
પરાગનયન પ્રક્રિયા એટલે નર પરાગરજ માદા ફૂલો સુધી પહોંચે અને ફ્લીનીકરણ થાય જે આખરે ફ્ળમાં પરિણમે છે. ખારેકમાં પરાગનયન કુદરતીરૂપે ખુબજ ઓછુ થાય છે માટે ખારેકનું વ્યાપારીક ઉત્પાદન મેળવવા કૃત્રિમ પરાગનયનની ક્રિયા કરવામાં આવે છે. ખારેકમાં પરાગનયન કરવામાં ન આવે તો ફળ નાના તેમજ ઠળીયા વગરના થાય છે. આ ફળ પાકતા નથી અને તેમાં મીઠાશ પણ આવતી નથી. સારો નર પહેલા પુષ્પન્યાસ કાઢી પહેલા પરિપક્વ થવો જોઈએ. તેની પરાગરજ ઘણા જ ઝીણા પાવડર સ્વરૂપે હોવી જોઈએ. તેના ફૂલો એકબીજા સાથે ચુસ્તપણે ગોઠવાયેલા હોવા જોઈએ. નરનો હાથો મધ્યમ કદનો અને પૂરતા જથ્થામાં પરાગરજ આપે તેવો હોવો જોઈએ.










