
એ આઈ ને બુદ્ધિમત્તા આવી જાય તો શું થાય તે વાતનો એક દાખલો તમને કહું વૈજ્ઞાનિકોને બધાને ડર છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઈ લે તો શું થાય? એટલેજ એઆઈ અને ચેટ જીપીટીથી આખી દુનિયાને મૂંઝવણ છે કે કામ સરળ કરવાની નવી રીત તો આપણને મળી પણ ખુબ ઝડપથી પોતાનામાં સ્વયં બદલાવ લાવીને પોતે વિકસિત થઇ રહી છે તે જો એટલા વિકસિત થઇ ગયા તો આપણું શું થશે? તેતો સમય જ કહેશે વર્ષોથી શિક્ષકો વિદ્યાર્થીઓને બુદ્ધિ તીક્ષ્ણ કરવા માટે શતરંજ રમવાની સલાહ આપતા. શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન ગેરી કાસ્પરોવ. અને કોમ્પ્યુટર વચ્ચે શતરંજ રમાઈ અંતે, શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન એ દિવસે એક કમ્પ્યૂટર સામે હારી ગયો. બોલો . આવતા વખતે કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે ડ્રાઈવર વગર ના ટ્રેક્ટરની અને કારની વાત કરશું .























