

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે નવી ટેક્નોલોજીની વાતો સાથે મનુષ્યની ખાસિયત અને ગ્રાહકના ઉદેશોની વાત કરતા હતા , ઉદાહરણ તરીકે, કોઈ કંપની નક્કી કરે કે તેને દુનિયાનું શ્રેષ્ઠ ટ્રેક્ટર , બિયારણ , વાવણીયો કે મોટર કાર બનાવવી છે અને બનાવે અને એ માટે ઉત્તમ એન્જિનિયરો, બ્રીડર, સંશોધન વૈજ્ઞાનિક , ડિઝાઇનરોની એક ટીમ તૈયાર કરીને બજારમાં એ ટ્રેક્ટર કે બિયારણ કે વાવણીયો વેચવા માટે મૂકે અને કોઈ ખરીદે જ નહીં તો? કંપની એમ ન કહી શકે કે “ખેડૂતોને સારી ચીજ શું છે એની સમજ નથી.” પણ, એનાથી ઉલટું જે સાધન ખેડૂત વધુ ખરીદે એ જ શ્રેષ્ઠ કહેવાય , કેમ કે ગ્રાહકોની શ્રેષ્ઠતાની સમજ એમની પોતાની હોય છે . પણ તમે વિચાર કરજો યુગ ટેકનોલોજી નો છે છતાં આપણને જુના કાળમાં હતું તે આજે પણ પકડી રાખ્યું છે , હજુ છોડ્યું નથી , હજુ પણ બજારમાં નથી મળતું તે સારું તે જૂની આપણી કલ્પનાને લીધે અમુક કંપનીઓ અછત ઉભી કરીને માર્કેટિંગ કરવાનો આઈડિયા અપનાવે છે , બોલો આપણને ખેડૂત તરીકે ઈશ્વરની આ ભેટ મળી છે કે બુદ્ધિપૂર્વક ખરીદવા માટે વિવેક વાપરવો તે વાત યાદ રાખવી જોઈએ કે નહિ ….

























