
જુઓ ખેડૂત મિત્રો, આપણા દૈનિક આહારમા ધાન્યવર્ગ, કઠોળ તેમજ શાકભાજીનું આગવું સ્થાન છે. પોષણ મૂલ્યની દૃષ્ટિએ દરેક ખાધપદાર્થમાં બધા જ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. આ પોષકતત્ત્વો તેના પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. વનસ્પતિને પોષક તત્ત્વો મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત જમીન છે. તેથી જમીનમાં જે તત્ત્વની ઉણપ હોય તે તત્ત્વની ઉણપ જે તે પાકમાં જણાય અને આખરે આપણા શરીરમાં ઉણપ વર્તાય, કારણ કે માનવશરીરના બંધારણના ઘડતર માટે વિવિધ ખાદ્યપદાર્થ જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે. આમ માનવ આરોગ્ય જળવાઈ રહે અને ખેતી પાકોનું ઉત્પાદન વધે આમ માનવ સ્વાસ્થ્ય અને આપણી ખેતીની ઉપજ વધારવા માટે ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરવી સલાહભર્યું છે.






