aries agro

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી રહેલ છે જેની ખેડૂતોમાં ખૂબ જ મોટી માંગ ઉભી થયેલ છે આ માંગ એટલી મોટી છે કે અન્ય હરીફ બિયારણની કંપનીઓને પણ પોતાની તુવેરના વેચાણ માટે ભણતા નામનો ઉપયોગ કરવો પડી રહ્યો છે આ માલામાલ તુવેરની ખાસિયત એ છે કે અન્ય તુવેરની જાતો કરતા 10 થી 15 દિવસ વહેલી પાકે છે, રોગ જીવાતો માટે પણ અન્ય જાતો કરતા બે થી ત્રણ દવાના છંટકાવ ઓછા કરવા પડે છે, ઉત્પાદન પણ ગુણવત્તા યુક્ત અને વધારે આપે છે જેથી વેચાણ પણ સરળ અને વધુ નફાકારક બને છે. આ વર્ષે માલામાલ તુવેરના બિયારણ ની કિંમત એક કિલોના 610 રૂપિયા કંપનીએ રાખેલ છે, આગલા એક બે વર્ષમાં આપણા ઘણા બધા ખેડૂત મિત્રો એ બિયારણના આટલા રૂપિયા ખર્ચવા કરતા કોઈક ખેડૂત ભાઈએ કે જેને માલામાલ વાવેતર કરેલ હોય ત્યાંથી સસ્તા ભાવે બિયારણ લઈ લેવાય એવું વિચારી ને વાવેતર પણ કર્યું પણ એવા ખેડૂતોને પાકના છોડની સમરસતા પાકવાના દિવસોમાં અને ઉત્પાદનમાં ખૂબ મોટો ફર્ક જોવા મળેલ હતા. મહારાષ્ટ્ર રાજ્યમાં આ જ માલામાલ જાત ની ખૂબ જ મોટી ખેતી આપણા કરતાં વધારે પહેલાના સમયથી થઈ રહેલ છે ત્યાં પણ પ્રથમવાર ખેડૂતોએ આ જ રીત અપનાવેલ પણ બીજા જ વર્ષથી ત્યાંના ખેડૂતો ભણતા નામના બિયારણો કે ખેડૂતો પાસેથી ઘરઘરાઉ બિયારણ લેવાનું બંધ કરી “ઓરીજનલ માલામાલ” બિયારણની ખરીદી કરવાનું શરૂ કરેલ જેના કારણે સુમન એગ્રો કંપનીને ગુજરાતમાં આ બિયારણ આપવું હોય તો મહારાષ્ટ્ર રાજ્યનો જથ્થો કાપી ને –ઓછો કરીને ગુજરાતમાં વિતરણ કરવા માટે આપવું પડે છે

આ સુમન એગ્રો કંપની તુવેરના પાકોનો ખૂબ જ સારું સંશોધન ધરાવે છે, કંપનીના સંચાલક શ્રી રમેશ ઘૂઘે સાહેબ જણાવે છે કે કંપની પાસે ખુબ જ સારા વૈજ્ઞાનિકોની ટીમ છે, માલામાલ તુવેર તો હજી ફક્ત પહેલી જ શરૂઆતની પ્રોડક્ટ છે, હજી ઘણી બધી સારી સારી તુવેરની જાતો ભવિષ્યમાં ખેડૂતોને કંપની તરફથી બજારમાં મળી રહેશે, કંપનીના તુવેર પાક સંશોધન કેન્દ્રની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ ઘણીવાર મુલાકાત લઈ ચૂક્યા છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ગુણવત્તાસભર સારું ઉત્પાદન આપતા બિયારણો પહોંચાડવાનો છે. કંપની પાસે તુવેરના સંશોધનોની સાથે સાથે ચણા, સોયાબીન ભીંડા, મરચાના પાકોમાં પણ ખૂબ સારું સંશોધન ધરાવે છે, જે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વેચાણ થાય છે આવતા વર્ષોમાં ગુજરાતમાં પણ આવા બિયારણો ખેડૂતોને મળી રહેશે.

માલામાલ તુવેરના બિયારણ વિશે, અથવા તો તુવેરની ખેતી પદ્ધતિ વિશે માહિતી અથવા તો માલામાલ તુવેર બિયારણના વિક્રેતા – વિતરક માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો, નંબર છે 75 74 8 11 2 79– અજય દંડ.

આપ સૌ ખેડૂત ભાઈઓ નો ખુબ ખુબ આભાર

સુમન એગ્રો સન્સ કંપની વતી કૃષિ વિજ્ઞાન મેગેઝીનના વાચક ખેડૂત મિત્રોને ખેતીના નવા વર્ષની અનેક ગણી શુભકામના, આપની ખેતી ઓછા ખર્ચે અઢળક પાકે સારા બજાર ભાવ મળે પરિવાર સુખ શાંતિમાં રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના, આભાર.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

એક એવા ઉદ્યોગપતિ જે કેનેડાથી પરત ફર્યા અને શરૂ કરી જૈવિક ખાતરની કંપની

ડો. નરેન્દ્ર ઘેલાણી અને તેમના સંતાનો દ્વારા એગ્રિકોન ન્યુટ્રીટેક કંપની થકી “ઝેર મુક્ત ખેતી,” તરફ મહત્વપૂર્ણ યોગદાનદેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ કામગીરી એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કરી રહ્યું છે.

વધુ વાંચો....

કંપની ન્યુઝ : હેક્ટર ૨૭ – જમીનની તંદુરસ્તીનું રક્ષણ – સફળ ખેતીનું પ્રથમ પગલું.

હેક્ટર 27 સાથે જમીનજન્ય રોગો, જીવાતો અને નેમાટોડેથી સંપૂર્ણ સુરક્ષા ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા બીજ અને ખાતર પૂરતા નથી. જમીનમાં રહેલા વિવિધ ફૂગજન્ય રોગો, હાનિકારક જીવાતો તેમજ નેમાટોડ પાકને

વધુ વાંચો....

પાયાના પોષણ : માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા

માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: સ્વ-શુદ્ધિકરણ તરફનું પ્રથમ પગલું શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બીજ અંકુરિત થાય છે તે માટી પોતે જ બીમાર હોય તો પાક

વધુ વાંચો....

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં

વધુ વાંચો....

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય બાબત છે. દરેક કંપનીના ઉદ્દેશ અલગ હોય

વધુ વાંચો....

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર

વધુ વાંચો....

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું

વધુ વાંચો....

કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો

ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (SC 47.85%). સસ્પેન્શન કોન્સન્ટ્રેટ (SC). અને લેપિડોપ્ટેરન

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks