
કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….
























