aries agro

તમે કૃષિ માહિતીની શ્રેણીમાં છો

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં વેલા જમીનથી ઉંચા રહેતા હોવાથી સૂર્ય પ્રકાશના સીધા સંપર્કમાં તો આવે

વધુ વાંચો>>>>

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના કિસ્સામાં ૩.૭૫ સેમી (૧.૫) કદના ૧૮૭ ખાનાની પ્લાસ્ટિક ટ્રે જરૂરી છે, જ્યારે લેટસ, ફુલકોબી,

વધુ વાંચો>>>>

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી રીતે સડેલા ખેતરના કચરાનું ખાતર/છાણિયું ખાતર સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. આ

વધુ વાંચો>>>>

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ અંકુરણ થાય ત્યાં સુધી બીજના કયારાને આવરણ કરવું. • તાપમાન અને ભેજ જાળવવા, વરસાદના

વધુ વાંચો>>>>

આવું થાય ખરું ?

અગાઉ કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે. તે વાત કરી હતી તે વિષે આગળ વાત કરીએ તો આવું થાય ખરું ? ફિલિપાઈન્સનો દાખલો લઈએ IRRI ના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ જુહાર અલી કહે છે કે IRRIના ટુ-લાઇન રાઈસ હાઇબ્રિડ પ્રોગ્રામ હેઠળ વિકસિત, M-120

વધુ વાંચો>>>>

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું પ્રમાણપત્ર પશુની ખરીદી કરવામાં આવેલ હોય તો તેની રસીદ

વધુ વાંચો>>>>

ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ

આપણી ખેતીમાં ઘણા રોગો અટકાવવા ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ . ખેતીમાં વપરાતા મોટા મશીનો (ટ્રેક્ટરના ટાયર, હળ) ને ખેતરમાં પ્રવેશતા પહેલા અને કામ પૂરું થયા પછી સાફ કરવા પડશે .હવે પાકની ફેરબદલી (Crop Rotation) કરવી પડશે .એક જ જગ્યાએ વારંવાર ટામેટા કે

વધુ વાંચો>>>>

એક ખેતરમાંથી બીજા ખેતરમાં નવા રોગો ફેલાવી શકે છે.

આપણને ખબર છે કે ખુલ્લા ખેતરમાં મજૂરો એક હરોળથી બીજી હરોળમાં સતત ફરતા હોય છે, જે વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ બને તો ખરી મુશ્કેલી આવી શકે. આપણે સાધનોનો પણ સહિયારો ઉપયોગ કરીયે છીએ ત્યારે આપણા ટ્રેક્ટર, હળ, અને કાપણીના સાધનો વગેરે જો યોગ્ય રીતે સાફ ન

વધુ વાંચો>>>>

ટામેટા અને મરચાં ToBRFV નવો વાયરસ ! શું આનિયંત્રણ આપણે કરી શકીશું ?

આ નોંધો,  યુરોપની જેમ ToBRFV (ટોમેટો બ્રાઉન રુગોઝ ફ્રૂટ વાયરસ) ગ્રીન હાઉસનો વાઇરસ ઓપન ફિલ્ડમાં ઉગાડતા ટામેટા અને મરચાંની ખેતી માટે પણ ગંભીર ખતરો ભવિષ્યમાં આપણે ત્યાં ઉભો કરી શકે  છે કારણ કે આ વાઇરસ અન્ય સામાન્ય વાયરસની જેમ  મોલો-મશી અથવા સફેદ માખી દ્વારા ફેલાતા નથી

વધુ વાંચો>>>>

પાંદડાની વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન અને …

પાંદડા પર ડાઘ / પેશીઓનો નાશ (નેક્રોસિસ)નું કારણ ફૂગ/બેક્ટેરિયલ ચેપ અથવા પોષક તત્વોનું અસંતુલન. મેન્કોઝેબ / કોપર ઓક્સિક્લોરાઇડ / કાર્બેન્ડાઝિમનો છંટકાવ કરો. છોડ પર ઉપરથી પાણી છાંટવાનું ટાળો. સંતુલિત પોષણની ખાતરી કરો. પાંદડાની  વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન, જમીનનું સખત થવું, જમીનનું નબળું

વધુ વાંચો>>>>

નર્સરીમાં બીજ વાવવા પહેલાં જમીનની શું માવજત કરવી ?

જમીનમાં હાનિકારક જીવાતો, તેમના ઇંડા, ઇયળ અને કોશેટા, રોગના બીજકણ, ફૂગ, બેકટેરિયા, નેમાટોડ્સ અને નીંદણના બીજ પણ હોય છે, જે રોપાઓના વૃદ્ધિ અને વિકાસને વધુ અસર કરે છે. રાસાયણિક અને સૌર માવજત દ્વારા પણ હાનિકારક વસ્તુઓને દૂર કરી શકાય છે. ધુમાડો ઉત્પન્ન કરતા મશીનની મદદથી અથવા

વધુ વાંચો>>>>

અવલોકનની કળા એટલે કે સ્કાઉટીંગની કુનેહ

છોડની સમસ્યાઓનું  સાચું નિદાન = સાચી સારવાર = વધુ ઉત્પાદન. તમારા ગામમાં એક ખેડૂત જરૂર એવો હશે જે પ્રતિવર્ષ પોતાની ખેતીમાં સફળતા મેળવતો હશે અને પાછો જે પાક વાવે તેમાં તે નફો કમાતો હશે . આ ખેડૂત પાસે કયો મંત્ર હશે  ? મિત્રો એ મંત્ર છે

વધુ વાંચો>>>>

ખેત પેદાશોનું વર્ગીકરણ (ગ્રેડિંગ)

ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દરેક પાકમાં ત્રણથી ચાર ગ્રેડ સુનિશ્ચિત કરવામા આવ્યા છે. જો ખેડૂતમિત્રો આ ધારા ધોરણોના આધારે ગ્રેડિંગ કરે તો વધુ ભાવ મળવાની શક્યતા પ્રબળ બને છે. હાલમાં ગ્રેડિંગ અને સ્ટાન્ડરડાઇઝેશનની સુવિધા વધારવાની જરૂર છે. ઉપરાંત, ખેડૂત મિત્રો

વધુ વાંચો>>>>

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના ફાયદા

એકમ વિસ્તાર દીઠ મોટી સંખ્યામાં છોડ ઉગાડીને જાળવી શકાય છે. કોઈપણ બગાડ વિના કિમંતી અને ખૂબ નાના બીજમાંથી અસરકારક રીતે રોપ ઉછેરી કરી શકાય छे જૈવિક અને અજૈવિક પરિબળો સામે રોપાઓને રક્ષિત કરી શકાય છે. નર્સરીમાં રોપાઓની સંભાળ સારી રીતે રાખી શકાય છે. નર્સરી વિસ્તાર નાનો

વધુ વાંચો>>>>

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની સપાટીથી ૧૫-૨૦ સે.મી.ની ઊંડાઈ સુધી ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ કરી ભીંજવામાં આવે છે જે માટે ચો.મી. દીઠ ૪-૫ લિટર દ્રાવણની જરૂરિયાત રહે

વધુ વાંચો>>>>

મૂલ્યવર્ધન અપનાવવું પડશે

આપણા દેશમા ખાદ્ય પાકોમા ૧૨ થી ૧૫% અને ફળ-શાકભાજીમા ૨૦ થી ૩૦% જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત આપી અને મૂલ્યવર્ધન દ્વારા ખેત પેદાશોથી થતું નુકશાન ઘટાડી શકાય અને ઊંચા ભાવ મેળવી, વધુ સારી આવક મેળવી શકાય છે. જે માટે નીચેના મુદ્દા દયાને લેવા

વધુ વાંચો>>>>

ખેત પેદાશનો સંગ્રહ :

સામાન્ય રીતે ખેડૂત મિત્રો જોતાં હોય છે કે, કાપણી બાદ ખેત પેદાશોના ભાવ નીચા જતા રહેતા હોય છે. બજારમા માંગ કરતાં પુરવઠો વધતા આવું થતું હોય છે. જો ખેડૂતભાઈઓ પોતાની ખેત પેદાશોનો વધુ ભાવ મેળવવા માંગતા હોય તો તેમનો સંગ્રહ કરવો જરૂરી છે. આ સાથે સંગ્રહ

વધુ વાંચો>>>>

કૃષિ યાંત્રિકરણના લાભો

ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં કૃષિના કામો સમયસર પૂરા કરવા માટે યાંત્રિકરણની જરૂરિયાત ઊભી થયેલ છે. જોકે આપણા ખેડૂતો પાસે ખેતરોના નાના નાના એકમો થઈ રહેલા

વધુ વાંચો>>>>

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક પદાર્થ તરીકે પુરવાર થાય છે. જમીનમાં સિલિકોનનો બિનઆયોનિક પ્રકાર સેલિસિલિક એસિડ સ્વરૂપે જાેવા મળે

વધુ વાંચો>>>>

ખેતી ખર્ચ કેમ ઘટાડવો ?

