aries agro

પોટેશિયમ છોડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી પાંદડાના પર્ણરંદ્રમાંથી પાણીની ખોટ ઓછી થાય છે અને જમીનમાંથી પાણી લેવા માટે મૂળ કોષોની ક્ષમતામાં વધારો થાય છે. પોટેશિયમ કઠોળ અને અન્ય પાકોને શિયાળામાં સપ્તાઈ આપે છે.
પોટેશિયમ એ પ્રકાશસંશ્લેષણ, પ્રોટીન સંશ્લેષણ, હરિતદ્રવ્યની રચનામાં, કઠોળમાં નાઇટ્રોજન સ્થિરિકરણ, સ્ટાર્ચની રચના અને શર્કરાના સ્થાનાંતરણ માટે જરૂરી છે. પુરતા પોટેશિયમયુક્ત પોષણને કારણે મૂળગંડિકાઓનું વજન, નાઈટ્રોજન સ્થિરિકરણ દર, નાઇટ્રોજન પ્રવૃત્તિ અને છોડની વૃદ્ધિમાં વધારો થાય છે.પોટેશિયમ ધાન્ય વર્ગના છોડમાં મજબૂત અને સખત દાંડી પેદા કરે છે અને તેથી છોડનું આડા પડી જવાનુ ઘટાડે છે.
પોટેશિયમ ખાસ કરીને છોડને પર્યાવરણીય તાણ સાથે અનુકૂલન કરવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે. પર્યાપ્ત પોટેશિયમ છોડને જંતુઓ અને રોગો પ્રત્યે વધુ સહનશીલતા આપે છે. પર્યાપ્ત પોટેશિયમ સ્વાદ અને રંગ સુધારીને અને દાંડીને મજબૂત કરીને ફૂલો, ફળો અને શાકભાજીની ગુણવત્તામાં વધારો કરે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૩: સૂક્ષ્મજીવો મૂળમાં પ્રવેશ કરે છે (૯)

છોડના વિકસતા મૂળના છેડા અને મૂળના રોમની નજીક સૂક્ષ્મજીવો મૂળની અંદર પ્રવેશ કરે છે. તેઓ કુદરતી છિદ્રો અથવા છોડની ગ્રહણ પ્રક્રિયાની મદદથી અંદર પહોંચે છે. આ પ્રક્રિયા મૂળના સ્વાસ્થ્ય અને નવા મૂળના

વધુ વાંચો....

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

 જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૨: સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે (૮)

સૂક્ષ્મજીવો છોડના મૂળમાં રાઇઝોસ્ફિયરમાં પહોંચ્યા પછી જમીનમાં ફરી ફરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો પોતાના કોષોમાં એકત્રિત કરે છે. તેઓ એવા વિસ્તારોમાંથી પણ પોષક તત્વો મેળવી શકે છે

વધુ વાંચો....

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે

વધુ વાંચો....

સાયલેજ પાકની લણણી

સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૧ : સૂક્ષ્મજીવો મૂળની આસપાસ એકત્ર થાય છે (૭)

છોડ પોતાના મૂળ આસપાસની જમીનમાં શર્કરા, એમિનો એસિડ અને સેન્દ્રિય એસિડ જેવા વિવિધ સ્ત્રાવો છોડે છે. આ સ્ત્રાવો રાસાયણિક આમંત્રણ તરીકે કાર્ય કરે છે અને ફાયદાકારક બેક્ટેરિયા તથા ફૂગને રાઇઝોસ્ફિયરમાં આકર્ષે છે.

વધુ વાંચો....

શા માટે બાયોચાર વાપરવો જાેઈએ ?

બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના

વધુ વાંચો....

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks