પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય વિગેરે આવું કોઈને કોઈ પાકોમાં, કોઈને કોઈ વિસ્તારમાં ચાલ્યા જ કરતું હોય છે. તેનું કારણ વધુ ઉત્પાદનની હોડમાં આજે આપણા પેટ અને ખેતર બન્ને બીમાર થઈ ગયા છે. ત્યારે જાતે સમજી ખતરનાક રોગનાશક દવાઓ અને અતિ ઝેરી જંતુનાશકો જેટલા જમીનમાં કે પાકમાં ઓછા વપરાય તેટલા મનુષ્યના કે પ્રાણીઓના ખોરાકમાં ઓછા જશે. કોન્ટ્રેક્ટ ફાર્મિંગમાં વેફર માટે ઘણી બધી કંપનીઓ બટાટાની ખેતી કરાવતી હોય છે ત્યારે રોગ મુક્ત અને દવાઓ વગરના બટાટા ઉત્પન્ન કરવા જરૂરી છે

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.
● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ
