હાલના સમયમા ખેડૂતભાઈઓની મોટી તકલીફ એ છે કે, ખેતી ખર્ચ વધતો અને નફો ઓછો થતો જાય છે. ખેતી ખર્ચ ઘટાડવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાને રાખવા. • ખેતી ખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જોઈએ. • વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો

વધુ વાંચો>>>>

શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ?

ખેતી શહેરમાં રહીને કરી શકાય ખેતી શહેરમાં રહીને પણ કરાય તો ખરી, પણ એ સાંઢિયે ચડીને છાણાં વિણવાં જેવું ગણાય ! જો આનંદથી અને સંતોષી જીવન જીવવું હોય તો ખેતી ગામડાંમાં રહીને જ કરાય. કારણ કે ખેતી એ વ્યવસાય જ ગામડાંનો છે. શહેર અને ગામડું બન્નેની

વધુ વાંચો>>>>

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ?

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન આજે અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ-બાગાયત-ગોપાલન-વનવિદ્યા જેવી બાબતોમાં પણ ઓછા ખર્ચે વધારે આવક મળી રહે અને ખેતીને કેમ રળતી-નફો કરતી કરી શકાય તેવા સંશોધિત બિયારણો પદ્ધતિઓ ની જાણકારી આપણા મન-મગજમાં ઘૂસવા જ ન દઈએ તો એ બધી વિગતો આપણી ખેતીની બરકત લાવવામાં કેમ

વધુ વાંચો>>>>

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ? ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો હોય કે તળાવડી, મશીન હોય કે ટ્રેક્ટર-બધા નીરખવાની એક અનેરી રીત હોય છે, એક ખાસ ભાષા હોય છે. પાણી વિના લંઘાતો

વધુ વાંચો>>>>

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને પસાર થવું પડે છે તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? છોડની વૃદ્ધિ વિકાસ અને ઉપજ આપવા માટે જમીન અને પર્યાવરણ

વધુ વાંચો>>>>

શું મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ?

મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ખેતીના પાકોમાં વધારાનો કશો જ ખર્ચ કર્યા વિના માત્ર આ માખીઓની શરીર સાથે ચોટી જતાં પરાગકણો દ્વારા પરાગનયન થતા આપમેળે 20 થી 30 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થઇ શકે છે તેવું તેના તજજ્ઞોનું કહેવાનું છે. “મધુમખ્ખી પાલન” વ્યવસાય તો ખેતીને સંલગ્ન એવા

વધુ વાંચો>>>>

પાકની ઉત્પાદન ક્ષમતાને બહાર લાવવામાં કેવા કેવા પરિબળો કામ કરતા હશે ?

મનુષ્યને વિકસવામાં હુંફ જોઈએ, પોષણ જોઈએ, પ્રેમ જોઈએ, ટાઢ-તડકાને વરસાદ સામે રક્ષણ જોઈએ ટુંકમાં રોટી – કપડા- મકાન ની પ્રાથમિક જરૂરિયાત મેળવે પછી પોતાની બુદ્ધિ, કૌશલ્ય અને સમજણનો સમન્વય કરીને ઉંચાઈઓ આંબી શકે. છોડની આજુબાજુનું પર્યાવરણ અને તેને લગતા વિજ્ઞાનીક ઉપકરણોને આધારે વિદેશ ની ખેતી સમૃદ્ધ

વધુ વાંચો>>>>

સાયલેજ એ શું છે ? એનો ઉપયોગ શું ?

સાયલેજ એ શું છે આમતો લીલાચારાને લીલા સ્વરૂપે સંગ્રહી રાખવો કઠ્ઠણ છે. તેમ છતાં જેમાં કાર્બોદિત પદાર્થો વધારે છે તેવા જુવાર, મકાઇ, ધામણ, ગીનીઘાસ, ઓટ કે શણિયાર જેવા ઘાસને નીંઘલ્યા પછી ફૂલો આવવાની વેળાએ વાઢી લઈ, હવાચૂસ્ત જગ્યામાં રાખી દેવામાં આવે તો લાંબો સમય બગડ્યાં વિનાનાં

વધુ વાંચો>>>>

વાડીમાં આંટો કેવી રીતે મારશું ?

વાડીમાં આંટો ક્યારેક વાડી વચ્ચે ઊભી મોલાતમાં સીધા પાળે કે ત્રાંસા ચાસે ચાલીએ, ક્યારેક ફરતા શેઢે, ક્યારેક ધોરિયે તો વળી ક્યારેક આડા-ઊભા મારગે- એવીરીતે જુદી જુદી જગ્યાએ ચાલવાનું રાખીએ કે જેથી વાડીના કોઇપણ અંગની ઉપેક્ષા થવા ન પામે. દરેકને પોતાની રજૂઆતનો મોકો મળે. એ બધાની મૂશ્કેલીના

વધુ વાંચો>>>>

નર પપૈયાના થડમાં ખીલ્લી મારવાથી ફળો કેમ આવવા માંડે છે ?

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિમાં ફળો લગતા નથી પરંતુ જયારે તમે થડમાં ખીલ્લી કે લાકડાની ફાડ મારવામાં આવે ત્યારે છોડને એકા એક મૃત્યુનો ભય લાગે છે જેના લીધે તેને વંશવેલો જશે કે તેવો ડર લાગે છે અને છોડ નર ફૂલોની વચ્ચે માદા ફૂલ ખીલવે છે આમ તેની

વધુ વાંચો>>>>

જીઆઈએસ નો ઉપયોગ

જીઆઈએસ  ખેતીમાં કુદરતી ઇનપુટ્સને વધુ સારી રીતે સમજવાનું તેમજ તેનું સંચાલન કરવાનું શક્ય બન્યું છે. જીઆઇએસ ટેકનોલોજી નોંધપાત્ર રીતે પાકની અસરકારક ઉપજ કેટલી હશે તે નક્કી કરવામાં, જમીન સુધારણા વિશ્લેષણ હાથ ધરવામાં અને જમીનના ધોવાણની શક્યતા તેમજ તેના ઉપાય માટેની પદ્ધતિઓને અગાઉથી જ ઓળખવામાં પણ મદદ

વધુ વાંચો>>>>

કૃષિ મેપિંગ એટલે શું ?

• કૃષિ મેપિંગ એ જમીનની દેખરેખ, વ્યવસ્થાપન અને ખેતરોની સિંચાઈ માટે દિવસેને દિવસે જીઆઈએસ નિર્ણાયક બની રહ્યું છે. આ ઉપરાંત તે કૃષિ વિકાસ અને ગ્રામીણ વિકાસને સરળ બનાવે છે.ખેતીલાયક જમીનોની ભૌગોલિક વિસ્તારો  અને ભૌગોલિક લાક્ષણિકતાઓનું  સચોટ  મેપિંગ વૈજ્ઞાનિકો અને ખેડૂતોને વધુ અસરકારક અને  ખેતી તકનીક  બનવવા

વધુ વાંચો>>>>

કેવા સંજોગોમાં ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી બને ?

ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી જ્યારે જમીનનો પીએચ આંક, એનું પોત કે પ્રત પ્રતિકૂળ હોય ત્યારે ખાતરનો પાન પર છંટકાવ ખૂબ જરૂરી બને છે.દા.ત. સાડા સાતથી વધુ પીએચ હોય ત્યારે અથવા ‘લોહ’ તત્વની ઉણપ હોય એવે ટાણે હિરાકશીના એક ટકાના દ્રાવણનો છંટકાવ પાન પર કરવાથી લોહની ઉણપ

વધુ વાંચો>>>>

ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ?

ફોલિયર સ્પ્રે એટલે ઊભા પાકમાં પાંદડાં ઉપર દ્રાવ્ય ખાતરોના છંટકાવ કરવાની પધ્ધતિને “ફોલિયર ફર્ટીલાઇજેશન” કહે છે. સંશોધનના તારણો ઉપરથી જણાયું છે કે પધ્ધતિ ખૂબ જ કામયાબ છે. વળી જમીનમાં આપેલ ખાતરોની સરખામણીએ પાંદડાં પર આપેલ ખાતરોની કાર્યક્ષમતા અનેક ગણી-95 ટકા જેટલી ઊંચી માત્રામાં હોય છે ફોલિયર

વધુ વાંચો>>>>

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ?

નિકાસલક્ષી ખેત-પેદાશોમાં તેને નિકાસ કરતાં પહેલાં તેમાં જંતુનાશકોની માત્રા જાળવવી જરૂરી છે. શાકભાજી, ફળ-ફળાદી, અનાજ તેમજ બીજા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કેટલી હોવી જોઇએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નક્કી કરવામાં આવે છે. આપણા દેશમાંથી વિદેશ

વધુ વાંચો>>>>

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ?

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ એ માટે સરક્ષણની નીતિ બદલી નાખીએ. “ભાળો અને ઠાર કરો” ને બદલે “થોભો અને રાહ જૂઓ”ની નીતિ અપનાવીએ. અને કુદરતને કામ કરવાનો ગાળો આપીએ. કેટલાક અહિંસક ઉપાયો આદરીએ, અને અન્ય જીવોની મદદ લઈએ. દા.ત. [૧] બિયારણ જ એવું ખડતલ પસંદ

વધુ વાંચો>>>>

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે એટલાજ પાણીથી ત્રણગણાથી વધુ પિયત કરી શકાય છે [2] રોજેરોજ જરૂરી પાણી મળતું હોવાથી

વધુ વાંચો>>>>

ખેતીમાં નફો વધારવા શું કરવું ?

ખેતીમાં નફો વધારવા જરૂર છે આપણું ધ્યાન “ ખર્ચઘટ ’’ બાબતે કેંન્દ્રિત કરવાની સાચી આવક નફો છે. એ મેળવવા “ખર્ચ” વાળું પલ્લું હળવું કરવાની ચાવીઓ અને અનુભવી ખેડૂતોની કોઠાસૂઝનો ઉપયોગ કરો. કામ મમ-મમનું છે – ટપાકાનું નહીં આપણું લક્ષ ખેતીમાં નફો વધવો જોઇએ એ જ છે.

વધુ વાંચો>>>>

ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી. [3]પીપમાં

વધુ વાંચો>>>>

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે શું?

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે  પુનર્જીવિત ખેતીનો વિચાર આજે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે એટલે આજે તેનો વિચાર કરીયે. શું છે રિજનરેટિવ એગ્રીકલ્ચર?  શું આ ખેતી ખેડૂતો આજથી જ શરૂ કરી શકે? તેવી સરળ પદ્ધતિઓ છે? મિત્રો આ ખેતીનો ઉદેશ છે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્યને જાળવવાની અને સુધારવાની

વધુ વાંચો>>>>

નીંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી

૧. નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. અવધિ – (એકસપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહીં કે ખરીદવી નહીં. ૨. ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જ

વધુ વાંચો>>>>

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ

ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડનું થડ સીધું ટટ્ટાર રહે તે જરૂરી છે. માટે કલમને રોપ્યા બાદ છોડ લગભગ ૧.૦ મીટર ઊંચાઈનો થાય ત્યારે મુખ્ય ડાળીની

વધુ વાંચો>>>>

ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..

* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી. * દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે. * અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે.  * પાક ઉત્પાદનખર્ચ વધી જાય છે. કેટલાક નીંદણોમાં નીંદણનાશક દવાના ઓછા પ્રમાણથી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જેથી તેના નિયંત્રણ માટે

વધુ વાંચો>>>>

કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને ચારે બાજુથી ઓથ મળે. આંબા, ચીકુ, જામફળ, લીંબુ જેવા ઝાડની જમીનને અડીને રહેનારી અને

વધુ વાંચો>>>>

વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો. વાડીપડાની અંદરનાં ઓઘા, ગંજી, કુંજવાં ભરી લેવાનો ગાળો હોય તો સમાઇ શકે તેટલાને કોઢ-વખારમાં

વધુ વાંચો>>>>

દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય તો ? વિજ્ઞાનીઓનું કહેવું છે કે 2/3 ભાગનાં પાંદ ઓછાં કરી લઇએ તો પણ

વધુ વાંચો>>>>

પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાવાથી જે તે કઠોળ પાક ઉપરાંત તેના પછી લેવાતા પાક/આંતરપાક કે મિશ્ર

વધુ વાંચો>>>>

ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ?

હા ! ચોક્કસ સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે ઝાડ રોપ્યું હોય સારી જાત માનીને, પણ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે નીકળ્યું નકામું ! નહીં ફળમાં સ્વાદનો મેળ કે નહીં કદ કે ઉતારામાં ભલીવાર ! મોટાભાગે બોરડી, આંબા, ચીકુ, સંતરા, મોસંબી, આમળા, ગુંદા, આમલી

વધુ વાંચો>>>>

શું ઝાડવાની બીમારી આપણને ભળાય ?

હા, જરૂર ભળાયઝીણી આંખે નિરખીએ તો કોઇ અસરયુક્ત ઝાડનાં ડોકા લંઘાતા ભળાય, કોઇની ડાળીઓ આડી-અવળી થઇ વળેલી કે ભાંગેલી ભળાય, કોઇ ડાળી કે થડની ચામડી ઉતરડાઇ ગયેલી નજરે ચડે, તો કોઈ ઝાડ વળી અકાળે જ બધા પાંદડાં ખેરવી નાખી નર્યા હાડપિંજર રૂપે દેખા દે ! ઝાડવામાં

વધુ વાંચો>>>>

મકાઈ-જુવાર જેવા મોસમી પાકોમાં વધુ મૂળિયાં મુકાવવા હોય તો મુકાવી શકાય ?

તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી

વધુ વાંચો>>>>

ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી, તેને ચીકુની ડાળી સાથે ભેટ

વધુ વાંચો>>>>

ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ?

સીધા ઉપભોક્તાને વેચાણ તેવા પ્રકારની ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીશું તો ખેતી કરવાની હિંમત આવશે . બીજું કે ખેતી તો ટકવાની છે. ખેતી વગર કોઈ આરો નથી, કરોડો લોકોને અનાજ , ફળ , શાકભાજી આપણે જ પુરા પાડીયે છીએ . અનાજ કઈ મશીનમાં નથી પેદા થવાનું .

વધુ વાંચો>>>>

માટીનું પૃથક્કરણ એટલે શું ?

આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની સામે ખૂટતા પોષક તત્ત્વોના પ્રમાણ જાણી શકાય છે. જેથી જરૂરિયાત મુજબ જ ખાતરની ગણતરી

વધુ વાંચો>>>>

શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ ચાલે છે તે કરતા થોડું સસ્તું એટલે કે વ્યાજબી ભાવે નિશ્ચિત વજનના પ્લાસ્ટિકના ઝબલા

વધુ વાંચો>>>>

ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને શક્કરિયાં સુધ્ધાંની સુકવણી થઈ શકે છે.એમાં એવું જરૂર બને કે કોઇ ગુવાર, મરચાં, મોગરી,

વધુ વાંચો>>>>

ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

[1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી ને ચળકતી થઇ જાય. [3] અવાજમાં બદલાવ =તરબુચકે ટેટી જેવાને આંગળીનો ટકોરો મારતા અંદરથી

વધુ વાંચો>>>>

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે દાણના ઘટકોની યોગ્ય પસંદગી કરવી. ૩. જમીનમાંથી થતા કાર્બનના ઉત્સર્જનને ઘટાડીને જમીનમાં સંગ્રહાય તે

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : મૂળ અને વનસ્પતિ

મૂળ અને વનસ્પતિ ધર આંગણાના ફૂલ છોડ હોય/ સીમમાં હવા સાથે વાતો કરતા વૃક્ષો હોય કે ખેતરમાં લહેરાતો ઊભો મોલ હોય, આ બધી વનસ્પતિ મૂળ વગર જમીન પર ટકી શકે ખરી ? મૂળ વગરના છોડ કે વૃક્ષ તમે જોયા છે ? નથી જોયા, ખરુ ને ?

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ પ્રોટેક્શન સ્ટડીઝ, TNAUના જણાવ્યા અનુસાર, ખેડૂતો મોટાભાગે વરસાદની ઋતુ દરમિયાન ટામેટાંના પાકમાં બેક્ટેરિયલ સુકાઈ

વધુ વાંચો>>>>

આંતરપાક પદ્ધતિના લાભ

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે જમીન, પાણી, ખાતર અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. એકમ વિસ્તાર અને સમયમાં

વધુ વાંચો>>>>

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા પાક વિમાને અચૂક ધ્યાને લેવા. • પરંપરાગત તાંત્રિકતાને સમજીને અમલમાં મુકવી. આબોહવા બદલાવની સામાન્ય

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ વિષય પર ૨૧ દિવસનો ICAR-પ્રાયોજિત સેન્ટર ઓફ એડવાન્સ્ડ ફેકલ્ટી ટ્રેનિંગ (CAFT) કાર્યક્રમ શરૂ કર્યો

વધુ વાંચો>>>>

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં ઘઉંમાં દાણા ભરાવવાની અવસ્થાની અવધિમાં ઘટાડો જોવા મળશે. • હવામાનની અસામાન્ય ઘટનાઓ જેવી કે

વધુ વાંચો>>>>

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી?

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી ? તેની હવે વાત કરવી છે ખેતીમાં નવી નવી માહિતી સમયે સમયે આપણે મેળવતી રહેવી પડે એટલે જ આપણા વડવાઓ કહેતા કે પૂછતા પંડિત થવાય ! ખેતી હોય કે કોઈપણ વ્યવસાય જો નવી નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિ, ઉપકરણ

વધુ વાંચો>>>>

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો ઘટક છે. જમીનમાં પૂરતો ભેજ વનસ્પતિ કોષના ટર્ગર પ્રેશર જાળવવા માટે જરૂરી છે. ઉત્સવેદન છોડના તાપમાનનું નિયમન કરે છે જ્યારે ઉત્સવેદનના

વધુ વાંચો>>>>

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ?

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર મોટી મહેર એ ગણાય કે આપણા પર્યાવરણની અંદર વૃક્ષોમાં વિવિધતાનો પાર નથી. જો આપણી

વધુ વાંચો>>>>

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

 જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી શકાય તેવી અને વ્યવહારૂ ટેકનિક છે જે પરાળને સળગતું રોકવા માટે મદદરૂપ થાય છે.

વધુ વાંચો>>>>

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું વધુ પાણી જમીનમાં સંગ્રહ કરવું પડશે. વધુ વરસાદ પડે અથવા વરસાદ બે દિવસ કરતાં

વધુ વાંચો>>>>

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -1

વધુ ભેજસંગ્રહ માટે ઘાસની જીવંત વાડ બનાવવી. ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી. ભારે જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો. આંતરપાક, મિશ્રપાક,પટ્ટીપાક વગેરે આધુનિક પદ્ધતિ અપનાવવી. ખેતર ફરતે પાળા બાંધવા અને જીવંત વાડ બનાવવી. વધારે

વધુ વાંચો>>>>

“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?

જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા મેળવી શકાય છે. બે ફૂટ પહોળા અને 3 ઇંચ ઉંચા બેડ બનાવી ઉપર ત્રણ ચાસે ડુંગળી, લસણ, મૂળા, બીટ અને ગાજરનું

વધુ વાંચો>>>>

કુદરતની કેડીએ : વાવેતરનો હેતુ એક, રીત અનેક

ધરતી પર વરસાદ વરસી જાય કે પછી પિયતનું પૂરતું પાણી મળી જાય એટલે ધરતીના પેટાળમાં સાત સાત વર્ષ સુધી ભલેને ઊગ્યા જ કરેછતાં ન ખૂટે એવા અખૂટ ભરેલા બીજ ભંડારમાંથી પાર વિનાનાં બીજ ઝપાટાબંધ ઊગી નીકળે છે. પણ તે બધાં હોય છે આડેધડ અને અડબાઉ રીતે

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ બનાવવાની રીત (૧૦૦ લિટર દ્રાવણ માટે)

(૧) સામાન્ય રીતે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તેના આગલા દિવસે પ્લાસ્ટિકની ડોલમાં ૧ કિ.ગ્રા.મોરથુંથું પ૦ લિટર પાણીમાં ઓગાળવું આ માટે પ્લાસ્ટીકની ડોલના બદલે માટીનું વાસણ પણ વાપરી શકાય.(૨) બીજા દિવસે એટલે કે છંટકાવના દિવસે પહેલી પ્લાસ્ટિકની ડોલનું મોરથુંથુનું દ્રાવણ તેમજ બીજી પ્લાસ્ટિકની ડોલમાં રહેલ ચૂનાને

વધુ વાંચો>>>>

સમયસર વરસાદ અંગેનું પાક આયોજન એટલે ? 

બાજરી, દિવેલા, મગ, અડદ, મઠ, ગુવાર,ચોળી, તુવર, મગફળી, તલ, મકાઇ, કપાસ,જુવાર વગેરે પાકોનું જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવું.  પૂર્તિ ખાતર જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું સમયાંતરે આંતરખેડ કરવી અને નીંદણ અવશ્ય દૂર કરવું ખેતીમાં નિષ્ફળતાના જોખમને ટાળવા માટે આંતર પાક/મિશ્ર પાક પધ્ધતિ અપનાવવી.

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧) બોર્ડો મિશ્રણની બનાવટમાં ફકત પ્લાસ્ટિક કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો. ધાતુના વાસણો કદી પણ ઉપયોગમાં લેવા નહી.(૨) લોખંડના ચપ્પાને કાટ લાગતો બંધ થાય ત્યારબાદ જ દ્રાવણનો છટકાવ માટે ઉપયોગ કરવો.(૩) બોર્ડો મિશ્રણ ને તાજું જ વાપરવાનું હોઈ તેનો સંગ્રહ કરવો નહી કે સંગ્રહ કરેલ

વધુ વાંચો>>>>

બાયો-ફર્ટીલાઈઝરનો સમતોલ પોષણ વ્યવસ્થામાં ઉપયોગ

રાસાયણિક ખાતરના પોતાના ગેરફાયદા છે. તેના સતત વપરાશથી જમીનમાં અમ્લતા વધે છે, બંધારણ બગડે છે અને જમીન સખત બને છે. જેથી પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થાય છે. વળી, નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરના ૩૦-૪૦ ટકા જે તે પાકને કામ લાગે છે. બાકીનું હવામાં ઊડી જાય છે, જમીનમાં ઊંડુ

વધુ વાંચો>>>>

ધરતીનું ધરતીને પાછું આપવાની પધ્ધતિ

પાક લણણી બાદ ખેતર પર વધતો પાકના ડાળખા, પાન અને બીજા કાર્બનિક પદાર્થોને જમીનમાં પાછા મિશ્ર કરવાથી જમીનમાં કાર્બનિક અને પોષક તત્ત્વો ઉમેરીને પોષક તત્ત્વોની ઉણપને અટકાવી શકાય છે. આમ, ખેતર પર વધતા કચરાના નિકાલ માટે ત્રણ મુખ્ય વિકલ્પો જેવા કે બીજે ખસેડી લેવું, બાળી નાખવું

વધુ વાંચો>>>>

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ

સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્ક માં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ

વધુ વાંચો>>>>

જેવું બીજ તેવો પાક એટલે શું?

આપણે શું ખરીદવા જઈએ છીએ તેનો બરાબર મક્કમતાથી નિર્ણય નહીં કર્યો હોય તો એગ્રોની દુકાનવાળા તેમણે ધારેલું- જે વેચવાની ગણતરી રાખેલી હોય તે જ બીજ આપણને પધરાવી દેવામાં સફળ થશે ! માટે લેવા ગયા હોઇએ એક અને બીજું જ લઈને દૂકાનના પગથિયાં ઉતરીએ એવું ન બને

વધુ વાંચો>>>>

વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ?

ખેડૂત મિત્રો, વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ? તમામ પાક માટે પાયાના ખાતરોની માહિતી માટે ફોન કરો .98796 33735 ગ્રીન સોના એગ્રી હાઉસ – મોરબી

વધુ વાંચો>>>>

ખેત પેદાશની વેચાણની પદ્ધતિઓ

મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો

વધુ વાંચો>>>>

પાક વીમો, ધિરાણ અને ખેતી ખર્ચનું કરો આયોજન

ખેતી એક જોખમભર્યો વ્યવસાય ગણવામા આવે છે. ખેતીમાં રહેલુ જોખમ પાક વીમા દ્વારા મહદઅંશે ઓછું કરી શકાય છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ અને આગ જેવા બનાવોમા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય ત્યારે પાક વીમા દ્વારા આ નુકશાની સામે રક્ષણ લાવી શકીએ. ઉપરાંત, પાક ધિરાણનો જો યોગ્ય ઉપયોગ

વધુ વાંચો>>>>

વાવણીનો સમય શા માટે અગત્યનો છે?

વાવણી અને લણણીનો સમય પણ કૃષિ ઉત્પાદનના ભાવોમાં અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય સમયે કૃષિ પેદાશોને બજારમા વેંચાણ અર્થે લઇ જતા વધુ ભાવ મળે છે. જેમકે, તાલાલાની કેસર કેરી વહેલી બજારમા આવવાથી સારા ભાવ મળી રહે છે. ઉપરાંત, લીલા ધાણા (કોથમરી)નું કમોસમી (ઓફ સીઝન) પાક લઇ

વધુ વાંચો>>>>

ખેતરની વાત : મરચીનું કોઈ ન વાવતું હોય તેવું નવું સેગ્મેન્ટ પકડો

મરચી વિષે બે ખેડૂતનો અનુભવ જોઈએ. ગયા વર્ષે એક ખેડૂતે ૧૫ વિધાનું મરચીનું વાવેતર કર્યૂં હતું તેને લીલા મરચાની વીણી માં સારા ભાવ મળ્યા સારી આવક થઇ પરંતુ પછી સૂકા મરચા કરવા માટે મરચી છોડી પછી વધુ વરસાદને લીધે એન્થ્રેકનોઝની અસર અને તેને લીધે ડાઘી વાળા

વધુ વાંચો>>>>

રોપ કરવાની જગ્યાનું નિરજીવીકરણ માટેની સોલારાઇઝેશનની પદ્ધતિ

નર્સરીની જમીનને સારી રીતે ભીની કર્યા પછી, ઉનાળા દરમિયાન ૫-૬ અઠવાડિયા માટે તૈયાર કરેલ કયારાને પારદર્શક પોલિથીન શીટ (૨૦૦ ગેજ)થી ઢાંકવામાં આવે છે કારણ કે ભીની માટી સૂકી માટી કરતાં વધુ સારી રીતે ગરમીનું સંચાલન કરે છે અને માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોને ગરમીના ઉત્પાદન દ્વારા મારવા

વધુ વાંચો>>>>

કરાર આધારિત ખેતી કેમ કરવી ?

ખેડૂતમિત્રો વાવણી પહેલા જ ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરે તો બંને પક્ષે ફાયદો થાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારનું જોખમ ઘટે છે, તથા સારા ભાવ અગાઉથી નક્કી થયા મુજબ મળી રહે છે તેમજ ગુણવત્તા પણ જળવાય છે. આ પદ્ધતિ દ્વારા હાલમા ગોદરેજ, પેપ્સિકો, રીલાયન્સ ફ્રેશ

વધુ વાંચો>>>>

આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ.

જ્યારે બજાર ભાવ તૂટી જાય છે અથવા પાક નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતો મોટાભાગે પુરવઠા શૃંખલામાં સૌથી સુલભ ખાતર સપ્લાયર્સ, બીજ વેચનારાઓ, જંતુનાશકોના ડીલરો અને બજાર વેપારીઓનો દોષ કાઢીને પોતાની હતાશા વાળે છે.બજારના વેપારીઓ એવું કહે છે કે ખેડૂત વર્ષોથી એકની એક મરચીની જાત વાવ્યા કરે

વધુ વાંચો>>>>

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતોને એક સાથે અનેક કટોકટી સામે આવી છે.

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતો એક સાથે અનેક કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેમાં બજાર ભાવમાં ઘટાડો, કમોસમી વરસાદ અને પાકના રોગોને લીધે મળેલી ઓછી આવક ખેડૂતોને આર્થિક સંકટમાં ધકેલી રહી છે . 25 માર્ચ ના રોજ, આંધ્ર મરચાંના ખેડૂતોએ ગુંટુર મરચાં બજારની સામે રસ્તા રોકો

વધુ વાંચો>>>>

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ અથવા રોપાઓના મહત્વ વિશે ખૂબ જ સભાન બન્યા છે કારણ કે રોગ અને જીવાતનું વધુ પ્રમાણ અને ક્યારામાં ભેજના અયોગ્ય સંચાલનને

વધુ વાંચો>>>>

તમને થશે હવે આવું તો કેમ મપાય ?

તમને થશે હવે આવું તો કેમ મપાય ? પાંદડામાં ભીનાશ અને પાંદડામાં કલોરોફીલ એટલે કે હરીતદ્રવ્ય કેટલું છે તેના આધારે છોડને પાણી અને પોષણની આવશ્યકતાની ખબર પડે છે. આજે સૂર્યોદય અને સૂર્યાસ્ત કયારે થયો તે આધારે છોડ ને પિયતની જરૂરીયાત માં ફેરફાર કરવાનો થાય છે. આ

વધુ વાંચો>>>>

આપણા ખેતર માટે આંખ કાન ખુલ્લા રાખી નિર્ણયો લેવાના હોય છે

આપણું જીવન લ્યો કે આપણા ખેતરમાં ઊભેલા પાકને લ્યો બન્ને માટે આંખ કાન ખુલ્લા રાખી નિર્ણયો લેવાના હોય છે આપણે કેવા છીએ ? શું છીએ ? શું પ્રગતિ કરી ? ખેતી કયાં લઈ ગયા ? મળેલી સફળતા કે નિષ્ફળતા બધામાં એક વાત મહત્વની છે અને તે

વધુ વાંચો>>>>

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો મુખ્ય છે આઘાતો બે પ્રકારના હોય છે એક છે જૈવિક આઘાત અને બીજો છે અજૈવિક આઘાત . જૈવિક આઘાતમાં રોગ , જીવાત, વાયરસ , પશુ , પક્ષીના લીધે છોડને આઘાત એટલે કે સ્ટ્રેશ આવે છે તે નુકસાનમાંથી

વધુ વાંચો>>>>

પાક્યા પછી ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહા વિદ્યાલય,બં. અ. કૃષિ મહા વિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦(મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ ઃઆ પ્રકારનો બગાડ જુદા જુદા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ફળ

વધુ વાંચો>>>>

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવાનાં છે કોઈ ઉપાય ?

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવા પોતાની પેદાશના સારા ભાવ મેળવવા છે ? તો સૌથી પહેલી વાત એ કે અંદર ભરેલ પેદાશનું પેકિંગ જ એવું આકર્ષક બનાવેલ હોવું જોઈએ કે એનાપર નજર પડતાવેંત જ વેપારી કે ગ્રાહક અંદર ભરેલ પેદાશ નજરે જોવા આતુર બની જાય પેકિંગ ખોલ્યાભેળો

વધુ વાંચો>>>>

આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ?

ખેતીમાં ખર્ચ એકલાં રાસાયણિક ખાતરો આડેધડ ધબેડ્યે રાખીએ છીએ તે બંધ કરીએ કારણ કે જમીનની ફળદૃપતા-જીવન્તતા અને ઉત્પાદકતા એના હિસાબે ઘટી રહી છે. ”વધુ પાણી એમ વધુ ઉત્પાદન” રૂપી ખ્યાલનાં હિસાબે ઉપલા તળનાં મીઠાં પાણી ચૂસી લીધા પછી ઊંડેના નબળાં અને ખરાબ પાણી પવાયા પછી મોલાતો

વધુ વાંચો>>>>

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : પોષ્ટહાર્વેસ્ટ : પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ

પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહાવિદ્યાલય, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન (મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ સંગ્રહ સ્થાનમાં થતો બગાડ ઃ ફળ અને શાકભાજીને ખુલ્લા અથવા રૂમ તાપમાને સંગ્રહ કરવાથી તેમાં રાસાયણિક ફેરફાર થતાં બગાડ

વધુ વાંચો>>>>

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ.

કૃષિ વિજ્ઞાન આપે છે દુનિયાની છેલ્લામાં છેલ્લી કૃષિ માહિતી, નવી શોધ, નવા બિયારણો, નવી દવાઓના સફળ પ્રયોગોની વાત, કૃષિ વિજ્ઞાન વાંચીને ખેતીને સમૃદ્ધ બનાવવા આજે જ ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ.

વધુ વાંચો>>>>

“સૂર્યનો પ્રકાશ” ખેતીપાકોને મદદ કરે ?

સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાનનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહ્યલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં સમાવી લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા શર્કરા-ગ્લુકોઝ એટલે કે “સત્વ”

વધુ વાંચો>>>>

બીજ પૂરેપૂરું ઉગે એ માટે શું કરવું?

જમીનમાં યોગ્ય તરેહ બેઠેલ હોય તો જ વાવણી કરીએ.. કોરાભીના-બાકાસીયા ભીનામાં વાવણી કદિ ન કરવી.. વાવતી વખતે જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની માટીથી ઢંકાઇ જાય, તેના પર માપસરના દળે જ માટી પડે અને સહેજ દબાણ પણ મળી જાય, કે જેથી બધા બીજ ને

વધુ વાંચો>>>>

અમુક બીજ ૩ વરસ જૂના પણ ઉગી જાય, જ્યારે અમુક બીજે વરસેય ન ઉગે –એવું કેમ ?

કારણ કે દરેક પ્રકારના બીજની સ્ફૂરણશક્તિ એક સમાન નથી હોતી. જે તે પ્રકારના બીજમાં તે પોતે પરિપક્વ થયા પછી તેની જીવંત રહેવાની તાકાત કેટલી બળિયાવર છે તેના ઉપર આધાર હોય છે. દા.ત. તલ, મગ, વરિયાળી, જીરુ-ઘઉં, જુવાર-બાજરો, ગુવાર વગેરેને સડે કે બગડે નહીં તે રીતે સાચવી

વધુ વાંચો>>>>

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ?

માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ કે કેરડા-કેતકી હોય કે હોય ભલેને હાથલિયો થોર ! અરે, ખરખોડી-લાંપડું કે લજામણી-બધાં ગણાય ‘વનસ્પતિ’ જ, પણ પ્રકૃતિએ બધાના સંકટ સામે

વધુ વાંચો>>>>

ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરશો ને?

ખેડૂત અને વેપારી મિત્રો ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરી મધ્યમ થી લાંબા ગાળાના સારા વળતર માટે તમે પણ અરજી કરો.

વધુ વાંચો>>>>

શું આવતા વર્ષોમાં ખેતીની જરૂર નહિ પડે ?

તમેજ વિચાર કરો , દેશ અને દુનિયામાં વિકાસ થઇ રહ્યો છે ખેતીની જમીન ઘટી રહી છે તેમ છતાં અનાજ, ફળો , શાકભાજીની અછત નથી થઇ .કરોડો લોકો સ્વાસ્થ્ય માટે સલાડ અને સારા ફળો માંગે તો ખેડૂતો મહેનત કરીને તે પુરા પાડે છે .આ માટે આપણે જમીન

વધુ વાંચો>>>>

2050 આવતા આવતા ખેતીમાં શું પરિવર્તન થવાનું છે ?

થોડા વર્ષોથી આખી દુનિયામાં એવો વાયરો વાયો છે કે ખેતી પેદાશના ભાવ ખેડૂતને મળતા નથી, આજે આખા વિશ્વના ખેડૂતો પ્રદર્શનો કરી કહી રહ્યા છે કે અમે જગતના તાત છીએ અમે ફૂડ પેદા કરીયે છીએ અમને બચાવો. આજે વિશ્વભરના ખેડૂતો મુંજાયને પોતાને ફાવે તેવા બીજા વ્યવસાય તરફ

વધુ વાંચો>>>>

ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ, રામ ગ્રામ બનાવીયે

આપણા આરાધ્ય દેવ અને આપણા હૃદયના સમ્રાટ રામ ભગવાનનો ઉત્સવ આપણે કરીયે છીએ , રોજ આપણે રામજી મંદિર જઇયે છીએ ત્યારે ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ , રામ ગ્રામ બનાવીયે .આપણા ગામમાં ગ્રામ એકતા આવે તે માટે રામના ગુણોને આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરીયે. આપણા જીવનમાં

વધુ વાંચો>>>>

આખું વર્ષ જે શ્રેષ્ઠ અને ઉત્તમ હતું તેની નોંધ વખતો વખત કરી ન હોય તો કારતક મહિને કરી લેવી.

આજે માહિતીનો આધુનિક યુગ છે ત્યારે આપણી પાસે સાચી ખોટી માહિતીનો ધોધ વહી રહ્યો છે વોટ્સઅપ યુનિવર્સીટીમાં આવતા ગતકડાં ક્યારેક સાચા બીજ અને સાચી જંતુનાશક કે સાચી સમજણથી વંચિત રાખી દે છે. વાંચેલું આપનાવવાની લાલચ અને  ઉતાવળ કરાવે તેવા વોટ્સેપનો પાર નથી  એટલે અમુક આપણ ને

વધુ વાંચો>>>>

જમીનને જીવંત રાખનાર માઈક્રોબ્ઝ વિષે જાણો.

બાયોલોજિક એટલે જીવંત માઈક્રોબ્ઝ જે જમીનમાં રહીને ઉપયોગી બને છે, જમીનને જીવંત રાખે છે આ માઈક્રોબ્ઝ એટલે માઈક્રોઓર્ગેનીઝ્મ કે જેમા ઉપયોગી બેક્ટેરિયાને ઉપયોગી ફૂગ હોય છે. દા.ત. ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા જમીનના કણો સાથે ચોટી ગયેલ અને છોડને અલભ્ય થતો ફોસ્ફરસ રીલીઝ કરીને છોડને મળે તેવા સ્વરૂપે

વધુ વાંચો>>>>

બાયોલોજીકલ વિષે માહિતી મેળવો.

પ્રવર્તમાન કુદરતી ખેતી, સેન્દ્રીય ખેતી, જૈવિક ખેતી કે પ્રાકૃતિક ખેતીના સમયમાં બાયોલોજીકલ વાપરવાની ભલામણ ખુબ જ થાય છે. શું છે આ બાયોલોજીકલ એમાં રહેલ જીવંત ઉપયોગી બેક્ટેરિયા કે જીવંત ઉપયોગી ફૂગનો ઉપયોગ કરીને જમીનને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી શકાય. બાયોલોજીકલ વિષે માહિતી મેળવો. જમ્નીનને ઉપયોગી

વધુ વાંચો>>>>

મરચી અને શાકભાજી પાક સંરક્ષણ ટેલિગ્રામ ચેનલમાં અત્યારથી જોડાવાનું શરું થઇ ગયું છે

આ વર્ષે મરચીના પાકમાં ખુબ વાવેતર થાય તેવી શકયતા છે   એટલે મરચીમાં ક્યાં ક્યાં ફુગ અને બેકટેરીયાના રોગો લાગે છે ? . પાનના ટપકાનો રોગ.. મરચીમાં એન્થ્રેકનોઝ લાલ મરચા ઉગાડતા ખેડુતોને ખૂબ પરેશાન કરતો રોગ આવે તો શું કરવું ? નવી સારી ફુગનાશક કઈ આવી 

વધુ વાંચો>>>>

તમારો સમય સારું અને સાચું કૃષિ જ્ઞાન મેળવવામાં વાપરો

આજે મારે તમને બધાને પૂછવું છે આપણામાંથી કોણ કોણ વોટ્સઅપ વાપરે છે. ? કોણ ખેતીના ફેસબુક ગ્રુપમાં જોડાયેલા છે ? તો વડીલ સહિત લગભગ બધા ખેડૂતો હાથ ઉંચો કરે કારણ કે વોટ્સએપઅને ફેસબુક એ આજના કાળ નું સૌથી સારુંસોસીયલ મીડિયા છે . તમે બધા વિવિધ ગૃપમાં

વધુ વાંચો>>>>

કેરીના પલ્પમાંથી બેગ, પટ્ટા, શીટ જેવી મેંગો લેધરની વિવિધ પ્રોડક્ટ વિષે જાણો.

લ્યો બોલો , ચેનાઈ ની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી એલ આર આઈ દવારા નકામી અને બગાડી ગયેલી કે બિન વપરાયેલી કેરીના પલ્પ માં બાયોપોલિમર ઉમેરીને એવું લેધર બનાવ્યું કે તેમાંથી બેગ , પટ્ટા , શીટ જે ડિઝાઈનર મેંગો લેધર તરીકે ઉપયોગ થશે . ત્યાંના વૈજ્ઞાનિકે

વધુ વાંચો>>>>

લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, શાકભાજી અને ફળો લાંબા સમય સુધી સારા રહે છે

આપણા દેશમાં બાગાયત ખેતી કે શાકભાજીની ખેતીમાં પોસ્ટ હાર્વેસ્ટ એટલેકે ઉતાર્યા પછીનો બગાડ કે વેડફાટ ખુબ વધારે થાય છે કારણકે આપણી પાસે પરિવહન માટે જરૂરી કોલ્ડ ચેઇન ઉપલબ્ધ નથી એટલે તમે સાંભળ્યું હશે કે સફરજન જેવા ફળો ઉપર મીણ નું પાતળું પડ ચડવામાં આવે તેના લીધે

વધુ વાંચો>>>>

સુધારેલ ચુલ્હાના ફાયદાઓ

સુધારેલ ચુલ્હાનું સ્પ્રેરી દ્વારા પરીક્ષણ કરતાં તેની કાર્યક્ષમતા, બળતણનો વપરાશ અને ધુમાડાના ઉત્સર્જનના પરિણામોના આધારે જાણવા મળ્યું છે કે પરંપરાગત ચુલ્હાની સરખામણી કરતાં સુધારેલ ચુલ્હામાં ૨૫-૩૦% ઓછા બળતણનો ઉપયોગ થાય છે અને ૬૦-૮૦% ઓછો ધુમાડો ઉત્સર્જિત થાય છે. સુધારેલ ચુલ્હાના વપરાશકર્તાના પ્રતિસાદના આધારે પરંપરાગત ચુલ્હાની તુલનામાં

વધુ વાંચો>>>>

કરાર આધારીત ખેતી એટલે શું?

કરાર આધારીત ખેતી એટલે એવી પધ્ધતિ કે જેમાં પાકની જાત, ઉત્પાદનનો જથ્થો ગુણવત્તા અને ભાવ બાબતે વાવેતર પહેલા ખેડૂત અને ઉત્પાદક કંપની વચ્ચે લેખિતમાં કરાર કરવામાં આવે છે. આ ત્રિ-પક્ષીય કરાર છે જેમાં સ્થાનિક માર્કેટયાર્ડનો પણ સમાવેશ થાય છે જેનું મુખ્ય કાર્ય સુવિધા પુરી પાડવાનું અને

વધુ વાંચો>>>>

નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ

ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં મુખ્યત્વે નાના અને મોટા પરિવારની રસોઈ માટે જુદા જુદા પ્રકારના પરંપરાગત ચુલ્હાનો ઉપયોગ થાય છે. જેમાં મુખ્યત્વ માટીના, સિમેન્ટના અથવા ઈંટોથી બનેલા ચુલ્હા જાેવા મળે છે. તેમજ ગ્રામીણ લોકો લાંબા વપરાશ માટે સતત બળતણ નાખી શકાય તેવા ચુલ્હા વધુ પસંદ કરે છે. ગ્રામીણ

વધુ વાંચો>>>>

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ?

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? કોઈ કહે ભીંડો તો કોઈ કહે ટમેટા વાવીશ, કોઈને એમ થાય કે

વધુ વાંચો>>>>

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે.

કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા

વધુ વાંચો>>>>

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ મંત્રી સી.લાલરીસાંગા કહે છે કે મિઝો મરચી 7.5 મેટ્રિક ટનની નિકાસ મિઝો મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે ખાસ કરીને

વધુ વાંચો>>>>

ઘરેલુ રસોઈ કરવા માટેનો સુધારેલ ચુલ્હો

સ્પ્રેરી દ્વારા પ્રથમ તબક્કામાં સિરામિકથી બનેલો ચુલ્હો, ત્યારબાદ પાઉડર દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો અને હાલ એનેમલ દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો વિકસાવવામાં આવેલો છે. જેમાં એક બાજુ નાની બારી રાખવામા આવી છે. જેમાંથી બળતણ/લાકડાને ચુલ્હાની અંદર નાખવામાં આવે છે. આ ચુલ્હાની રચના એવી રીતે કરવામાંઆવી છે કે,

વધુ વાંચો>>>>

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો તો ફુગ જન્ય મૂળના રોગ વધુ લાગશે, બની શકે તો ડ્રીપ પઘ્ધતિ દ્વારા મરચીની ખેતી કરો, રોગ અને વાતાવરણને ખાસ સંબંધ

વધુ વાંચો>>>>

ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે.

વીએનઆર સીડ્સ કહે છે કે દર વર્ષે અમે ચયન નામનો પસંદગી પ્રોગ્રામ કરીયે છીએ આ કાર્યક્રર્મમાં અમે આખા દેશમાંથી અમારા ડીલરો, પ્રગતિશીલ ખેડૂતો અને ભારતની પ્રખ્યાત બીજ કંપનીને બોલાવીએ છીએ આ ક્રોપ શો માં અમે અમારી રિસર્ચ ટિમ દ્વારા તૈયાર કરેલ વિવિધ પાકોની સેંકડો જાતોને પ્રદર્શિત

વધુ વાંચો>>>>

ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે

ખેડૂતને પોતાની ખેતીમા આવક –જાવકનો હિસાબ રાખવાથી ક્યા પાકમાથી કેટલો નફો થયો અને કયા પાકમા નુકશાન થયુ તેની જાણકારી મળે છે. વિવિધ પાકોની નફા- નુકસાનની સરખામણી કરીને ભવિષ્યમાં મહત્તમ નફો લેવા માટે કયા પાકો લેવા તેનું આયોજન કરી શકાય છે. ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે

વધુ વાંચો>>>>

પાક ધિરાણની મહત્તમ રકમ

બેંકો તેમજ વિવિધ ધિરાણ સંસ્થાઓ ખેતી માટે વિવિધ પ્રકારનું ધિરાણ આપવાનું કાર્ય કરે છે જેમાં પાક ધિરાણ સૌથી મહત્વનું ગણાય છે. વિવિધ બેંકો અને સંસ્થાઓ દ્વારા આવા પાક ધિરાણની મહત્તમ રકમ (સ્કેલ ઓફ ફાઈનાન્સ) નક્કી કરવામાં પ્રવર્તમાન ખેતી ખર્ચની માહિતીનો આધાર લેવામાં આવે છે. ધિરાણની રકમ

વધુ વાંચો>>>>

જરૂરત પ્રમાણે વાવેતર કરો

 – જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર કરવું જોઈએ અને જમીનની ફળદ્રુપ્તા જાળવવી જોઈએ.

