પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. આ જીવાતના નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા અને તેની લ્યૂર દર ૪૦ દિવસે બદલતી રહેવી.

ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. (પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાઉડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૫ મિ.લી. (૫ ઇસી) થી ૭૫ મિ.લી. (૦.૦૩ ઇસી) ૧૫ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

માટી અથવા રેતી ૫ ગ્રામ/છોડ વાવણીના ૩૦ અને ૪૫ દિવસ પછી ભૂંગળીમાં આપવાથી આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે. 

વધુ ઉપદ્રવ હોય તો સ્પીનેટોરમ ૧૧.૭ એસસી, ૦.૦૧૧૭% (૧૫ મિ.લી./૧૫ લિટર પાણી) અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી, ૦.૦૦૨૫% (૭ ગ્રામ/૧૫ લિટર પાણી) અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી, ૦.૦૦૬% (૭ મિ.લી./૧૫ લિટર પાણી) અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી, ૦.૧૧% (૨૫ ગ્રામ/૧૫ લિટર પાણી)નો પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજાે છંટકાવ તેના ૧૫ દિવસ બાદ કરવો તેમજ ડોડાના ઉતાર/ કાપણી અને છેલ્લા છંટકાવ વચ્ચેનો સમયગાળો ૩૦ દિવસ રાખવો.

ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪% દાણાદાર કીટનાશક ૨૦ કિ.લો. પ્રતિ હેક્ટર પ્રમાણે છોડની ભૂંગળીમાં આપવી અને ત્યારબાદ ૧૫ દિવસે બીજી વખત માવજત આપવાથી પણ સારા પરીણામ મળે છે. મકાઈ ૨૫-૩૦ દિવસની થાય ત્યારે વિષ પ્રલોભિકા (૧ એકર માટે ૧૦ કિ.ગ્રા. ડાંગરનુ ભૂસુ ૨ કિ.ગ્રા. ગોળનું દ્રાવણ બનાવી મિશ્રણ કરી એક રાત્રિ સુધી રહેવા દેવું. બીજા દિવસે તેમાં ૧૦૦ ગ્રામ થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી બરાબર ભેળવવું) ભૂંગળીમાં આપવી અને ત્યારબાદ ૧૫ દિવસે ઉપર દર્શાવેલ કોઈ એક કીટનાશકનો છંટકાવ કરવો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

જીવાત : દિવેલામાં લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદા દિવેલાના પાન ઉપર ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫૦ની સંખ્યામા ગોઠવવા

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવારની ગાભમારાની ઇયળ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે. ૩% દાણાદાર કીટનાશક ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે

વધુ વાંચો....

જીવાત : દાડમના ફળ ચૂસનાર ફૂદાનું નિયંત્રણ કેમ કરવું ?

ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય.  ખેડૂતો, ફળ પર ભુરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની

વધુ વાંચો....

જીવાત : દાડમમાં થ્રીપ્સ

દાડમમાં થ્રીપ્સ લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીની તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

જીવાત : મરચીમાં થ્રિપ્સ અને કાળી થ્રિપ્સ

 મરચીના ફૂલમાં કાળી થ્રિપ્સ નામની નવી જીવાત ખૂબ જ નુકસાન કરતી જાેવા મળેલ છે.  ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૫

વધુ વાંચો....

જીવાત : ભીંડામાં આવતી કાબરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુનો પાઉડર

વધુ વાંચો....

જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી

પાનકથીરી છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫

વધુ વાંચો....

જીવાત : ઔષધીય પાક ડોડીમાં આવતી મોલો-મશી જીવાત નિયંત્રણ

ખેતરમાં પીળાં ચીકણાં ટ્રેપ લગાવવા ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. અથવા બજારમાં મળતી લીમડાયુક્ત તૈયાર કીટનાશકો ૩૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦

વધુ વાંચો....

જીવાત : દાડમના પાકમાં ફળ કોરીખાનાર ઇયળ

ફળ કોરીખાનાર ઇયળ ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય

વધુ વાંચો....

જીવાત : લીંબુમાં સાયલા

ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૫% (અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી)

વધુ વાંચો....

દાડમની ફળ કોરીખાનાર ઇયળ વિષે

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો.  નાના ફળોને  કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks