
સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ ગંધાતીની ટોચના ત્રણ કિલો પાનને ૨૦ લિટર પાણીમાં ઉમેરી ત્રણથી ચાર કલાક ઉકાળવામાં આવે છે. જયારે પાત્રમાં પાંચ લિટર દ્રાવણ રહે ત્યારે ઉકાળવાનું બંધ કરી ઠંડું પડ્યે ગાળી લેવામાં આવે છે. આ દ્રાવણને ૧૫ લિટરના પંપમાં માત્ર ૭૫થી ૮૦ મિલિ પ્રમાણે છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળે છે. રજનીકાંતભાઈના અનુભવ પ્રમાણે ગંધાતીના અર્કનું પ્રમાણ ૮૦ મિલિથી વધારવાથી કપાસનાં ફૂલનું ખરણ થાય છે. વળી તેથી વધુ માત્રા વધારવાથી આડ અસર પણ કરે છે, પરંતુ ૭૫ થી ૮૦ મિલિ માત્રાથી છોડને નુકશાન થતું નથી.











