આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ

કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે નવીનતમ ઉકેલો રજૂ કરીને આજકાલ “AI in Agriculture” અથવા “AgTech”, “સ્માર્ટ ખેતી” તરફ આગળ વધી રહી છે.
સચોટ ખેતી (Precision Farming)
AI આધારિત સેન્સર, ડ્રોન અને ઉપગ્રહ ઇમેજના ઉપયોગ કરી જમીનની સ્થિતિ, હવામાનમાં પરિવર્તન અને પાકના આરોગ્યની સતત મોનીટરીંગ કરે છે. આ અમૂલ્ય માહિતી ખેડૂતને ચોકસાઈ સાથે સિંચાઈ, ખાતર આપવું અને જીવાત નિયંત્રણ જેવા નિર્ણયો લેવા માટે મદદ કરે છે. પરિણામે, પાક ઉત્પાદન વધે છે અને પર્યાવરણ પર ઓછો પ્રભાવ પડે છે.
હવામાન વિશ્લેષણ (Weather Analysis)
કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ હવામાન આગાહી તથા વાતાવરણમાં બદલાવ તેમજ પવનની દિશા પરથી વરસાદ તથા વાદળોની સ્થિતિ સચોટ બની છે. વિદેશમાં AIનો ઉપયોગ કરીને સચોટ વરસાદ તેમજ હિમ વર્ષાની આગાહી કરવામાં આવે છે.
પૂર્વાનુમાન વિશ્લેષણ (Predictive Analytics)
કૃત્રિમ બુદ્ધિ ભૂતકાળ તેમજ અનુભવના આધારે ડેટાનું વિશ્લેષણ કરી પાકની વાવણી તેમજ પાકના જુદા જુદા તબક્કે કામગીરીનું આયોજન તથા પાકમાં આવનાર વાતાવરણ આધારિત મુશ્કેલીઓ પહેલેથી જ અનુમાન લગાવી ખેડૂતને આગોતરો જાગૃત કરે છે. સમયસર પગલાં લેવા માટે મદદ કરે છે, જેના કારણે પાકનો નુકસાન ઘટે છે અને રસાયણોના ઉપયોગમાં ઘટાડો થાય છે.
સ્વચાલિત ખેતી (Autonomous Farming)
સ્વચાલિત ખેતીમા સૌપ્રથમ ઉપયોગ સ્વચલિત પિયત પદ્ધતિ છે કે જેમાં પાકના ભેજની જરૂરિયાત મુજબ સૂક્ષ્મ પિયત પદ્ધતિ દ્વારા પાકમાં પિયત આપવામાં આવે છે. આજના યુગમાં સ્વચલિત ટ્રેક્ટર કે જે GPSનો ઉપયોગ કરી સચોટ ઊંડાણ તથા દિશામાં વાવણી તથા ખેડ કરી શકે છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો દુઃખી થઈ જાય છે . શા માટે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે, નવી દુનિયા કેવી હશે અને, વિજ્ઞાન અને એઆઈ – કૃત્રિમ બુદ્ધિમત્તા, કેવા કેવા રૂપો લેવાની છે અને, આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે, તેની વાત કરીયે છીએ .આપણે સુખને જો જૈવિક રીતે જોઈએ તો, આપણી અપેક્ષાઓ અને સુખ બંનેનો આધાર, બહારની કોઈ પરિસ્થિતિ પર નહીં, આપણી અંદરની બાયોકેમિસ્ટ્રી પર રહેલો છે. અત્યારના વિજ્ઞાન પ્રમાણે સુખ અને દુઃખ, આપણા શરીરમાં થતાં સંવેદનો જ છે. આપણે આપણા શરીરમાં ઉદ્ભવતાં, સંવેદનોને જ પ્રતિક્રિયા આપીએ છીએ. એટલે કોઈ ખેડૂતનો પાક, નિષ્ફળ જાય તો એ દુઃખી થઈ જાય છે. શા માટે ?. પાક નિષ્ફળ જવાથી, ડિપ્રેશન અનુભવાય; આ ડિપ્રેશન શરીરમાં ઉદ્ભવતા, એક સંવેદનનું નામ છે. અને એવું જ વધુ ભાવ મળે, તે વખતે જે આનંદ થાય તેનું છે. જો સુખ અને દુ:ખ બાબતમાં, આજનું વિજ્ઞાન સાચું હોય તો, વૈશ્વિક શાંતિ અને વ્યક્તિગત સુખ માટે આપણે, માનવશરીરની બાયોકેમિસ્ટ્રી સમજવી પડશે. ધીમે ધીમે માણસને પોતાના સંવેદનો પર કાબૂ મેળવવો છે,—જ્યારે ઇચ્છીએ ત્યારે દુઃખ થી છુટકારો અને, સુખ મળવું જોઈએ!. બોલો છે ને નવી શોધ.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નવી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા પડશે

જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ એક ફિક્સ ટાઇપની ખેતી પદ્ધતિને કે નોકરીને જ વળગી રહેશે તો તેનો જીવનનિર્વાહ તો કદાચ ચાલી પણ જાય, પણ તે ખેડૂત દુનિયાથી ઘણો પાછળ રહી જશે. હવે લડાઈ પ્રસ્તુત રહેવાની છે—સતત. એટલે કે સતત અનુકૂલન સાધવું એ સૌથી અગત્યનું કૌશુલ્ય બની રહેશે. આપણી શાળા-કૉલેજોમાં આપણે અનુકૂલન કેમ સાધવું એ ભણાવવું પડશે ?! અને આપણે ખેડૂતોએ પણ ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા પડશે .કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા રહેશો તો આવી માહિતી તમને મળતી રહેશે .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ?

વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે…

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંગળીના ટેરવે : એઆઈ (AI) – ખેડૂતનો નવો સાથી: કમાણી વધારશે, મહેનત ઘટાડશે.

આજના સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં એઆઈ (AI) એટલે કે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” ની ચર્ચા થઈ રહી છે. અહીં સુધી કે AI હવે શહેરમાં જ નહીં,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

શું એવું શક્ય છે? શું આ વૈજ્ઞાનિક હવામાનના સાધનો આપણા ખેતરમાં ફિટ કરવાનો ખર્ચ વધુ થાય ? શું આજુ બાજુની વાડી વાળા ભેગા થઈને એક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks