અથવા ખુલ્લા કૂવામાં આપવાથી પાણીમાં ક્ષાર (EC) ઘટે છે તથા pH માં તટસ્થીકરણ થાય છે જેને કારણે પાણીની ગુણવત્તામાં સુધારો જાય છે.
સૂર્યાસ્ત અને સૂર્યોદય એમ બંને સમયે અગ્નિહોત્ર કરતાં વાતાવરણમાં વૈશ્વિક ઊર્જાનું આવરણ હમેશા બની રહે છે અને વાતાવરણની શુદ્ધતા જળવાઈ રહે છે. આ પોષ્ટિક તત્વોથી ભરેલા વાતાવરણથી છોડ તેમની વૃદ્ધિ અને પોષણ માટે અનુકુળ આવરણ તૈયાર થાય છે. આવા વાતાવરણમાં બીજનું અંકુરણ અને વૃદ્ધિ ઝડપી બને છે તથા ફળ બનવા માટે જરૂરી પરાગરજની ગુણવત્તા પણ સુધારે છે.
અગ્નિહોત્ર વાતાવરણમાં વિકસિત છોડના પાનની ફરતે એક વિશિષ્ટ પ્રકારનાં સ્પંદનો અને ફાયદાકારક તત્વોવાળુ સૂક્ષ્મ તરંગોનું વલય તૈયાર થાય છે જેમાં છોડ આ વલયમાંથી સતત પોતાની વૃદ્ધિ માટેની પ્રક્રિયા ઝડપી બને છે. આવશ્યક પોષક તત્વોનું શોષણ કરી કસદાર પાક ખેતરમાં તૈયાર થાય છે. ફળો અને અનાજનો સ્વાદ પણ મીઠો અને વારંવાર ખાવાનું મન થાય તેવો બને છે. અગ્નિહોત્રમાં દહન થનાર ગાયના ઘી અને મંત્રોના તરંગોને લીધે આ પરિણામ આવે છે એમ કહી શકાય. આવા વાતાવરણમાં છોડ અન્નઘટક વધુ તૃપ્તિ દાયક અને સ્વાથ્ય વર્ધક બને છે.
‘અગ્નિહોત્ર ખેતી પદ્ધતિ છોડના વાતાવરણને શુદ્ધ બનાવે છે
શુદ્ધ વાતાવરણ મનુષ્યના આરોગ્યને સુધારશે”
વેદ એ માનવજાતિ માટેનો અતિ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. વેદ શબ્દ સંસ્કૃત શબ્દ ‘વિદ‘ ધાતુ પરથી તૈયાર થયેલ છે જેનો અર્થ થાય છે “જ્ઞાન”. મનુષ્ય અને કુદરતી ચક્ર આ બન્નેનો સમતોલ અને સુખમય પારસ્પરિક સંબંધ વેદોમાં વર્ણવેલ છે. ઋગ્વદ, કૃષિ પરાશર,અગ્નિપુરાણ, વૃક્ષઆયુર્વેદા વગેરે ગ્રંથોમાંથી વૈદિક કૃષિ(ખેતી)ની વિશેષ માહિતીનું વર્ણન કરવામાં આવેલું છે.
“ક્રમિસ્યમી વ્રત્સીસ્યમી યજ્ઞેન કલ્પતમ’
યજુર્વેદમાં સ્ત્રોત નંબર ૧ થી ૨૯, પ્રકરણ ૧૮માં યજ્ઞનું વર્ણન થયેલું છે કે યજ્ઞને ખેતી, ભૌતિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક પ્રગતિનો મૂળભૂત પાયાનો એકમ છે. યજ્ઞ એ વનસ્પતિ સમુદાયમાં સમૃદ્ધિનો સ્ત્રોત છે તથા સારા સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણનો રક્ષક ગણવામાં આવે છે.
ચંન્દોગ્ય ઉપનિષદમાં સૂક્ષ્મ વાતાવરણ અને વાતાવરણીય પ્રદૂષણો દૂર કરવાનું વર્ણન કરેલું છે દા.ત. નીચેના સ્તોત્ર મુજબ યજ્ઞ બધી અશુદ્ધિઓ, પ્રદૂષણ દૂર કરી મહત્ત્વપૂર્ણ ઊર્જા વધારે છે.
