
* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે એમ કુલ ત્રણ વખત હાથ વડે નીંદામણ કરવા,
વધુમાં, મજૂરોની અછતની પરિસ્થિતિમાં પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા, અથવા ઓક્સિફ્લુઓરફેન હેકટર દીઠ ૦.૦૮ કિ.ગ્રા, છંટકાવ કરવો તેમજ એક વખત હાથ વડે નીંદામણ કરવું.
* દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ચણાના પાકમાં વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે એમ બે વખત નીંદામણ કરવું. મજૂરોની ખેંચ હોય તેવા સંજોગોમાં ફ્યુફ્લોરાલીન હેકટર દીઠ ૧,૦ કિ.ગ્રા. અથવા પેન્ડીમીયાલીન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવયી પણ નીંદણોને કાબૂમાં લઇ શકાય છે.
* દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ખેડૂતોને પાકમાં વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે એક વખત હાથ વડે નીંદામણ અને આંતરખેડ કરવાની સલાહ છે.

























