aries agro


કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.

યુરિયા એક ખુબ જ પ્રચલિત ખાતર છે. તેની અંદર ફક્ત નાઈટ્રોજન (૪૫ ટકા) રહેલો હોય છે. અને તે એમાઈડના રૂપમાં રહેલો હોય છે. તેનું છોડ લઈ શકે તેવા રૂપમાં રૂપાંતર થતાં ૩ થી ૪ દિવસ લાગે છે. આથી વાવણીના સમયે આપવું જોઇએ. એમોનિયમ સલ્ફેટ કરતાં તે ઓછું એસિડિક છે. અને બધાં જ નાઈટ્રોજનયુક્ત ખાતરોની સરખામણીમાં સસ્તું છે. તે હવામાંનો ભેજ ઝડપથી ચુસી લે છે. આથી યુરિયાના કોથળા ભેજરહિત જગ્યાએ રાખવા.

દ્રાવણ બનાવીને છાંટવા માટે યુરિયા ઉત્તમ ખાતર છે. ભલામણ કર્યા પ્રમાણે ૨ થી ૪ ટકાનું દ્રાવણ બનાવીને છાંટી શકાય. દ્રાવણ બનાવવાની રીત નીચે પ્રમાણે છે. ધારો કે ઘઉંના પાકમાં ૧૦ કીલો નાઈટ્રોજન યુરિયાના ૪ ટકાના દ્રાવણમાં છાંટવાની ભલામણ છે. ૧૦ કીલો નાઇટ્રોજન માટે કેટલું યુરિયા જોઈએ? આશરે ૨૫ કીલો યુરિયા જોઈએ. ૨૫ કીલો યુરિયાનું ૪ ટંકાનું દ્રાવણ બનાવવા માટે આશરે ૬૨૫ લીટર પાણી જોઈએ.

ક્યારીની જમીનમાં હંમેશાં પ્રાણવાયુ (ઘડ્ઢુલયક્ષ)ની ઊણપ હોય છે તેથી યુરિયાનું રૂપાંતર કરનાર યુરિએઝ એન્ઝાઈમની પણ ઊણપ હોય છે. આથી યુરિયાનું એમોનિયમ કાબેનેટમાં રૂપાંતર ઝડપી અને સંપૂર્ણ થઈ શકે નહીં અને પાક તેને ઉપયોગ કરી શકે નહિ. આમ થવાથી અણવપરાયેલો યુરિયા થોડે ઘણે અંશે જમીનમાં પાણી સાથે ઊતરી જાય ને વેડફાઈ જાય. આ પરિસ્થિતિ નિવારવા કેયોરિંગની પદ્ધતિ અપનાવવામાં આવે છે. જેમાં નીમ સાથે ભેળવવાથી યુરિયાનું એમોનિયમ કાબર્ાેનેટમાં રૂપાંતર લગભગ ૪૮ કલાકના ગાળામાં થઈ શકે. નાઈટ્રોજન એમોનિયાના રૂપમાં આવી જવાથી તે જમીનના રજકણો સાથે બંધાઈ જશે અને પછી પાણીથી ભરેલી ક્યારીની જમીનમાં તેને વેરવામાં આવતાં છોડ તેનાથી બનતા દ્રાવણના રૂપમાં તેનો ઉપયોગ કરી શકશે. આમ, યુરિયા વાપર્યું હોવા છતાં ક્યોરિંગની પદ્ધપિથી એમોનિયમ સલ્ફેટ વાપર્યું‘ હેાય તેવા ફાયદા મેળવી શકીએ આમ, યુરિયા સસ્તું અને ઉત્તમ ખાતર હોવા છતાં એનો ઉપયોગ ઘણી કાળજી માંગી લે છે.

નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરો એમોનિયમ સલ્ફેટ અને યુરિયા પાકને જેટલા પ્રમાણમાં આપવાની ભલામણ કરી હોય તેટલાં હંમેશાં બેથી ત્રણ હપ્તે જ આપવાં જોઈએ.આપણે ભુખ્યા હોઈએ ત્યારે કોઈ એક અઠવાડિયાનું ભોજન એક સાથે પીરસે તો આપણે બધું જ સફાચટ કરી જઈ શકીએ ખરા ? વધારાનું અનાજ તો બગડે જ ને? એના જેવી આ વાત છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ?

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ

વધુ વાંચો....

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો....

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.૪. પાકની પેદાશોની ગુણવત્તા

વધુ વાંચો....

સૂક્ષ્મ તત્વો આપવાની રીત

ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ તત્વની ઊણપ નિવારવા તેને જમીનમાં આપવા અથવા

વધુ વાંચો....

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો....

નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી

કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. નાઇટ્રોજનને કરકસરયુકત વપરાશઃ પાક ઉત્પાદનમાં પૂરતા

વધુ વાંચો....

પૂરતી ખાતર ક્યારે અને કોને આપવા ?

સામાન્ય રીતે લાંબાગાળાના ખેતીપાકો માટે નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર જે તે પાકની વાવણી/રોપણી વખતે (પાયામાં) અને ઊભા પાકમાં (પૂર્તિ ખાતર તરીકે) અમુક સમયના ગાળો આપવામાં આવે છે. મગફળી અને મગ, મઠ તથા અડદ

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.. એમોનિયમ સેલ્ફેટમાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks