aries agro


મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે …

તમારી વાડી એ થર્મોમીટર છે ? અથવા તમે રોજે રોજ ના તાપમાન ના આંકડા ગુગલ, અશોક પટેલ ની વેબસાઈટ કે મેઘદૂત એપ્પ માંથી નોંધો છો ? જો હા તો તમારી મરચી સારી રહેશે કારણ કે હવામાન અનુસાર તમારે મરચી ની માવજત કરવાની છે નહિ કે બાજુવાળો દવા છાંટે છે એટલે છાંટવી ! એમાંય આ વર્ષે ભાવ સારા રહેવાની શક્યતા છે ત્યારે 


જાગી જજો 



દા ત દિવસનું તાપમાન ૩૫ છે અને રાત્રિનું મીનીમમ ૨૫ છે
તફાવત કેટલો થયો ? ૧૦ સેન્ટિગ્રેડ દવા છાંટવાની જરૂર નથી.

પણ આજે દિવસનું તાપમાન ૩૭ છે અને રાત્રિનું ૨૨ થઈ ગયું તો તફાવત કેટલો થયો ? ૧૫ તો દવા છાંટી દયો.

ચોથા દિવસે દિવસનું તાપમાન ૩૮ અને રાત્રિનું ૨૦ થઈ ગયું તો ફરી દવા છાંટવાનું શરૂ કરો

અથવા

સહેલો ઉપાય તમારી પત્નીના હોઠ અને ચામડી સૂકા હવામાનને લીધે તરડાઈ કે તે પોતાની ચામડી ઉપર નખથી તમારું નામ લખી શકે ત્યારથી ભૂકીછારા માટેની દવા છંટકાવ કરવો

અથવા 15 સેન્ટીગ્રેટ તફાવત વાળું વાતાવરણ જેટલી વાર થાય એટલી વાર ભુકીછારા ની દવા 80 ટકા સલ્ફર છાંટો ,તો તમે ભૂકીછારાના નુક્શાનમાંથી બચી જશો

સારું તે તમારું

પણ મરચી હજુ ઉગે ત્યારથી ભૂકીછારાની દવા છાંટવાની જરૂર નથી એમ મારુ તમને કહેવાનું છે,





——xxxx——
તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3 

પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ

વધુ વાંચો....

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી

વધુ વાંચો....

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો

 મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે, તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૯

વરસાદ પછીની માવજત – ૯
————-
મરચીના છોડનો સુકારો લાગવાનું કારણ શું ? તેને કેવી રીતે અટકાવી શકાય ? આ સુકારો આવે નહિ તે માટે આગોતરા ક્યાં ક્યાં પગલાં લાવે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો

વધુ વાંચો....

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી ગ્લોબલ વોર્મિંગ કહો આખા વિશ્વમાં ગરમી વધવાના

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks