આખા વિશ્વમાં કેટલાય દેશોમાં પાણીની અછત ના વાવડ છે , પાણીને બચાવવું પડશે અને ટીપે ટીપા નો ઉપયોગ કરીને પાક ઉત્પાદન પણ વધારવું પડશે , વિશ્વના કૃષિ વિજ્ઞાનીકો કહે છે કે ફૂડ સિક્યોરિટી માટે પણ સતત વિચારવું પડશે કારણ કે માનવ વસ્તી વધી રહી છે ત્યારે 2050 આવતા આવતા પાણી અને ખોરાક માટે બાયો ટેક્નોલાજી અપનાવી પડશે , નોર્મન બોર્લોગ કે જેને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ અને હરિત ક્રાંતિના પ્રણેતા છે તે અને આપણા એમ .એસ સ્વામીનાથન પણ કહે છે કે કૃષિ ટેક્નોલોજીમાં નવા પ્રયોગો દ્વારા આપણે કરોડો લોકો સુધી અન્ન પહોંચાડી શકીશું .