aries agro

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો.

આ જીવાતના નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા.

ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. (પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાઉડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧% ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈની ભૂંગળીમાં એક ચપટી જેટલી માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે.

વધુ ઉપદ્રવ હોય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી ૬ ગ્રામ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિ.લી. અથવા થાયોમેથોકઝામ ૧૨.૬% + લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫ % ઝેડસી ૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪% દાણાદાર કીટનાશક ૨૦ કિ.લો. પ્રતિ હેક્ટર પ્રમાણે છોડની ભૂંગળીમાં આપવી અને ત્યારબાદ ૧૫ દિવસે બીજી વખત માવજત આપવાથી પણ સારા પરિણામ મળે છે.• આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં એટલે કે મકાઈ ૨૫-૩૦ દિવસની થાય ત્યારે વિષ પ્રલોભિકા (૧ એકર માટે ૧૦ કિ.ગ્રા. ડાંગરની કુશકી/ મકાઈનો લોટ + ૨ કિ.ગ્રા. ગોળ + ૧ લિટર પાણી + ૧૦૦ ગ્રામ થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી) ભૂંગળીમાં આપવી. આ વિષ પ્રલોભિકા બનાવવા ગોળને ૧ લિટર પાણીમાં ઓગાળી તેને ૧૦ કિ.ગ્રા. ડાંગરની કુશકી/મકાઈના લોટમાં ૧૦-૧૨ કલાક ભેળવવું અને માવજાતમાં ઉપયોગ કરતાં પહેલાં તેમાં ૧૦૦ ગ્રામ થાયોડીકાર્બ બનાવેલ પ્રલોભિકામાં ઉમેરી બરાબર ભેળવવું.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીવાત : રાઇના પાકમાં આવતી માખીનું નિયંત્રણ

રાઇના પાકમાં આવતી માખી ઉપદ્રવની શરૂઆતમાં ઇયળોને હાથથી વીણી લઇ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. ક્વિનાલફોસ 30 મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુ વાંચો....

ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં

વધુ વાંચો....

જીવાત : વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ વિષે જાણો

વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ ઉપદ્રવની શરૂઆતના સમયે લેકાનીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ

વધુ વાંચો....

જીવાત : ડૂંગળી અને લસણની થ્રિપ્સ

ખેતરમાંથી ઘાસ અને નીંદણ દૂર કરવું. રોપતી વખતે ચાસમાં કાર્બોફયૂરાન ૩ જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આ૫વુ. આ જીવાત તેની કોશેટા અવસ્થા જમીનમાં ૫સાર કરતી હોવાથી અવાર-નવાર જમીનમાં પાકમાં નિયત સમયાંતરે ગોડ કરવો.

વધુ વાંચો....

જીવાત : કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ

કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ નિયંત્રણ માટે પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર કરી શકાય. બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ વધુ ઉપદ્રવ વખતે નોવાલ્યૂરોન ૧૦ ઇસી

વધુ વાંચો....

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો  સારૂ બાળીને નાશ કરવો.  કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો.  ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને

વધુ વાંચો....

જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો

ચણા અને તુવેરમાં લીલી ઇયળનું નિયંત્રણ માટે નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ

વધુ વાંચો....

જીવાત : મરી મસાલાના પાકોની મોલો અને થ્રિપ્સ

દિવેલી અથવા લીમડાનો ખોળ ૧ ટન પ્રતિ હેકટરે જમીનમાં ભેળવવો. નવેમ્બરના પ્રથમ પખવાડીયા સુધીમાં વાવણી કરવી હિતાવહ થાયોમેથોક્ઝામ . ડબલ્યુએસ ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપીને વાવવાથી મેથીમાં મોલો અને તડતડિયાં સામે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks