

આપણે વખતો વખત કહીએ છીએ કે વેલ્યુ એડિસન એટલે મૂલ્ય વર્ધન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને શહેરમાં વેચો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ દ્વારા આજે ઘણા ખેડૂતો તરબૂચ ટેટી ખારેક દળેલું મરચું સોર્ટેક્ષ વિણાટ ઘઉં, એરંડિયું પટ આપેલ ઘઉં વગેરે સીધા ઉપભોક્તાને વેચે છે . મરચી, ધાણા, જીરું, હળદર, મેથી, રાઈ, અજમા વગેરે આપણા ખેતરમાં ઉગાડી શકીયે અને પોતાનું માર્કેટિંગ કરીને વેચીયે તો સારો ચોખ્ખો માલ અને ભેળસેળ વગરનો ખેડૂતની ઇમાનદારીનો પ્યોર માલ મળશે અને હા, બઝાર કરતા વ્યાજબી ભાવે મળશે કારણ કે વચેટિયા વેપારી આપણી અને ઉપભોક્તા વચ્ચે હતા તે નફો બચશે એટલે કે આપંણને અને ખાનાર વર્ગને લાભ થશે અને શુદ્ધ માલની ખાતરી મળશે. આવી શરૂઆત કરી છે. તેવા ઘણા ખેડૂત ભાઈઓ છે, માર્કેટ બહુ મોટું છે એટલે બધા કરે તો પણ બધાને લાભ મળી શકે. સિઝનમાં ભરવા લાયક અતુલભાઇનું મરચું ખેતરથી સીધું રસોડા સુધી મેળવવા ફોન કરો અતુલ ચાંગાણી 90338703999 અથવા જુનાગઢ પાસેના જામકા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી નાગભાઈ 108 પ્રકારના મરચાનું શ્રી અનિલભાઈ વઘાસીયાના માર્ગદર્શન સાથે વાવેતર કરેલ આજે નાગભાઈ ને ત્યાં રોજનું 75 હજાર રૂપિયાનું મરચું વાડીએ બેઠા વેચે છે ફોન કરો 9925992874 અથવા નિધિ ઓર્ગનિકસ પાસેથી મસાલા કીટ બનાવતા શીખો. બઝાર મોટું છે તમે પણ કરો, હું પણ કરું. ચાલો મૂલ્ય વર્ધન કરી ખેત પેદાશ સીધી રસોડે પહોચાડીયે અને ખેતીને પોષણ લક્ષી બનાવીયે.

