‘એસા હી વે યજ્ઞ્યો યો અયામ પવતે ઈદમ સર્વમ પુનતી, તસ્મદેવ ઈવા યજ્ઞહ’
વૈદિક કૃષિનો પાયાનો સિદ્ધાંત કુદરતી ચક્ર સાથે તાલમેલ અથવા સમતોલનનો છે. દા.ત. પંચમહાભૂત (પૃથ્વી, આકાશ, પાણી, અગ્નિ અને વાયુ) વૈદિકરૂષિઓ ગાયને માતા તરીકે રાખતા જેમાંથી મળતા દૂધ, ઘી, ગૌમૂત્ર, દહીં તેમજ છાણ આ પંચગુણી પદાર્થોનું ઔષધિ મહત્ત્વ આયુર્વેદમાં વિસ્તૃત રીતે વર્ણવેલ છે. વૈદિક કૃષિ પદ્ધતિમાં અનેક ખેતી પદ્ધતિનો સમાવેશ થાય છે એમાંથી સૌથી અગત્યની વૈદિક કૃષિ પદ્ધતિ છે અગ્નિહોત્ર ખેતી.
અગ્નિહોત્ર એટલે શું?
પ્રાચીન વિજ્ઞાનમાં યજ્ઞ દ્વારા વાતાવરણને શુદ્ધ અને સ્વસ્થ રાખવાની એક માત્ર પદ્ધતિ છે કે જેમાં સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે નાના પીરામિડ પાત્રમાં ગાયના છાણા લઈ ઘી અને ચોખાની આહૂતિ આપવામાં આવે છે જેનાથી વૈશ્વિક ઊર્જા એકત્રિત થઈ વાતાવરણમાં ઉત્સર્જન થાય છે.
અગ્નિહોત્ર ફાર્મિગ પદ્ધતિ શું છે?
યજ્ઞ પદ્ધતિ સાથે ખેતી કરવામાં આવે તેને અગ્નિહોત્ર ફાર્મિંગ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં ખેતરમાં ખેડવું. રોપણી કરવી, કાપણી કરવી કે નવા અનાજનો સંગ્રહ કરવો આ બધા જ ખેતીકાર્યો યજ્ઞ અને મંત્રોના પઠન દ્વારા કરવામાં આવે છે.
અગ્નિહોત્રમાં મુખ્યત્વે બે શક્તિઓનો (ભૌતિક દુનિયામાં) સમાવેશ કરવામાં આવે છે. અગ્નિ અને ધ્વની, અગ્નિહોત્ર કૃષિ એક માત્ર પદ્ધતિ છે કે જેમાં બંને શક્તિનો સમન્વય થાય છે. એટલે જ કુદરતી ખેતી સાથે મદદરૂપ એવી અગ્નિહોત્ર કૃષિ પદ્ધતિના ઉપયોગથી જે પરિણામ મળશે તે અનેક ઘણું વધારે છે, તેનો અનુભવ થશે.
અગ્નિહોત્ર ખેતી પદ્ધતિઓ વપરાતી વસ્તુઓ:
(૧) અગ્નિહોત્રનો સમય : અગ્નિહોત્ર સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કરવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે મહત્ત્વનું નૈસર્ગિક તાલચક્ર (Rhythm) હોય છે તે સમયે બ્રહ્માડીકવૈશ્વિક ઊર્જાનું (Cosmic energy) પૃથ્વીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં આવે છે. જેથી અગ્નિહોત્ર વિધિ તે સમયે કરવી એ આધારભુત બને છે. (નોંધ : સ્થાનિક સૂર્યોદય અને સૂર્યાસ્ત ટાઈમ ટેબલની માહિતીહવેતોનેટઓનલાઈન ઉપર પર ઉપલબ્ધ છે.
દા.ત. www.agnihotraindia.com www.homatherapyindia.com www.agnihotra.org
(૨) ગોમય/ગાયના છાણા : અગ્નિહોત્ર માટે હંમેશા ગૌવંશ (દેશી)ના છાણમાંથી તૈયાર કરેલા છાણાનો ઉપયોગ કરવો.
