તમે AI ટેકનોલોજીની શ્રેણીમાં છો

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય ધ્યેય છે “to solve death” , મૃત્યુને ટાળવું. ગૂગલના વૈજ્ઞાનિક બિલ મારીસે ૨૦૧૫માં કહ્યું કે, “જો તમે મને પૂછો કે પ૦૦ વર્ષ સુધી જીવી શકાય? તો મારો જવાબ “હા” છે.” મૃત્યુને માત આપતા અનેક પ્રોજેક્ટમાં ગૂગલ પોતાના ૨ બિલિયન ડૉલરનું રોકાણ કરી રહી છે. હવે એ તો માનવું પડે કે જ્યારે આટલી મોટી કંપની પોતાના અબજો રૂપિયા “મૃત્યુને ટાળવા”ના પ્રોજેક્ટમાં રોકતી હોય તો વાત ખૂબ જ ગંભીરતાથી થઈ રહી છે. આવતા દસકામાં આ અંગે આપણને વધુ જાણવા મળશે .વિજ્ઞાન કેવું કેવું હટકે વિચારે છે તેની વાત હવે પછી કરશું .પહેલા ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી કેમ થશે ? તેની વાત…..

વધુ વાંચો>>>>

શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન કમ્પ્યૂટર સામે હારી ગયો.

એ આઈ ને બુદ્ધિમત્તા આવી જાય તો શું થાય તે વાતનો એક દાખલો તમને કહું વૈજ્ઞાનિકોને બધાને ડર છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઈ લે તો શું થાય? એટલેજ એઆઈ અને ચેટ જીપીટીથી આખી દુનિયાને મૂંઝવણ છે કે કામ સરળ કરવાની નવી રીત તો આપણને મળી પણ ખુબ ઝડપથી પોતાનામાં સ્વયં બદલાવ લાવીને પોતે વિકસિત થઇ રહી છે તે જો એટલા વિકસિત થઇ ગયા તો આપણું શું થશે? તેતો સમય જ કહેશે વર્ષોથી શિક્ષકો વિદ્યાર્થીઓને બુદ્ધિ તીક્ષ્ણ કરવા માટે શતરંજ રમવાની સલાહ આપતા. શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન ગેરી કાસ્પરોવ. અને કોમ્પ્યુટર વચ્ચે શતરંજ રમાઈ અંતે, શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન એ દિવસે એક કમ્પ્યૂટર સામે હારી ગયો. બોલો . આવતા વખતે કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે ડ્રાઈવર વગર ના ટ્રેક્ટરની અને કારની વાત કરશું .

વધુ વાંચો>>>>

એ આઈ પાસે બુદ્ધિ ક્ષમતા આવી જશે તો શું થશે?

આ નવી ટેક્નોલોજીમાં મનુષ્ય ઓછું કામ કરવા માંગે છે એટલે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે ઓટોમેટિક મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો કરવા લાગ્યાં. આનાથી ઉત્પાદન ખૂબ જ વધ્યું, કામમાં ઝડપ આવી અને માણસને પારાવાર શરીરશ્રમમાંથી મુક્તિ મળી. ૨૧મી સદીના પ્રથમ બે દાયકાઓ દરમિયાન માણસ ધીમે ધીમે પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ મશીન (કમ્પ્યૂટર)ને આપી રહ્યો છે. ઉદાહરણ તરીકે કેલ્ક્યુલેટર. એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હાલ પૂરતું માણસની ચૈતસિક ક્ષમતાઓ સુધી પહોંચ્યું નથી, પરંતુ એ ક્યારેય એ કામ નહીં કરી શકે એવું પણ કહી શકાય નહીં. કૃષિ વિજ્ઞાન મેગેઝીન તમે કહે છે કે તમેજ કલ્પના કરો કે એક રોબોટ માં પોતાની રીતે વિચારવાની ક્ષમતા આવી જશે તો શું થશે ? તમને જેમ ચિંતા થઇ તેવી ચિંતા , બધા ને છે .

