જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી તરીકે ઓળખાય છે. ખાસ કરીને ફૂદા-પતંગિયાની ઈયળ અવસ્થા સામે એનપીવીનો ઉપયોગ થાય છે. આવા વિષાણુ આધારિત જૈવિક કીટનાશક જે તે જીવાત માટે ખાસ/વિશિષ્ટ પ્રકારના હોય છે. દા.ત. લીલી ઈયળ માટેનું એનપીવી ફક્ત લીલી ઈયળમાં જ રોગ પેદા કરે છે. તેની અસર લશ્કરી ઈયળ કે અન્ય કોઈપણ કીટકોની ઈયળ અવસ્થા પર જોવા મળતી નથી. બીટીની માફક એનપીવી પણ એક જઠરવિષ છે. તેથી તેનું જઠરમાં જવું જરૂરી છે. વિષાણુયુક્ત ખોરાક સાથે એનપીવી યજમાન કીટકના જઠરમાં પહોંચે છે. જીવાતના આંતરડામાં રહેલ આલ્કલાઈન માધ્યમમાં વિષાણુમાં રહેલ વિષ કણો આંતરડાની દિવાલ કોરીને જીવાતની દેહગૃહમાં પહોંચે છે. જીવાતને રોગ લાગુ પડતા તે મૃત્યુ પામે છે.
છંટકાવ માટે વિષાણુનું દ્રાવણ બનાવવા માટે વપરાતા પાણીમાં અમ્લતાનો આંક (PH) ૭.૫ કરતા વધુ હોવો જોઈએ નહિ. અમ્લતાનો આંક વધુ હોય તો વિષાણુનો નાશ થવાની શક્યતા રહે છે. વિષાણુ પાન પર ચોંટી રહે અને તેની અસરકારકતા લાંબો સમય જળવાઈ રહે તે માટે દ્રાવણમાં ‘ટીપોલ’ કે ‘સેન્ડોવીટ’ ભેળવવામાં આવે છે. એનપીવીનો છંટકાવ હંમેશા સાંજના સમયે ઠંડે પહોરે કરવો હિતાવહ છે. વિષાણુનું દ્રાવણ સૂર્યપ્રકાશથી દૂર રાખવું જોઈએ. લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરવો હોય તો અંધારામાં ઠંડકવાળી જગ્યાએ સંગ્રહ કરવો. એનપીવીનો છંટકાવ હંમેશા જીવાતની નાની અવસ્થા હોય ત્યારે કરવાથી તેની અસરકારકતા વધુ જોવા મળે છે.
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966




























