
ખાતર આપવાના ખર્ચ
જેમ દેશી ખાતર સુંડલા કે તગારાથી ચાસે ભરતા હોઇએ તેમ રાસાયણિક ખાતરની મોંઘી થેલીને ખૂણે કાણું પાડી થેલીને જમીન ઉપર ઢસડતા જઇ ડી.એ.પી. ખાતર ચાસમાં નખાંતું મેં જોયું છે. કદાચ તમેય જોયું હોય. ફોસ્ફરસયુક્ત ખાતરો ઓછામાં ઓછી જમીનના સંપર્કમાં આવે અને મૂળ વિસ્તારથી ઊંડા અપાય તો જ તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.એટલે એ રીતે જ આપવું જોઈએ.
નહિ તો ખેડૂતને માત્ર “ખાતર આપ્યાનો સંતોષ” અને ”ખર્ચમાંવધારો” સિવાય છોડવાના લાભની વાત છે જ નહીં કપાસ, ઘઉં કે જુવાર-બાજરાના પાકમાં પાણતિયો આગળ આગળ યુરિયાનો છંટકાવ કરતો જાય અને પાછળ પાછળ પાણીના નાકા વાળ્યે જાય, જેથી યુરિયા ઓગળીને નીચે ઉતરી જાય છે. મૂળિયાના વિસ્તારમાં ખોટી થાય તો મૂળિયા વાપરી શકે ને ? આવા પરાક્રમોનું પરિણામ ખેડૂતને મન “એક કામ ઉકલ્યું”, એનો સંતોષ, પણ આવું અપાયેલ ખાતરના જથ્થાનો 66 ટકા વેડફાટ વહોરનારું કામ આપણનેય ઉકેલી મૂકતા વાર ન કરે ભૈલા ! યુરીયા પિયત આપ્યા પછી જ ભીની જમીનમાં પાકને અપાયતો પૂરો લાભ મળે, અને નફામાં વધારો કરે.


























