આપણામાં ખેડૂતોમાં આવડત અને કૌશલ્ય ઘણું છે , કોઈ ખેડૂત પોતાની સુજ બુજ થી નવા સાધનો બનાવે તો કોઈ પરંપરાગત જાણકારીના વિવિધ પ્રયોગ કરી ચુસીયા અને ઈયળ માટે લસણ ,મરચું , કેરોસીન અને બીજા ના મિશ્રણ થી કાઢો બનાવીને છંટકાવની એવી દવા બનાવે કે સચોટ પરિણામ મળે, આપણે પ્રયોગ કરવામાં માનીયે , આપણે જોઈએ તો જ માનીયે તે બધા ગુનો ખુબ સારા છે પરંતુ આપણામાં બે અવગુણ હોય તો તે છે આપણી લાગણી સાથે કોઈ રમે તે આપણને ખબરજ ન રહે , દા . ત . વાવણીની સીઝન આવે બીજ ખરીદવાની વાત આવે ત્યારે આપણા જુના અનુભવ જે બિયારણ માટે ખુબ સારા હોય તો પણ પાડોશી બીજું અજાણ્યું બીજ વાવેતો આપણને પહેલા ધકે એમ થાય કે ક્યાંક હું ખોટું નથી કરતો ને ? અને ખેડૂતમાં બીજી સૌથી મોટી નબળાઈ હોય તો એ કે જે બિયારણની અછત હોય તે સારું એટલે કોઈ કૃત્રિમ અછત કરે તો પણ તેને સમજાય નહિ કે આ ખેલ છે , જોકે ઈન્ટરનેટનો નવો યુગ છે છતાં આ બે વાતો હજુ એમનામ છે બોલો …