
છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :
૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય છે. ૧૫ લિટરના એક પંપમાં ૪૫૦ મિ.લી. પંચગવ્ય વાપરવું. પંપથી છાંટતી વખતે દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાવાળી વાપરવી.
પંચગવ્ય અને બીજ સારવાર :
પંચગવ્યના ૩% દ્રાવણનો ઉપયોગ બીજને પલાળવા અથવા રોપતા પહેલા રોપાઓને ડૂબાડવા માટે કરી શકાય છે. ૨૦ મિનિટ માટે પલાળવું પૂરતું છે. પિયતના પાણી સાથેઃ પંચગવ્યના દ્રાવણને ૫૦ લિટર પ્રતિ હેક્ટરના દરે સિંચાઈના પાણીમાં ટપક સિંચાઈ અથવા પિયતના પાણી સાથે મિશ્રિત કરી આપી શકાય છે.




























