
મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની ખેતી વિજ્ઞાનને સમજીને થાય છે . હવામાન આધારિત પાક સંરક્ષણ કરવામાં આવે તો મરચીની ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે સાથે સાથે પાક સંરક્ષણ પાછળ થતો ખર્ચ પણ ઓછો થાય છે છે .મરચીની ખેતીમાં ફર્ટીગેશન કેટલું અગત્યનું છે તે સમજાવતો એક સેમિનાર ચીલી કી પાઠશાળા રાજકોટ ખાતે પટેલ એગ્રો સીડ્સ દ્વારા રવિવારના રોજ યોજાઈ રહ્યો છે .આ સેમિનારમાં મરચી ઉગાડતા 250 પ્રગતિશીલ ખેડૂતો સેમિનાર ફી ભરીને ભાગ લઇ રહ્યા છે . દર શનિવારે મરચીની પાઠશાળામાં વાંચવા કૃષિવિજ્ઞાન ટેલિગ્રામમાં જોડાવ.
