(૩) અક્ષત/ચોખા : આહૂતિ માટે બે ચપટી વચ્ચે રહે એટલા સજીવખેતીથી ઉત્પાદિત અને પોલિશ વગરના ચોખાનો ઉપયોગ કરવો (નોંધ : સજીવખેતી કરતા ખેડૂતો પાસેથી અથવા ઓનલાઈન પણ ઉપલબ્ધ છે)
(૪) ગાયનું ઘી : દેશી ગાયના ઘી નો જ અગ્નિહોત્રમાં ઉપયોગ કરવો. અન્ય કોઈપણ પ્રકારના ઘીનો ઉપયોગ કરવો નહી. ધીમાં રહેલ ઔષધી ગુણધર્મો (છોડ માટે જરૂરી એવા એમિનો એસિડ, ફેટી પદાર્થો વગેરે)નું દહન થઈ સૂક્ષ્મ તરંગના સ્વરૂપે ઝડપથી પ્રસરે છે અને ઘીના જવલનના અમૃત પરિણામ હોવાથી તેને અમૃત નાભી કહે છે. નોંધ: અગ્નિ પ્રગટાવવા માટે કેરોસીન જેવા પદાર્થોનો ઉપયોગ ન કરવો તેની જગ્યાએ ઘીની દિવેટ બનાવી અથવા ભીમસેની કપૂર (દેશી કપૂર)નો ઉપયોગ કરવો.
(૫) અગ્નિહોત્ર પાત્ર (ફૂડ) : તાંબાનું (દશાંગુલી) અથવા માટીનું ઊધા પરીમિડ આકારવાળા પાત્રનો ઉપયોગ કરવો. પીરામિડ આકાર હોવાથી પાત્રના કેન્દ્રસ્થાને સૂક્ષ્મ | ઊર્જા, વૈશ્વિક ઊર્જા અને વિધુત ચુંબકીય ઊર્જા એકત્ર થાય છે અને ઉત્સર્જન થાય છે.
તાંબુ એ ધાતુશાસ્ત્રમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે વિધુત ચુંબકીય શક્તિનું ઉત્તમ સુવાહક છે. (નોંધ : ૧૦૦% ગુણવત્તાનું તાંબાનું પાત્ર હોવું જરૂરી છે. લોહચુંબકથી ચકાસવું અથવા ભરોસાપાત્ર જગ્યાએથી લેવું હવે તો ઓનલાઈન ઉપલબ્ધ હોય છે.)
(૬) અગ્નિહોત્ર મંત્ર :
સૂર્યોદય સમયે: ઓમ સૂર્યાય સ્વાહા, ઈદમ સૂર્યાય ન મમ
પ્રજાપતયે સ્વાહા, ઈદમ પ્રજાપતયે ઈદમ ન મમ
સૂર્યાસ્ત સમયે : ઓમ અગ્નએ સ્વાહા, ઈદમ અગ્નએ ઈદમ ન મમ
પ્રજાપતયે સ્વાહા, ઈદમ પ્રજાપતયે ઈદમ ન મમ
અગ્નિહોત્ર કરવાની પદ્ધતિ: સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલાં લગભગ ૫ થી ૧૦ મિનિટ અગાઉ અગ્નિહોત્ર પાત્રમાં ગોવંશના સૂકા છાણા મૂકી તૈયાર રાખવું ત્યારબાદ ગાયના ઘીમાં ભીંજવેલ દિવેટ અથવા ભીમસેની કપૂર (દશી કપૂર)ના માધ્યમથી અગ્નિ પ્રજવલિત કરવી. ત્યારબાદ સ્થાનિક સૂર્યોદય કે સૂર્યાસ્થ (અગ્નિહોત્ર) સમયે નાની તાંબાની વાટકી કે ડાબા હાથની હથેળીમાં બે ચપટી ચોખામાં ૫ થી ૭ ટીપા ઘીમાં મસળી અગ્નિહોત્ર મંત્રનો ઉચ્ચાર કરી આહૂતિ આપવી. આહૂતિ ભસ્મ થાય ત્યાં સુધી શાંત બેસી રહેવું.
