
રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકવામાં આવે છે. રાસાયણિક ખતરો પરની નિર્ભરતા ઘટાડીને ધીરે ધીરે યુરિયામાં 10-20% ઘટાડો કરવા માટે કઠોળ પાકોનું આંતર પાક તરીકે વાવેતર સાથે વૃક્ષો વાવેતર કરવાની પણ ભલામણ છે . ખેતીમાં સમતોલ પાણી મળે મૂળ પ્રદેશમાં વાપસા સ્થિતિ જળવાય રહે તે માટે વધુ પાણીને બદલે ટપક સિંચાઈ – વરસાદી પાણીને જમીનમાં ઉતારવા એટલેકે વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે કન્ટુર બંધ,ખાઈ,ખેત તલાવડી,બોરી બંધ,ચેક ડેમ વગેરે નો ઉપયોગ કરવો પડશે

























