
ફૂગજન્ય રોગોમાં આગોતરો સુકારો મુખ્ય છે. જેના નિયંત્રણ માટે વાવેતર બાદ ૩૫-૪૦ દિવસે પ્રથમ છંટકાવ ક્લોરોથેનોનીલ ૭૫% વે.૫ા.ના ર૫ ગ્રામ પ્રમાણે અને રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૦ થી ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫% ઇ.સી.ના ૫ મિ.લિ. પ્રમાણે અને ત્રીજો છંટકાવ ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરીથી કલોરોથેનોનીલ ૭૫% વે.૫ા.ના ર૫ ગ્રામ/ ૧૦ લિટર ૫ાણી પ્રમાણે કરવાથી ૫ણ આગોતરો સુકારાનું ઘ્ણું સારું નિયંત્રણ મળે છે. હવામાન જ્યારે વાદળવાળુ અથવા કમોસમી માવઠા જેવું હોય ત્યારે ખાસ છંટકાવ કરવો. ફુવારા ૫યત પદ્ધતિથી ૫યત આ૫તા ખેડૂતોને દવાનો ૫ં૫થી છંટકાવ કરવા તદ્ઉ૫રાંત આ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી કુફરી બાદશાહ, કુફરી ૫ુખરાજ જેવી જાતોનું વાવેતર કરવા ભલામણ છે.

























