
ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય.
ખેડૂતો, ફળ પર ભુરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતાં ફૂદાંઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે.
બે લિટર પાણીમાં મેલાથીઓન ૫૦ ઇસી ર મિ.લિ. અને ર૦૦ ગ્રામ મોલાસીસ ઉમેરી ઝેરી પ્રલોભિકા બનાવી ફળપાકોમાં મૂકવાથી આ ફૃદાંઓનુ અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
સાંજનાં અંધારુ થવાનાં સમયે (૬ થી ૭ કલાકે) ફળની વાડીમાં ધુમાડો કરવાથી રસ ચૂસનાર કૃદાંને આવતા રોકી શકાય છે.


