અગ્નિહોત્ર ખેતી પદ્ધતિ કઈ રીતે કામ કરે :
વરાળરૂપી પદાર્થોનું અસ્થિકરણ (છાણમાંથી) : અગ્નિહોત્ર પ્રક્રિયા દરમ્યાન કુંડમાં તાપમાન રપ૦° થી ૬00° સે. હોય છે જ્યારે જયોતનું તાપમાન ૧૨૦૦° થી ૧૩00° સે. જોવા મળે છે અગ્નિહોત્ર દરમ્યાન અસ્થિર પદાર્થોનું દહન થતાં આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. તથા છાણમાં રહેતા સેલ્યુલોઝ અને બીજા કાર્બોહાઈડ્રેટ પદાર્થોનું દહન થતા તેમાંથી પુષ્કળ પ્રમાણમાં થાયમોલ, યુજીનોલ, પાઈનેન, નોલા, એમોનિયા, ઈન્ડાલ, ફોર્મલીન તથા બધાના મિશ્રણથી નવા વાયુઓ ઉત્પન્ન થઈ આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. જેથી ઔષધિય તથા પોષણ તત્વોમાં નોંધપાત્ર વધારો થાય છે. અગ્નિહોત્ર દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ધૂમાડો થતાં આસપાસના વાતાવરણમાં જીવાત દૂર ભાગે છે અને છોડ શુદ્ધ વાતાવરણમાં ઉછેરે છે.
ફેટી પદાર્થો (ઘી)નું દહન : ઘીનું અગ્નિહોત્રમાં દહન થતાં ગ્લિસરોલમાંથી એસીટોન, પાયરૂવેટઆલ્ડિહાઈડ અને ગ્લાયોકસાલ વગેરે છૂટા પડે છે. આમ ઘીમાં દહનથી મિથેનોલ, ઈથેનોલ, ફોર્માલ્ડિહાઈડ, એસીટાલ્ડીહાઈડ, ફોર્મિક એસિડ અને એસીટિક એસિડ વાયુઓ ઉત્પન્ન થાય છે. ગાયનું ઘી એક ટોનિક તરીકેનું કામ કરે છે. પૃથ્વી પરના તમામ જીવોના સ્વાશ્ય અને શક્તિ આપનારું અને ખેતરના વાતાવરણને શુદ્ધ કરી પૌષ્ટિક તત્વો પૂરા પાડે છે.
ફોટો રસાયણિક પ્રક્રિયા : અગ્નિહોત્રમાં અસ્થિર પદાર્થોનું દહન થયા બાદ વાતાવરણમાં પ્રસરે છે અને તે સમયે સૂર્યની હાજરીમાં ફરીથી ફોટો રસાયણિક પ્રક્રિયા થતાં અસ્ટ્રાવાયોલેટ અને ટૂંકી તરંગલંબાઈવાળા તરંગોમાં ફેરફાર થાય છે અને જમીન ઉપર આવે છે અને વાતાવરણમાં કાર્બન ડાઓકસાઈડ (Co2) ઘટાડી શુદ્ધ ઓક્સિજન (92)નું પ્રમાણ વધારે છે જે નીચેની પ્રક્રિયામાં મુજબની જોવા મળે છે જેથી ખેતરના વાતાવરણમાં શુદ્ધિકરણ થાય છે.
CO2 + H2O + 112,000 cal = HCHO = O2
જેથી અગ્નિહોત્ર એ એક સ્પષ્ટ આગ, ગરમી અને ચૂંબકીય તાકાતને જોડતી કડી છે જેના ઉંધા પીરામિડ આકારવાળા પાત્રમાં વૈશ્વિક ઊર્જા એકત્રિત થાય છે અને આસપાસના વાતાવરણમાં વિસર્જન પામે છે.
