aries agro

સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે

ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ કરાવો.

આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સૌ પ્રયત્ન કરે છે. રોજ રોજ નવાં નવાં હાઇબ્રીડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો બજારમાં આવતાં જાય છે અને ખેડૂતો આ બધી વસ્તુનો હોંશે હોંશે ઉપયોગ કરતા જાય છે. પરંતુ ઘણી વખત ફાયદાને બદલે ગેરફાયદા પણ થતા જોવા મળે છે. આવું ન બને તેટલા માટે આટલું જાણવું અને સમજવું સૌ ખેડૂત માટે જરૂરી છે.

જમીનમાં દેશી કે રાસાયણિક ખાતર નાખતા પહેલાં તમારી જમીનને ખરેખર કેટલા પ્રમાણમાં ક્યાં ક્યાં તત્વોની જરૂરિયાત છે અને ક્યાં ક્યાં રાસાયણિક કે દેશી ખાતરે નાખવાથી તે મળી શકે તેમ છે તે જાણવું જરૂરી છે. આ રાસાયણિક ખાતરે કેટલા પ્રમાણમાં અને કઈ રીતે નાખવાં જોઈએ જેથી નાખેલા ખાતરનું યોગ્ય વળતર મળે તે બધું જાણવા માટે સૌથી પ્રથમ તો જમીનનું પૃથકકરણ કરાવી લેવું આપણા હિતમાં છે. પૃથકકરણ કરાવી લીધા પછી પણ રાસાયણિક ખાતરનો કરકસર અને વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ.

દાખલા તરીકે મધ્યમ અથવા ઉચ્ચ ફળદ્રુપતા- વાળી જમીનમાં ભલામણ કરવામાં આવી હોય તેનાથી ઓછો જથ્થો નાખવામાં આવે તો ચાલી શકે અને બચેલો જથ્થો નીચી ફળદ્રુપતાવાળી જમીનમાં નાખવો જોઈએ, જેથી આ નીચી ફળદ્રુપતાવાળી જમીનમાં જે વધુ ઉત્પાદન મળશે તે ફળદ્રુપ જમીનમાં નાખતાં જે ઉત્પાદન મળત તેના કરતાં પ્રમાણમાં વધુ હશે. આમ, તમે નાના વિસ્તારમાંથી શકય વધુ ઉત્પાદન મેળવવામાં કદાચ નિષ્ફળ જાવ પરંતુ તમારું કુલ ઉત્પાદન ચોક્કસપણે વધુ હશે. તેવી જ રીતે રાસાયણિક ખાતરના જથ્થાને થોડા વિસ્તારમાં આપી બાકી રહેતા વિસ્તારમાં ખાતર ન આપવા કરતાં પાક હેઠળના બધા જ વિસ્તારમાં વહેંચીને આપો.

નાઈટ્રોજનધારી ખાતરને જ કાયમ ઉપયોગ ન કરો. કારણ કે ઘણી વખત માત્ર નાઈટ્રોજન ખાતરોનો જ સતત વપરાશ કેટલીક વખત ઉત્પાદન નીચું લઈ જાય છે. યાદ રાખો કે, નાઇટ્રોજન સિવાય બીજાં પંદર પોષક તત્વોની જરૂરિયાત છોડને પડે છે. તમારી જમીનમાં તેમાંના કોઈ પણ તત્વની અછત હોય તો તે નાખવું જોઈએ. દા.ત, તમારી જમીનમાં પોટાશ તત્વની ખામી હોય અને તે તત્વ નાખવામાં ન આવે અને માત્ર ફોસ્ફરસ કે નાઇટ્રોજન તત્વો જ નાખવામાં આવે તો ઉત્પાદન ઓછું મળે અને વળતર પુરુ મળે નહિ. કોઈ પણ પોષક તત્ત્વ એક- બીજાની અવેજીમાં કામ આપી શકતું નથી તે બહુ જ સ્પષ્ટ સમજી લેવું. દાખલા તરીકે, છોડમાંનું નાઈટ્રોજનનું કામ પોટાશ કરી શકે નહિ અને પોટાશનું કામ ફોસ્ફરસ કરી શકે નહિ. યોગ્ય કામ લેવા માટે જે તે તત્વ જ નાખવું જોઈએ.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

મકાઈ : મકાઈમાં રાસાયણિક ખાતર

હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૨૦ કિલો ફોસ્ફરસ આપવું. આ માટે પાયામા ૪૪ કિલો યુરિયા અને ૭૦ કિલો ડી.એ.પી. તથા ૪ પાન અને ૮ પાન અને ચમરી એમ દરેક અવસ્થાએ ૮૭ કિલો

વધુ વાંચો....

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય…..

વધુ વાંચો....

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરના ક્ચારા પ્રમાણે ૨પ માઇક્રોનની (૧૦૦ ગેઝની)

વધુ વાંચો....

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય. ગુજરાતમાં ૧૫મી

વધુ વાંચો....

કૃમિ નિયંત્રણનો ઉપયોગ સોઇલ સોલારાઈઝેશન

મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો ખ્યાલ આવી શકતો નથી. ગુજરાતમાં પાકમાં રોગ

વધુ વાંચો....

સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ૩૨૦ ૪૩૦ સે.

વધુ વાંચો....

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાનકર્તા

વધુ વાંચો....

જમીન : સોઈલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ

વધુ વાંચો....

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ કાર્યો કરવામાં આવે તો જમીનના પડને ધોવાણ

વધુ વાંચો....

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks