
વાવેતરના ૮પ થી ૯૦ દિવસ બાદ પ્રથમ કાપણી માટે મોરિંગા લીલાચારા તરીકે તૈયાર થઈ જાય છે. ચારાનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઝડપી વિકાસ માટે વૃક્ષને જમીનની ૩૦ સે.મી. ઉપરથી કાપવું હિતાવહ છે. ૯૦ દિવસ પહેલા ચારાનું કાપવાથી તેનું થડ પાતળુ અને કમજાેર રહી જાય છે. ત્યારપછીની દરેક કાપણી ૬૦ દિવસના અંતરાલે જ્યારે ઝાડ પથી ૬ ફૂટની ઊંચાઈનું હોય ત્યારે કરી શકાય છે. દરેક કાપણી બાદ વૃક્ષની ઝડપી વૃદ્ધિ માટે ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટર પ્રમાણે આપી પિયત કરવું જરૂરી છે. નીંદણ નિયંત્રણ માટે બે કતાર વચ્ચે હળવું ખેડાણ કરવું યોગ્ય છે. અંદાજે ૧૦૦ થી ૧ર૦ ટન પ્રતી હેકટર પ્રતિ વર્ષ મોરિંગાની ખેતી વડે લીલાચારાનું ઉત્પાદન મેળવી શકાય છે.