વધુ વાંચો>>>>

ખેતીમાં નવું વિજ્ઞાન આવી ગયું છે તૈયાર થઈ જાવ

તમને આશ્ચર્ય થશે કે આજે બાળકો જે કંઈ પણ શીખી રહ્યાં છે તેમાંનું મોટાભાગનું ૨૦૫૦ સુધીમાં અપ્રસ્તુત બની જશે. બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે એવું શીખવી રહ્યા છીએ જેની ભવિષ્યમાં કોઈ જરૂરિયાત નહીં હોય. વર્તમાન સમયમાં મોટાભાગની શાળાઓ માહિતી ગોખાવવા પર ભાર આપે છે. પણ વિશ્વની મોટાભાગની માહિતી હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એટલે કે સમજોને કે આપણા ડિજિટલ મગજમાં ઉપલબ્ધ છે તમારે આવી માહિતી આપણા જૈવિક મગજમાં ભરવાની શી જરૂર? માણસ અનેક અવતાર લે તો પણ ખૂટે જ નહીં એટલી માહિતી આપણી પાસે છે. આપણે નવી સ્કિલ ઉભી કરવી પડશે , સાચું શીખવું પડશે અને જૂનું ભૂંસવું પડશે અને કુદરત સાથે જોડાઈને આનંદ કરતા કરતા ખેતીના વિજ્ઞાનને પચાવીને નવી ટેક્નોલોજીને તમારી જમીનમાં ઉતારવી પડશે અને ખેતી માં વિજ્ઞાન યુગ લાવવો પડશે .ખેતીમાં વિજ્ઞાન આવી ગયું છે તો તૈયાર થઇ જાવ

વધુ વાંચો>>>>

ત્રણ શક્તિ વિજ્ઞાનની મુઠ્ઠીમાં આવી ગઈ છે.

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને આ વિજ્ઞાનની અદભૂત દુનિયાની વાત માં એટલો રસ પડ્યો છે કે બધા આશ્ચર્યચકિત થઈને વાંચી રહ્યા છે. તમને ખબર છે કે સદીઓથી દૈવી-શક્તિનો એક અર્થ એવો કરવામાં આવ્યો છે કે જેમાં આ ત્રણ શક્તિ માટે આ દેવી શક્તિ સર્વશક્તિમાન છે: (૧) ખેતી માટે વરસાદ લાવવા અથવા તો અટકાવવા માટે (૨) જીવલેણ રોગોથી રક્ષણ મેળવવા માટે અને (૩) સંતતિની પ્રાપ્તિ માટે. આપણે બધા તેને યાદ કરીયે છીએ પણ, આજે વિજ્ઞાનની ટૅક્નૉલૉજી એટલી તો વિકસી છે કે ઉપરોક્ત ત્રણેય બાબતો હવે વિજ્ઞાન દ્વારા શક્ય બની ગઈ છે . ઉદાહરણ તરીકે, આપણે કૃત્રિમ વરસાદ લાવી શકીએ છીએ અને ધારીએ એ પ્રદેશમાં વરસાદ દ્વારા ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડી શકીએ. એથી પણ આગળ, આપણે હવે. મોડિફાઈડ—ક્રોપ દ્વારા ઓછા રોગ લાગે તેવા વિટામિન વાળા ફળોની ખેતી કરી શકીએ છીએ. હવે બાળકો પેદા કરવા મોટા શહેરોમાં આઇવીએફ સેંટર ખુલી ગયા છે . આપણે ત્યાં આવેલો કુદરતી વરસાદ તમને કેટલો લાભ દાયક રહ્યો ? દુબઈમાં સિડિંગ દ્વારા વરસાદ લાવવામાં આવ્યો હતો તે તમે વાંચ્યું હશે .