વધુ વાંચો>>>>

વધુ ઉત્પાદન કેમ મેળવી શકાય

 – માહિતી મેળવવી પડશે આપણી પૃથ્વી સુજલા, સુફલા, શસ્ય શ્યામલા ધરા જેની કૂખથી પેદા અનાજને ખાઈ દેશના કરોડો લોકોની ભૂખનું સમાધાન કરી શકાતું હોય ત્યારે ઉત્તમ ખેતીની વાત કરીએ તો જમીન છેલ્લે ખેતરમાં ઉત્પાદનનો ઢગલો આવવાનો તેવો દ્રઢ વિશ્વાસ સાથે ખેતી શરૂ કરીયે છીએ ઉત્પાદન જે

વધુ વાંચો>>>>

હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું.

હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું. લીલો રંગ તેમાં રહેલા કલોરોફિલ તત્ત્વને આભારી છે. આપણાં લોહીમાં રક્તકણોને કારણે લોહી લાલ દેખાય છે તેમ કલોરોફિલને કારણે હરિતકણોથી પાંદડું લીલા રંગનું દેખાય છે. આપણે ત્યાં કહેવત છે કે પીળું એટલું સોનું નહીં એમ પાંદ એટલે લીલા રંગનું

વધુ વાંચો>>>>

ટીટોડીનો માળા નો વર્તારો

કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હોય છે. બસ ! આવી જ એક વિશિષ્ટ સૂજના કારણે ટીટોડી પણ જો ઉંચાણવાળું સ્થળ માળા માટે પસંદ

વધુ વાંચો>>>>

સૂર્યપ્રકાશની કિંમત.

છોડ પોતાના મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો ખેંચે છે પરંતુ જમીનની બહારના વિશ્વમાં એટલે કે વાતાવરણમાં સૂર્યપ્રકાશ ન હોય તેમજ ઓક્સિજન ન મળે તો પાંદડું નવો ખોરાક બનાવવાનું અટકાવી દે છે. એટલે જ વધુ પડતા વરસાદથી ખેતર તરબોળ થઈ ગયા હોય તો મૂળને પૂરતો ઓક્સિજન

વધુ વાંચો>>>>

આંગળીના ટેરવે : મોબાઈલ ખેડૂતનો મિત્ર

સ્માર્ટફોન દ્વારા આંગળીના ટેરવે ઘરે બેઠા સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવી શકે છે એગ્રીબોન્ડ જેવું પ્લેટફોર્મ જે નિશુલ્ક ખેડૂતોને સાચી અને સચોટ માહિતી પ્રદાન કરે છે. અને ખેતીને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે.

વધુ વાંચો>>>>

ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ.

મુલ્યવર્ધન કરવું એ કઈ મોટી વાત નથી , આપણે પણ આપણા કોઠીમ્બાની કાચરી હોય કે પકવેલા અનાજ , તલ , મગ , અડદને વીણેલા અને સાફસુધરા કરી પોતાના પેકીંગમાં વેચી શકીયે , શીંગના સૂકા ઓળા પણ તમે વેચી શકો , જો તમે મરચી વાવી છે તો

વધુ વાંચો>>>>

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો.

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે તારો શું વિચાર છે ? તેવો સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય શકે ? તે તમારા આ વર્ષના અનુભવ પરથી નક્કી થાય .આ વર્ષેના અનુભવમાંથી શીખીયે તેને ડહાપણ કહેવાય , આવતા વર્ષની ખેતીમાં

વધુ વાંચો>>>>

2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે

મિત્રો, દુનિયાની વસ્તી વધતી જાય છે 2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે સાથે સાથે કલાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલી રહ્યું છે એટલે વધુને વધુ રોગો અને જીવાતો પાકમાં આવતી રહે છે અને આવી વિષમ પરિસ્થિતિમાં

વધુ વાંચો>>>>

ઉત્તમ ખેતી : સંગઠનથી સુધારા તરફ…

ગુજરાતમાં જે રીતે કચ્છમાં ખેતીનો વિકાસ થયો તે જોઈએ તો ત્યાં દાડમ, ખારેક, આંબા, ડ્રેગન ફ્રૂટ, ટેટી વિગેરે જેવા પાકો પ્રમાણમાં સારી રીતે, આંખે આખા વિસ્તારોમાં અને નફાકારક રીતે વાવતા થયા …..

વધુ વાંચો>>>>

તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે

ટુંકમાં રોગકારક ખેતરમાં ન આવે ત્યારથી શરૂ કરી તે રોગકારક ફેલાય નહિ તેવું કરવાની નિષ્ણાંત નજર કેળવવી પડશે. આંટો મારતા એકાદ છોડને ઉપાડીને ફેકી દેવો તો કયાં ફેંકવો, બાજુના ખેતરનુંં પાણી, તમારા ખેતરમાં નથી આવતું ને ? તમારા બળદ, સાંતી, સાધનો કે તમારા કે મજુરના પગ

વધુ વાંચો>>>>

ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો

કોઈપણ છોડ હોય, મરચી હોય કે ટમેટા, કપાસ હોય કે કમોદ બધા પાકમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે પગલા લેવા પડે કાણા વાળા ટપકા થાય, પાણી પોચા ટપકા થાય, મૂળ કે થડ ઉપર ગળું પડે, છોડને ઉભક લાગ્યો હોય તેમ એકાદ છોડ મરી જતો નજરે

વધુ વાંચો>>>>

પ્રોટેક્ટિવ ફાર્મિંગ – મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે

પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે હવે વધુ જાણવું પડશે એટલે એમ કહો કે મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે ગ્રો કવર ની માહિતી માટે ગ્રો ઈટ સુરતની કંપનીના સ્ટોલ ઉપર તમને પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે અત થી ઇતિ માહિતી મળશે તે સ્ટોલ નંબર ૩૯ની જરૂર મુલાકાત લેજો અને

વધુ વાંચો>>>>

આ યુગ માર્કેટિંગનો છે એટલે સાચું શું ને ખોટું શું તે પારખવાની નજર પણ રાખવી પડે

માહિતી મેળવવા માટે રેડિયો પણ પહેલા ખુબ ઉપયોગી હતો હવે મોબાઈલ દ્વારા વોટ્સઅપ ગ્રુપ, ટેલીગ્રામ ગ્રુપ, ફેસબુક પેઇઝ દ્વારા ઉભા પાકના વિડીયો અને ખેડૂતની મુલાકાત જોવા મળે છે. વિવિધ ચેનલ દ્વારા ખેડૂતોના ઇન્ટરવ્યુ હવે મોબાઈલમાં જોવા મળે છે આ એક માહિતી છે! હા, આ યુગ માર્કેટિંગનો

વધુ વાંચો>>>>

કૃષિ વિજ્ઞાન જુલાઈ -૨૨ નો અંકમાં કઈ કઈ ઉપયોગી માહિતી પ્રસિદ્ધ થઇ છે ?

૪૮ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન માસિકમાં પ્રસિદ્ધ થતી ઉપયોગી માહિતીની વાંચકો દર મહીને આતુરતાથી રાહ જોતા હોય છે. કૃષિ વિજ્ઞાનનો જુલાઈ -૨૨ નો અંક તારીખ ૨૭ એ પ્રસિદ્ધ થયો છે. તેમાં કઈ કઈ માહિતી વાંચવા લાયક છે તે નીચે આપેલ છે. દર મહીને સમયસર માહિતી

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks