
લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે બીજી ઋતુમાં તેની ઉણપ વર્તાય છે. તો આ લીલા ઘાસચારાનું જયારે વધારે ઉત્પાદન થતું હોય ત્યારે તેને સંગ્રહ કરી સાયલેજ બનાવી અન્ય સમય કે ઋતું દરમ્યાન ઉપયોગ કરવામા આવે તો પશુપાલકો માટે આશીર્વાદ રૂપ ચોકકસ સાબિત થશે.
























