aries agro

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.. એમોનિયમ સેલ્ફેટમાં ૨૦ ટકા નાઇટ્રોજન રહેલો હોય તો બાકીનાં ક્યાં તત્વો કેટલા પ્રમાણમાં રહેલાં હશે? એમોનિયમ સલ્ફેટમાં નાઈટ્રોજન ઉપરાંત ૨૪ ટકા જેટલો ગંધક પણ રહેલો છે. ગંધક એક અગત્યનું વનસ્પતિ પોષક તત્ત્વ છે એ તો જાણે છો ને? આથી પાકને જ્યારે જ્યારે આપણે એમોનિયમ સલ્ફેટ આપીએ છીએ ત્યારે નાઇટ્રોજનની સાથે સાથે અજાણતાં ગંધક પણ આપીએ છીએ.

બીજી એક વાત. એમોનિયમ સલ્ફેટની અંદર નાઈટ્રોજન એમોનીકલ રૂપમાં રહેલો હોય છે. આથી તે જમીનનાં રજકણો સાથે ચોટી જાય છે ને જમીનમાં ઊતરી જવાને ભય રહેતો નથી. ડાંગર સિવાયના બધા જ પાકો નાઇટ્રેટ રૂપમાં નાઈટ્રોજન ગ્રહણ કરે છે. જ્યારે ડાંગર એમોનિકલ રૂપમાં નાઇટ્રોજન ગ્રહણ કરતો હોવાથી ડાંગર માટે એમોનિયમ સલ્ફેટ એક આદર્શ રાસાયણિક ખાતર કહી શકાય. એમોનિયમ સલ્ફેટ જમીનમાં આપીએ એટલે તે જમીનના રજકણો સાથે ઝકડાઈ જાય તે નાઈટ્રીફાઈગ બેકટેરિયા દ્વારા ધીરે ધીરે નાઈટ્રેટ રૂપમાં આવે. આથી રોપણી સમયે એમોનિયમ સલ્ફેટ આપવું ઉત્તમ છે. એક મહિનાની અંદર એમોનિયમ સલ્ફેટમાંનો લગભગ બધો જ નાઈટ્રોજન નાઈટ્રેટ રૂપમાં એટલે કે છોડ લઈ શકે એવાં રૂપમાં આવી જાય છે. આથી પૂતિખાતર તરીકે પણ તે આપી શકાય.

આપણને ઘણીવાર એવો અનુભવ થાય છે કે એમોનિયમ સલ્ફેટ નાખ્યા પછી જમીન કડક બની જાય. આથી આપણે એમ માનીએ છીએ કે, આ ખાતર જમીનનું પિત બગાડે છે અથવા ગરમ પડે છે. પણ આ માન્યતા સાચી નથી. આપણે જરા આ હકીકતમાં વૈજ્ઞાનિક રીતે ઊંડા ઊતરીએ. એમાનિયમ સલ્ફેટમાં બે ભાગ છે. એક એમોનિયમ અને બીજો, સલ્ફેટ. જ્યારે આપણે એને જમીનમાં નાખીએ છીએ ત્યારે એમોનિયમ ભાગનું નાઈટ્રેટમાં રૂપાંતર થઈ છોડને મળે છે. જ્યારે સલ્ફેટના થોડા ભાગનો છોડ ઉપયોગ કરે છે. અને બાકીને જમીનમાંના ચુના સાથે ભળી જઈ કેલ્શ્યમ સલ્ફેટ બને છે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે આ કેલ્શ્યમ સલ્ફેટ જમીનમાં ઊંડે ઊતરી જાય છે ને ચુનાના અભાવને લીધે જમીન કડક અને ખાટી (acidic) બને છે. વરસાદ ન હોય ત્યારે જમીનમાં ઊતરી ગયેલું આ દ્રાવણ ફરી કેશાકર્ષણ દ્વારા જમીનની સપાટી ઉપર આવે છે. ને ચુનાની ખોટ પુરાઈ જાય છે. જ્યાં ખુબ વરસાદ પડતો હોય અને જમીન ખાટી હોય ત્યાં એમોનિયમ સલ્ફેટથી જમીન બગડવાનો સંભવ ખરો પણ આપણી મોટા ભાગની જમીન ખાટી નથી, ખારી (alkaline) છે. વરસાદ પણ વધુ પ્રમાણમાં પડતો નથી ત્યાં એમોનિયમ સલ્ફેટથી જમીન બગડવાનો સંભવ નથી.

ટૂંકમાં, એમોનિયમ સલ્ફેટ ઉત્તમ ખાતર છે, જમીનના રજકણે સાથે તે માટી જતું હોવાથી વેડફાઈ જવાની સંભાવના નહિવત છે. એનાથી જમીન બગડતી નથી. રોપણી વખતે અને પૂર્તિ ખાતર તરીકે એમ બન્ને રીતે તે આપી શકાય છે. સારી રીતે સંગ્રહી શકાય છે. અને પાકને નાઈટ્રોજનની સાથે સાથે ગંધક પણ મળે છે. (051224)

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મકાઈ : મકાઈમાં રાસાયણિક ખાતર

હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૨૦ કિલો ફોસ્ફરસ આપવું. આ માટે પાયામા ૪૪ કિલો યુરિયા અને ૭૦ કિલો ડી.એ.પી. તથા ૪ પાન અને ૮ પાન અને ચમરી એમ દરેક અવસ્થાએ ૮૭ કિલો

વધુ વાંચો....

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય…..

વધુ વાંચો....

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ

વધુ વાંચો....

નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી

કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. નાઇટ્રોજનને કરકસરયુકત વપરાશઃ પાક ઉત્પાદનમાં પૂરતા

વધુ વાંચો....

સૂક્ષ્મ તત્વો આપવાની રીત

ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ તત્વની ઊણપ નિવારવા તેને જમીનમાં આપવા અથવા

વધુ વાંચો....

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો....

પૂરતી ખાતર ક્યારે અને કોને આપવા ?

સામાન્ય રીતે લાંબાગાળાના ખેતીપાકો માટે નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર જે તે પાકની વાવણી/રોપણી વખતે (પાયામાં) અને ઊભા પાકમાં (પૂર્તિ ખાતર તરીકે) અમુક સમયના ગાળો આપવામાં આવે છે. મગફળી અને મગ, મઠ તથા અડદ

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : યુરિયા ખાતર વિષે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે. યુરિયા એક

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks