
રીંગણ રોપણીના ૪૦-૪૫ દિવસ પછી ફૂલો આવે છે. ફૂલ ખીલવાની શરૂઆત સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યે થાય છે, ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ પછી પરાગરજની મુક્તિ થાય છે. પરાગાસન ફૂલ ખીલવાના તબક્કે અત્યંત ગ્રહણશીલ હોય છે.પરાગાસનની ગ્રહણશીલતા તેના ભરાવદાર અને ચળકતા દેખાવ પરથી જોઇ શકાય છે, જે ફૂલ ખુલ્યાના એક દિવસ પહેલાથી ખુલ્યાના ચાર દિવસ સુધી અસરકારક છે. ખેતરની પરિસ્થિતિઓમાં, પરાગરજની અંકુરણક્ષમતા એક દિવસ (ઉનાળામાં) થી ૨-૩ દિવસ (શિયાળામાં) સુધીની હોય છે. સામાન્ય રીતે, વ્યંધીકરણ બપોરના ૩ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અને પરાગનયન સવારે ૭ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી કરી શકાય છે.






