ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? તેનો વિચાર કરવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી , સજીવ ખેતી, ઓર્ગનિક ખેતીનો વાયરો વાયો છે , શું આ ખેતીથી આપણી આજીવિકા જળવાશે ? શું આવી ખેતી આપણા માટે લાંબા ગાળે સારી રહેશે? શું આવી ખેતી કરવાથી આપણા ખર્ચ ઘટશે ? શું આવી ખેતી કરવાથી આપણી આવક વધશે ? અનેક પ્રશ્ર્નોની વણઝાર છે આપણા મનમાં….