
માવઠામાં ભીની થયેલી બોલકી ધરતી કહે છે કે મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે જમીન એટલે કે હું જીવતી રહું છું . માટી ઉપયોગી બેકટેરીયાથી સમૃઘ્ધ રહે તે માટે સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું પડશે. માટીના જૈવિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે ચાર મુખ્ય વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ છે: ખેડાણ ઘટાડવું અથવા સુધારવું, પાક ફેરબદલી કરવી, કવર પાક ઉગાડવા અથવા મિશ્ર પાક પદ્ધતિ અપનાવવી, જમીનમાં જૈવિક મિત્ર બેક્ટેરિયા કે મિત્ર ફુગના ઇનોક્યુલન્ટ્સ ઉમેરવા .જમીનમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે મારી સોઇલ કેમેસ્ટ્રી પણ સમજતા રહો તો હું તમારા કોઠારો ધનધાન્ય થી ભરી દઈશ . બોલકી ધરતી આપણને વધુ શું કહે છે તે આવતા વખતે

