વધુ વાંચો>>>>

નવી દુનિયા કેવી હશે ? ખેતીમાં શું નવું થશે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા વિજ્ઞાન અને નવા સંશોધનની વાત ચાલે છે ત્યારે આ પણ જાણોકે દુનિયા ક્યાંની ક્યાં જઈ રહી છે , અમેરિકાના ઇલોન મસ્ક નામના ઉદ્યોગપતિએ મનુષ્યના મગજમાં કોમ્પ્યુટરની નાનકડી ચિપ્સ લગાવવાની વાત માં રસ પડ્યો છે .આજે લગભગ ૪૦,૦૦૦ અમેરિકનોનાં મગજમાં આવી ચિપ લગાવેલી છે.. ઈલોન મસ્કને તો ૧૫૮ મિલિયન ડૉલર્સ રોકીને કંપની સ્થાપી જેનું નામ છે Neuralink. જે ભવિષ્યમાં આપણાં સૌનાં મગજ માટે ચિપ બનાવશે. માત્ર, કલ્પના કરો કે બાળકોને આવી ચિપ લગાવીને દેવામાં આવે અને શાળાનો બધો જ અભ્યાસક્રમ , પાઠયપુસ્તકો અને સંદર્ભસાહિત્ય જે જે ભણવાનું છે તે બધું આ મગજની ચિપ્સમાં ડાઉનલોડ કરી દઈએ તો? શું શાળાની જરૂર રહેશે? આવતો સમય કંઈક આવો આવવાનો છે. અને ખેતીમાં પણ કેટલુંય નવું થવાનું છે તેની વાત હવે પછી ….

વધુ વાંચો>>>>

ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો દુઃખી થઈ જાય છે . શા માટે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે, નવી દુનિયા કેવી હશે અને, વિજ્ઞાન અને એઆઈ – કૃત્રિમ બુદ્ધિમત્તા, કેવા કેવા રૂપો લેવાની છે અને, આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે, તેની વાત કરીયે છીએ .આપણે સુખને જો જૈવિક રીતે જોઈએ તો, આપણી અપેક્ષાઓ અને સુખ બંનેનો આધાર, બહારની કોઈ પરિસ્થિતિ પર નહીં, આપણી અંદરની બાયોકેમિસ્ટ્રી પર રહેલો છે. અત્યારના વિજ્ઞાન પ્રમાણે સુખ અને દુઃખ, આપણા શરીરમાં થતાં સંવેદનો જ છે. આપણે આપણા શરીરમાં ઉદ્ભવતાં, સંવેદનોને જ પ્રતિક્રિયા આપીએ છીએ. એટલે કોઈ ખેડૂતનો પાક, નિષ્ફળ જાય તો એ દુઃખી થઈ જાય છે. શા માટે ?. પાક નિષ્ફળ જવાથી, ડિપ્રેશન અનુભવાય; આ ડિપ્રેશન શરીરમાં ઉદ્ભવતા, એક સંવેદનનું નામ છે. અને એવું જ વધુ ભાવ મળે, તે વખતે જે આનંદ થાય તેનું છે. જો સુખ અને દુ:ખ બાબતમાં, આજનું વિજ્ઞાન સાચું હોય તો, વૈશ્વિક શાંતિ અને વ્યક્તિગત સુખ માટે આપણે, માનવશરીરની બાયોકેમિસ્ટ્રી સમજવી પડશે. ધીમે ધીમે માણસને પોતાના સંવેદનો પર કાબૂ મેળવવો છે,—જ્યારે ઇચ્છીએ ત્યારે દુઃખ થી છુટકારો અને, સુખ મળવું જોઈએ!. બોલો છે ને નવી શોધ.

વધુ વાંચો>>>>

નવી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા પડશે

જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ એક ફિક્સ ટાઇપની ખેતી પદ્ધતિને કે નોકરીને જ વળગી રહેશે તો તેનો જીવનનિર્વાહ તો કદાચ ચાલી પણ જાય, પણ તે ખેડૂત દુનિયાથી ઘણો પાછળ રહી જશે. હવે લડાઈ પ્રસ્તુત રહેવાની છે—સતત. એટલે કે સતત અનુકૂલન સાધવું એ સૌથી અગત્યનું કૌશુલ્ય બની રહેશે. આપણી શાળા-કૉલેજોમાં આપણે અનુકૂલન કેમ સાધવું એ ભણાવવું પડશે ?! અને આપણે ખેડૂતોએ પણ ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા પડશે .કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા રહેશો તો આવી માહિતી તમને મળતી રહેશે .

વધુ વાંચો>>>>

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

વધુ વાંચો>>>>

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

વધુ વાંચો>>>>

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે

વધુ વાંચો>>>>
Enable Notifications OK No thanks