
ગ્રીનહાઉસમાં બહાર કરતાં અંદર ઉષ્ણતામાન ઓછું હોવાથી કૃમિને ખુબ માફક આવે છે વળી ગ્રીન હાઉસમાં કોઈપણ પ્રકારની જમીનમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. પણ સારી નિતારવાળી બેસર ગોરાડુ જમીનમાં તેનો ઉપદ્રવ સવિશેષ જોવા મળે છે. ડ્રીપથી જમીનમાં ભેજ પણ લાંબો સમય સુધી જળવાઈ રહે છે. તેથી કૃમિનો ઉપદ્રવ વધે છે.
નિયંત્રણનાં પગલાં
- પ્રથમ વખત પાક વાવતાં પહેલા ગમે તે પ્રકારની જમીન હોય તો પણ તેને ફયુમીગન્ટસ દવાઓ જેવી કે ડેઝોમેટ, મીથાઈલ સોડીયમ, સુઝોના વગેરેથી જમીનને સંપૂર્ણ સ્ટરીલાઈઝડ કરવી જેથી જમીનમાંના કૃમિ, બેકટેરીયા, કિટકો નિંદામણ વગેરેનો નાશ થશે. જમીનને સ્ટરીલાઈઝડ કરતાં પહેલા જમીનમાં છાણિયું ખાતર વાપરતા હોય તો આપવું જેથી નિંદામણનો પણ નાશ થાય.
- કૃમિ લાગેલા ધરૂ ગ્રીનહાઉસમાં રોપવા માટે ઉપયોગ કરવો નહિ.
- ગ્રીન હાઉસમાં ઉભા પાકમાં કૃમિ લાગેલા હોય તો પાકની અવસ્થા પ્રમાણે ભલામણ મુજબ કૃમિનાશક દવા આપી કૃમિ નિયંત્રણ કરી શકાય છે.
- શકય તેટલા વધારે સેન્દ્રિય ખાતરો જેવા કે લીંબોળી ખોળ, દિવેલી ખોળ, કોહવાયેલું મરઘાનું ખાતર, કહોવાયેલુ સુગર ફેકટરીનું પ્રેસમડ, વર્મી કમ્પોસ્ટ તેમજ સારી ગુણવત્તાવાળા સેન્દ્રિય ખાતરોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો.
- જમીનમાં બાયોપેસ્ટીસાઈડ જેવાં કે ટ્રાયકોડર્મા વીરડી, પેસીલોમાયસીસ, લીલાસીનસ, સ્યુડોમોનાસ, ફલુએરેસન્સ વગેરેનો એકરે ૨ થી ૩ કિલો પ્રમાણે ચાસમાં આપવાં અને પાછળથી પણ સેન્દ્રિય ખાતરો સાથે ભેળવી છોડની ફરતે રીંગમાં જમીનમાં આપવા.
- ગ્રીનહાઉસમાં પાક પુરો થયા બાદ કૃમિગ્રસ્ત મૂળ તંતુમૂળ સાથે બહાર કાઢી બાળી નાખવાથી પણ કૃમિના ઉપદ્રવ મહદઅંશે ઓછો થાય છે,









