
હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧% )નું પાણીમાં દ્રાવણ બનાવીને જમીનમાં ડ્રેનચિંગ (રેડવાનું) હોય છે. ડ્રેન્ચિંગ કર્યા બાદ ગ્રીન હાઉસના વેન્ટીલેશનની જગ્યાઓ બંધ કરી દેવી અને ગ્રીન હાઉસની જમીનને કાળા પ્લાસ્ટિક કવરથી ૩ થી ૪ દિવસ સુધી ઢાંકી રાખવી. ત્રણ થી ચાર દિવસ પછી પ્લાસ્ટિકને દૂર કરવું અને જમીનમાં પૂરતું પાણી આપવું જેનાથી જમીનમાં રહેલો વધારાનો ફોર્માલ્ડિહાઈડનો વાયુ બહાર નીકળી જાય.ઘણી જગ્યાએ નિર્જીવોકરણ ન કરવામાં આવ્યું હોય ત્યાં કૃમિનો ઉપદ્રવ થઇ જતો હોય છે .
























