
ઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ.અથવા જયારે લઘુતમ તાપમાન ર૦ સે.ઉપર અને ગુરૂતમ તાપમાન ૩૦ સે. થાય તે સમયે વાવણી કરવાથી ઠંડી પણ ઓછી થઈ ગઈ હશે અને પાછળ વરસાદ પણ આવવાની શકયતા ઓછી રહેશે. ઉનાળુ તલ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને વાવણી બાદ ર૦ થી રપ દિવસે બે છોડ વચ્ચે ૧૦ સે.મી. નું અંતર રાખી તલની પારવણી કરવી. જો સમયસર પારવણી કરવામાં ન આવે તો ઉત્પાદન પર માઠી અસર થાય છે.























