કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ. ક્લોરફેનપાયર એ પાયરોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક તથા કથીરીનાશક છે.બઝારમાં તે વિવિધ નામે મળે છે આ કીટનાશક લેપિડો, ઈન્ટ્રેપિડ, રેકોર્ડ વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે આ કીટનાશક ચાવવા પ્રકારના મુખાંગો ધરાવતી કોબીજનાં હીરાફુદાંની ઇયળ અને રસ ચુસવાના મુખાંગો ધરાવતી મરચીની પીળી પાનકથીરીનાં નિયંત્રણ માટે પણ અસરકારક છે, કથીરીની વાત છે ત્યારે કથીરી માટે બીજું સારું મોલેક્યુલ વિષે પણ નોંધો. નવું મોલેક્યુલ છે “સાયનોપાયરાફેન” જે કથીરીનું સારું નિયંત્રણ આપે છે. આ કથીરીનાશક કુનોચિ, સ્ટારમાઇટ તથા અરીમા નામે મળે છે. જેનું વિશ્વ-વ્યાપી ઉત્પાદન સીન્જેન્ટા તથા નિશાન એગ્રો કેમિકલ્સ કરે છે. આ કથીરીનાશક હાલમાં જ ભારતમાં કુનોચિ 30 એસસીના નામે નિશાન કંપની અને ઇન્સેક્ટિસાઈડ ઈન્ડિયા લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવી છે.