
બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી. ત્યારબાદ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરીલમ કલ્ચરનો પટ આપવો.
બીજનો દર :
શિયાળુ વરિયાળીનું વાવેતર ચાસમાં ઓરીને કરવામાં આવતું હોવાથી બિયારણનો દર પ્રતિ હેક્ટરે ૪ થી ૫ કિગ્રા રાખવો.


























