
ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ અને દૂધિયા દાણાની અવસ્થાએ) કરવાની ભલામણ છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય સૂક્ષ્મ તત્ત્વોના મિશ્રણ ગ્રેડ-૪ના ૧ ટકા દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦, ૪૫ અને ૬૦ દિવસે) કરવાની ભલામણ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય ગ્રેડ-૩ (લોહ ૪%, મેંગેનીઝ ૧%, ઝીંક ૬%, કોપર ૦.૫% અને બોરોન ૦.૫ %)ના ૧ % દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦, ૪૦ અને ૫૦ દિવસે) કરવા.








