aries agro

આધુનિક કીટનાશક એફિકોન કીટનાશકો પાકના ઉત્પાદન અને ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકતી જીવાતોના વ્યવસ્થાપનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે, પરંતુ કીટનાશકોના વ્યાપક અને અવિવેકી ઉપયોગને કારણે જીવાતો દ્વારા કીટનાશકો સામે પ્રતિકારકતા કેળવાય છે, એટલું જ નહીં પણ જીવાતોનું પુનરુત્થાન અને કીટનાશકોના ઝેરી અવશેષ રહી જવાની સમસ્યાઓ પણ નોંધાઈ છે. આ બધા પ્રશ્નોના મહ્દઅંશે ઉકેલ માટે જુદા-જુદા કીટનાશકો દ્વારા જીવાતને મારવાની પ્રણાલીમાં ફેરફાર કરીને નવા નવા સંશોધન સતત થઈ રહ્યા છે. તાજેતરમાં જ આવું એક સંશોધન બીએએસએફ ઈન્ડિયા લિમિટેડ, મુંબઈ દ્વારા કીટનાશક ડિમ્પ્રોપાયરીડાઝની રજૂ કરવામાં આવી છે. કીટનાશકનું તાંત્રિક નામ : ડિમ્પ્રોપાયરીડાઝ ૧૨૦ ગ્રામ સક્રિય તત્વ/લિટર એસએલ સ્વરૂપ : સોલ્યૂબલ લિક્વિડ (એસએલ) કીટનાશકનું વ્યાપારી (બજારું) નામ : એફીકોન (બીએએસએફ ઈન્ડિયા લિમિટેડ, મુંબઈ ) આ કીટનાશક શોષક પ્રકારની પ્રકૃતિ ધરાવે છે જે પાનની ઉપર અને નીચેની તરફ (ટ્રાન્સલેમિનાર) એક સરખી રીતે પ્રસરે છે અને તે છોડની પેશીઓ દ્વારા શોષાઈને છોડના અંદરના દરેક ભાગમાં પ્રસરણ પામે છે. આમ, આ કીટનાશક પાનની ઉપર અને નીચેની બાજુએ રસ ચૂસીને નુકસાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતો તથા છોડના કોઈપણ ભાગમાં નુકસાન કરતી હોય તેવી જીવાતોને ત્યાં પહોંચીને મારે છે. આમ, ડિમ્પ્રોપાયરીડાઝ એ તેની અનોખી કાર્યપ્રણાલી, વાયરસજન્ય વાહકોને મારવાની ક્ષમતા, વિવિધ ફૂગનાશકો અને વૃદ્ધિપ્રેરકો સાથેની સુસંગતતા, પરાગનયન કરતા કીટકો, પરજીવીઓ અને પરભક્ષીઓ જંતુઓ સામે અનુકૂળ રહે તેવા ગુણધર્મોને લીધે સંકલિત જીવાત વ્યવસ્થાપનના એક ઘટક તરીકે ખૂબ જ અગત્યનું કીટનાશક છે શ્રી કિરપાલ વી. ચૌધરી – ડૉ.આર. કે. ઠુમર- ડૉ. ડી. બી. સિસોદિયા, કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ૩૮૮૧૧૦ ફોન : (મો) ૯૪૨૮૪ ૮૬૪૪૫

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

પાયાના પોષણ : માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા

માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: સ્વ-શુદ્ધિકરણ તરફનું પ્રથમ પગલું શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બીજ અંકુરિત થાય છે તે માટી પોતે જ બીમાર હોય તો પાક

વધુ વાંચો....

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં

વધુ વાંચો....

મગફળીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર

વધુ વાંચો....

ડાંગરનો પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ અને 60 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં પાકમાં ભલામણ મુજબ જભેળવી છંટકાવ કરવો. નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.

વધુ વાંચો....

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે.

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો  સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો  સુકારા માં

વધુ વાંચો....

મકાઇના પાનનો સૂકારો

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર

વધુ વાંચો....

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

વધુ વાંચો....

ડાંગરનો કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 10 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મિલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫- ૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks