
એરંડાના પાકમાં સુકારાના લીધે ધણું મોટું નુકશાન થતું હોયછે, જેમાં છોડ ઊભા ને ઊભા સુકાઈ જતા હોયછે. ખાસ કરીને પાક ફેરબદલી ન કરતા ખેડૂતોને આ સમસ્યા વધુ નડતી હોય છે. ડભોઈ તાલકુાના સેજપુર ગામના મોહનભાઈ શનાભાઈ પટેલ એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણ માટે ધતુરાના રસનો ઉપયોગ કરે છે. ખેડૂતના જણાવ્યા મુજબ , દિવેલાની વાવણી પહેલાં બીજને ધતૂરાના રસનો પટ આપી ૨૪ કલાક છાંયડાંમાં સૂકવી વાવેતર કરવાથી સુકારાના રોગમાં ફાયદો થાય છે. વળી, આ પદ્ધતિ અજમાવવાથી છોડની વૃદ્ધિ સારી જણાઈ છે અને પાક ઊગ્યાના ૨૫-૩૦ દિવસ સુધી રોગમુકત પણ રહે છે. આ પદ્ધતિ પરંપરાગત રીતે જ વડીલો પાસેથી શીખ્યા છીએ. ગામમાં બહુ ઓછા લોકો આ પદ્ધતિ જાણે છે. આ પદ્ધતિમાં સાવચેતી એ રાખવાની હોય છે કે ધતૂરાનો રસ કાઢ્યા પછી અને વાવણી બાદ હાથ સાબુથી સારી રીતે ધોઈ નાખવા જરૂરી છે.






















