

આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે. સફરજનમાં મીણનું પડ હોય કે અમુક ઉત્સેચકોમાં બોળીને ફળો મોકલવામાં આવે તો ઓક્સિડાઇઝેશન ઘટે છે અને ફળો બગડતા અટકે છે. શું કરવું કે ફળો ઓછા બગડે તેના માટે ટફ્ટસ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી ફિઓરેન્જો એ રેશમના કીડામાંથી બનતા સિલ્કનો ઉપયોગ કરીને સ્ટ્રોબેરી લાંબા સમય સુધી ફ્રેશ રહે તેવું પડ વિકસાવ્યું છે અને તે સફળતા કદાચ વિશ્વભરમાં વખણાશે તેવું જાણકારો કહે છે.


























