
જૂન ૧૯૭૮ વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (૧)પીઠ ( બઝાર) પકવનારના હાથ માં હોવી જોઈએ
(૨) આપણી પ્રારબ્ધવાદી મનોદશાની વાત
(૩) ખેતી જેવા ઉત્તમ ધંધાને આપણે ખેડુતોએ પણ હલકા ગણવા માંડયાં છીએ.
(૪) શ્રમજીવી ખેડુતની સમાજમાં આબરૂ નથી.
આજે પાંચમી વાત ખેતીનો ધંધો જ સંપૂર્ણ કુદરત નિષ્ઠા નો ધંધો છે અને તેવી સાનુકૂળતા આપે છે. વરસાદ નથી હે ભગવાન ! વરસાદ લાવજે. વધુ વરસાદ છે ? હે મારા વાલા ! હવે ખમૈયા કરી જા. ઠંડી સખત પડે છે ? હિમ ન પડે તેવી પ્રાર્થના કરે છે. સાંતી જુતે ત્યારે પણ પ્રથમ ગણપતિનું નામ લે છે. આમ હાલતાં ને ચાલતાં-ડગલેને પગલે ખેડૂત ઈશ્વરને કહો કે કુદરતને યાદ કરે જ છે જયારે શહેરમાં કારખાનાં કે વેપારમાં કે ઉદ્યોગોમાં ભગવાનને યાદ કરવા જ પડે એવું કશું નથી ઉલટું એમાં જે કંઈ મેળવે છે તે પોતાની આવડતથી મળ્યું છે એમ સમજીને એના ગૌરવમાં રાચે છે. આમ શહેરો કૂદરતથી વેગળા પડે અને ગામડાં કુદરતની વધુ નજીક રહે તેવી ખેતીના ધંધાનાં પરિસ્થિતિ છે.