અગ્નિહોત્ર મંત્રનું રટણ :
અગ્નિહોત્રમાં બે ભૌતિક શક્તિનો સમન્વય થાય છે અગ્નિ અને ધ્વનિ. અગ્નિ ઉપર મુજબની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થાય છે અને બીજી અગત્યની ભૌતિક શક્તિ છે ધ્વનિ જે માત્ર અગ્નિહોત્ર મંત્રના રટણથી ઉત્પન્ન થાય છે અને તે સ્પંદન (વાઈબ્રેશન) વાતાવરણમાં પ્રસરે છે અને છોડને પ્રફૂલ્લિત તથા બળવાન રાખે છે. અગ્નિહોત્ર ખેતી પદ્ધતિના ફાયદા :
અગ્નિહોત્ર ભસ્મના ફાયદા : (૧) બીજ માવજત : એક કિલો બિયારણને ઉપરોકત ૪૦૦ મિ.લિ. ગૌમૂત્ર અને પ૦ ગ્રામ દેશી ગાયનું તાજૂ છાણમાં બે–ત્રણ કલાક પલાળી છાયડામાં સૂકવવું. ત્યારબાદ ૧૦૦ ગ્રામ અગ્નિહોત્ર ભસ્મનું બિયારણ ઉપર ડસ્ટિગ કરવું. જયારે ધરૂને માવજત આપવાની હોય ત્યારે ૨ લિટર ગૌમૂત્રમાં ૩૦૦ ગ્રામ અગ્નિહોત્ર ભસ્મ મિશ્ર કરી એક કલાક હલાવવું ત્યારબાદ ધરૂના મૂળ ૫ મિનિટ ડૂબાડી રોપણી કરવી.
(ર) જમીનની માવજત : ગૌવંશનું છાણ, ગાયનું ઘી, ચોખા, અગ્નિ અને મંત્રોની વૈશ્વિક ઊર્જાથી તૈયાર થતી ભસ્મમાં ૯૭% ફોસ્ફરસ પિન્ટો કસાઈડ, ર.રૂર પોટાશ અને .૩ નાઈટ્રોજન હોય છે જેથી પાણી આપ્યા પછી ભસ્મનું ડસ્ટિગ કરવાથી પોષકતત્વોની પૂર્તતા થાય છે અને શુદ્ધ પ્રાકૃતિક અને પ્રભાવશાળી ખાતર મળી રહે છે.
(૩) ક્ષારીય પાણીની માવજત : પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે દરરોજ ૨.૫ –૫.૦ ગ્રામ અગ્નિહોત્ર ભસ્મને ૧ લિટર પાણીમાં મિશ્રણ કરી ટ્યૂબવેલ અથવા ખુલ્લા કૂવામાં આપવાથી પાણીમાં ક્ષાર (EC) ઘટે છે તથા pH માં તટસ્થીકરણ થાય છે જેને કારણે પાણીની ગુણવત્તામાં સુધારો જાય છે.
સૂર્યાસ્ત અને સૂર્યોદય એમ બંને સમયે અગ્નિહોત્ર કરતાં વાતાવરણમાં વૈશ્વિક ઊર્જાનું આવરણ હમેશા બની રહે છે અને વાતાવરણની શુદ્ધતા જળવાઈ રહે છે. આ પોષ્ટિક તત્વોથી ભરેલા વાતાવરણથી છોડ તેમની વૃદ્ધિ અને પોષણ માટે અનુકુળ આવરણ તૈયાર થાય છે. આવા વાતાવરણમાં બીજનું અંકુરણ અને વૃદ્ધિ ઝડપી બને છે તથા ફળ બનવા માટે જરૂરી પરાગરજની ગુણવત્તા પણ સુધારે છે.
અગ્નિહોત્ર વાતાવરણમાં વિકસિત છોડના પાનની ફરતે એક વિશિષ્ટ પ્રકારનાં સ્પંદનો અને ફાયદાકારક તત્વોવાળુ સૂક્ષ્મ તરંગોનું વલય તૈયાર થાય છે જેમાં છોડ આ વલયમાંથી સતત પોતાની વૃદ્ધિ માટેની પ્રક્રિયા ઝડપી બને છે. આવશ્યક પોષક તત્વોનું શોષણ કરી કસદાર પાક ખેતરમાં તૈયાર થાય છે. ફળો અને અનાજનો સ્વાદ પણ મીઠો અને વારંવાર ખાવાનું મન થાય તેવો બને છે. અગ્નિહોત્રમાં દહન થનાર ગાયના ઘી અને મંત્રોના તરંગોને લીધે આ પરિણામ આવે છે એમ કહી શકાય. આવા વાતાવરણમાં છોડ અન્નઘટક વધુ તૃપ્તિ દાયક અને સ્વાથ્ય વર્ધક બને છે.
‘અગ્નિહોત્ર ખેતી પદ્ધતિ છોડના વાતાવરણને શુદ્ધ બનાવે છે
શુદ્ધ વાતાવરણ મનુષ્યના આરોગ્યને સુધારશે”
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com