

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી
ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી પ્રાપ્ત થઇ –પ્રજનન કાર્ય નિયમિત બને છે. દૂધાળા જાનવરોમાં આરોના સપ્રમાણથી ખોરાક ખાવાની રૂચી વધે છે. પાચન ક્રિયા ઝડપી બનવાથી લોહીનું પરિભ્રમણ વધવાથી દૂધ ગ્રંથીઓમાં દૂધ બનવાની પ્રક્રિયા પણ તેજીલી બને છે. જરૂર પૂરતું મીઠું મળી રહે તો જાનવર પાણી વધુ પીએ છે. જે સારા પાચન તથા લોહી પરીભ્રમણમાં લાભકારી બને છે.
ચાટણ –ઢેફાં [ચોસલા] બનાવવા કેવી રીતે ? બે ભાગ મીઠું, એક ભાગ સંચળ, એક ભાગ બજારમાં મળતું ખનીજ મિશ્રણ, તથા તેમાં પા ભાગ યુરીયા ઉમેરી, બરાબર મિશ્રણ બનાવી, એક ભાગ જેટલી ગોળની રસી [મોલેસિસ] અને એ ન મળે તો એટલો ગોળ લઇ,તેનું ઘટ્ટ દ્રાવણ બનાવી, બધા પદાર્થો તેમાં રગદોળી, કઠ્ઠણ લાડવો બનાવી – જેમ કુંભાર ફર્મા દ્વારા માટીની ઇંટો બનાવે છે બસ ! તેવા ચોસલા બનાવી લેવા. જરૂરીયાત મુજબ ઢોરની ગમાણમાં એક એક ચોસલું મૂકતા રહેવાથી જાનવર પોતે સ્વયંભૂ ક્ષાર પૂર્તિ કરી શકે છે. આવા ચોસલા બઝારમાં પણ હવે મળે છે .

























