
આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,
૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે જમીન, પાણી, ખાતર અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. એકમ વિસ્તાર અને સમયમાં ઉત્પાદન અને આવક વધારવાનો આશય મુખ્ય છે.
૨. જમીન પરના આવરણની સ્થિતિમાં સુધારો થવાથી જમીનનું ધોવાણ ઓછું થાય છે.
૩. નિંદામણથી રાહત મળે છે.
૪. એકમ જમીન વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મળે છે.
૫. આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાક લેવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.


























