
કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ અટકાવી શકાય. પોટાશિયમ નાઈટ્રેટ, સીસીસી ના છંટકાવ અને પેક્લોબ્યુટ્રાઝોલનો જમીનમાં છોડના ઘેરવા પ્રમાણે ઝાડ દીઠ સોઇલ ટ્રીટમેન્ટ આપવાની ભલામણ છે. ગત વર્ષનો ડોઝ પણ ધ્યાનમાં લેવો પડે છે. સાથે સાથે ન્યુટ્રીશન મેનેજમેન્ટ પણ કરવું જરૂરી છે તો જ આપણે આંબાનો વાનસ્પતિક વિકાસ પેક્લોબ્યુટ્રાઝોલ દ્વારા અટકાવી વધુ ફૂલો લાવી શકાય છે.

















